SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા- 240 કલ્પ નહિ એમ જાણતો હોય કે ન જાણતો હોય તેવો કોઈ ગૃહસ્થ સાધુ ઉપરની અતિ ભક્તિથી કોઈ રીતે તેના જાણવામાં આવે કે “સાધુઓને આવા પ્રકારના આહાર આદિની જરૂર છે.' એટલે તે ગૃહસ્થ તેવા પ્રકારના ધાન્ય વગેરે પોતે, અગર બીજા પાસે ખેતરમાં વાવીને તે વસ્તુ તૈયાર કરાવે. તો શરૂઆતથી તે વસ્તુ આધાકમાં કહેવાય. અશનાદિ શરૂઆતથી માંડીને જ્યાં સુધી અચિત્ત ન બને ત્યાં સુધી તે 'કત’ કહેવાય છે અને અચિત્ત બન્યા પછી તે 'નિષ્ઠિત’ કહેવાય છે. કૃત અને નિષ્ઠિતમાં ચતુર્ભાગી ગૃહસ્થી અને સાધુને ઉદ્દેશીને થાય છે. સાધુને માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત. સાધુને માટે કૃત (રૂઆત) અને ગૃહસ્થ માટે નિષ્ઠિત. ગૃહસ્થ માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત, ગૃહસ્થ માટે કૃત (શરૂઆત) અને ગૃહસ્થ માટે નિષ્ઠિત આ ચાર ભાંગામાં બીજા અને ચોથા ભાંગામાં તૈયાર થયેલ આહારાદિ સાધુને કલ્પી શકે. પહેલો અને ત્રીજો ભાંગો અક. - સાધુને ઉદ્દેશીને ડાંગર વાવવી, ક્યારામાં પાણી ભરવું, ઉગ્યા પછી લણવી.. ધાન્ય જુદું પાડવું અને ચોખા જુદા પાડવા માટે બે વખત છડે, ત્યાં સુધીનું બધું કૃત કહેવાય. જ્યારે ત્રીજી વાર છડીને ચોખા છુટા પાડવામાં આવે ત્યારે તે નિષ્ઠિત કહેવાય. આ જ પ્રમાણે પાણી, ખાદિમ અને સ્વાદિમ માટે સમજી લેવું. ત્રીજી વાર પણ સાધુને નિમિત્તે છડીને તૈયાર કરવામાં આવેલા ચોખા ગૃહસ્થ પોતાના માટે રાંધ્યા હોય તો પણ સાધુને તે ચોખા-ભાગ કર્ભે નહિ, એટલે તે આધાકર્મી જ ગણાય. પરંતુ ડાંગર બીજીવાર છડતા સુધી સાધુનો ઉદ્દેશ હોય અને ત્રીજી વાર ગૃહસ્થ પોતાના ઉદ્દેશથી છડ્યા હોય અને પોતાના માટે રાંધ્યા હોય તો તે ભાત સાધુને કલ્પી શકે છે. જે ડાંગર ત્રીજી વાર સાધુને છડીને ચોખા કરેલા હોય, તે ચોખા ગૃહસ્થ પોતાના માટે રાંધ્યા હોય તો તે તૈયાર થયેલા ભાત એકે બીજાને આપ્યા, બીજાએ ત્રીજાને આપ્યા, ત્રીજાએ ચોથાને આપ્યા એમ યાવતું એક હજાર સ્થાને આપવામાં આવ્યા હોય ત્યાં સુધી તે ભાત. સાધુને કહ્યું નહિ, પરંતુ એક હજાર પછીના સ્થાને ગયા હોય તો તે ભાત સાધુને કલ્પી શકે. કેટલાક આચાર્ય એમ કહે છે કે લાખો ઘેર જાય તો પણ કહ્યું નહિ. પાણી માટે-સાધુને ઉદ્દેશીને પાણી માટે કૂવો ખોદવાની ક્રિયાથી માંડીને છેવટે ત્રણ ઉકાળા થયા પછી જ્યાં સુધી નીચે ઉતારવામાં ન આવે ત્યાં સુધીની ક્રિયાને કૃત કહેવાય અને નીચે ઉતારવાની ક્રિયાને નિષ્ઠિત કહેવામાં આવે છે. આથી એમ નક્કી થાય છે કે સચિત્ત વસ્તુને અચિત્ત બનાવવાની શરૂઆત કર્યો પછી છેવટે અચિત્ત બને ત્યાં સુધી જો સાધુનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય તો તે વસ્તુ સાધુને કલ્પી શકતી નથી, પરંતુ જો સાધુને ઉદ્દેશીને શરૂ કર્યા પછી અચિત્ત બનતાં પહેલાં સાધુનો ઉદ્દેશ ફેરવીને ગૃહસ્થ પોતાના માટે વસ્તુ તૈયાર કરે-અચિત્ત કરે તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. વળી. અચિત્ત વસ્તુને અગ્નિ વગેરેના આરંભથી. સાધુને ઉદ્દેશીને પકવવામાં આવે તો તે વસ્તુ સાધુને કહ્યું નહિ, પરંતુ તે અચિત્ત વસ્તુ પકવવાની શરૂઆત સાધુને ઉદ્દેશીને કરી હોય અને પકાવી, પણ પકાવીને તૈયાર કર્યા પછી ચૂલા ઉપરથી ગૃહસ્થ પોતાના માટે ચે ઉતારી હોય તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ અચિત્ત વસ્તુ ગૃહસ્થ પોતાના માટે પકવવાની શરૂઆત કરી હોય અને પકાવી હોય પણ સાધુ આવવાના કે આવ્યાના આ સમાચાર જાણી સાધુને વહોરાવવાના નિમિત્તે તે તૈયાર થયેલી વસ્તુ ચૂલા ઉપરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy