SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 86 પિંડનિરિ -(240) અધિકનું બીજું સંયમ સ્થાન આવે. આ ક્રમ પ્રમાણે અનંતગુણ અધિકના સ્થાનો પણ કિંડક પ્રમાણ કરવાં. તે પછી ઉપર પ્રમાણે અનંતભાગ અધિકનું સંયમ સ્થાન તેની વચ્ચે વચ્ચે અસંખ્યભાગ અધિકનું તે પછી બન્ને વચ્ચે વચ્ચે સંખ્યાતભાગ અધિકનું, તે પછી ત્રણના આંતરાવાળું સંખ્યાતગુણ અધિકનું અને તે પછી ચારના આંતરાવાળું અસંખ્યાતગુણ અધિકનું કંડક કરવું. એટલે ષ સ્થાનક પરિપૂર્ણ થાય. આવા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ષ સ્થાનકો સંયમ શ્રેણીમાં બને છે. આ પ્રમાણેસંયમશ્રેણીનું સ્વરૂપ શાસ્ત્રમાં જણાવેલું છે. આધાકર્મ આહાર ગ્રહણ કરનાર વિશુદ્ધ સંયમ સ્થાનથી નીચે નીચે પડતો હીન હીન ભાવમાં આવતો યાવત્ રત્નપ્રભાદિ નરકગતિનું આયુષ્ય બાંધે છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે- આહાર તૈયાર કરતાં છ કાયાદિનો આરંભ ગૃહસ્થ કરે છે, તો તે આરંભ આદિનું જ્ઞાનાવરણાદિ પાપકર્મ સાધુને આહારગ્રહણ કરતાં કેમ લાગે? કેમકે એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું નથી. જો એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું હોત તો ક્ષપકશ્રેણી ઉપર ચઢેલા મહાત્મા કૃપાલુ અને સઘળા જગતના જીવોના. કમનોનાશ કરવામાં સમર્થ છે, તેથી સઘળાંય પ્રાણીઓના જ્ઞાનાવરણાદિ કર્મોને પોતાની ક્ષપકશ્રેણીમાં સંક્રમાવીને ખપાવી નાખે તો બધાનો એક સાથે મોક્ષ થાય. જે. બીજાએ કરેલા કર્મોનો સંક્રમ થઈ શકે તો, ક્ષપકશ્રેણીમાં રહેલ એક આત્મા સઘળાં પ્રાણીઓના કર્મને ખપાવી નાખવા સમર્થ છે.' પરંતુ આમ બનતું નથી, તેથી બીજાએ કરેલું કર્મ બીજામાં સંક્રમી ન શકે? (તેનો ઉત્તર આપતા જણાવે છે કે જે સાધુ પ્રમત્ત . હોય અને હોશિયાર નથી હોતો તે સાધુ કર્મથી બંધાય છે, પરંતુ જે અપ્રમત્ત અને હોશિયાર હોય છે તે કર્મથી બંધાતો નથી. આધાકર્મી આહાર ગ્રહણ કરવાની ઇચ્છા કરવી તે અશુભ પરિણામ છે. અશુભ પરિણામ થવાથી તે અશુભ કર્મબંધ કરે છે. જે સાધુ આધાકમ આહાર ગ્રહણ કરતા નથી. તેમના પરિણામ અશુભ થતા નથી, એટલે તેને અશુભ કર્મબંધ થતો નથી. માટે આધાકર્મી આહાર ગ્રહણ કરવાની ઈચ્છા પ્રયત્નપૂર્વક સાધુએ કરવી નહિ. બીજાએ કરેલું કર્મ પોતાને ત્યારે જ બંધાય કે જ્યારે આધાકમ આહાર ગ્રહણ કરે અને ગ્રહણ કરેલો તે આહાર વાપરે. ઉપચારથી અહીં આધાકીને આત્મકર્મ કહેવામાં આવ્યું છે. કઈ વસ્તુ આધાકર્મી બને ? અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. આ ચાર પ્રકારનો આહાર આધાકર્મી બને છે. આ પ્રમાણે પ્રવચનમાં શ્રી તીર્થકર ભગવંતો કહે છે. કેવા પ્રકારનું આધાકર્મી બને છે? તો ધાન્યાદિની ઉત્પત્તિથી માંડીને ચારે પ્રકારનો આહાર અચિનુપ્રાસુક થાય ત્યાં સુધી સાધુનો ઉદ્દેશ રખવામાં આવ્યો હોય, તો તે તૈયાર થયેલ આહાર સુધીનું બધું આધાકર્મી કહેવાય છે. વસ્ત્રાદિ પણ સાધુ નિમિત્તે કરવામાં આવે તો સાધુને તે પણ બધું આધાકર્મી-અકથ્ય બને છે. પરંતુ અહીં પિંડનો. અધિકાર હોવાથી અશનાદિ ચાર પ્રકારના આહારનો જ વિષય કહ્યો છે. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારનો આહાર આધાકર્મી બની શકે છે. તેમાં કત. અને નિષ્ઠિત એમ ભેદ થાય. કત-એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદિ કરવાની શરૂઆત કરવી. નિષ્ઠિત એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદિ પ્રાસુક અચિત્ત બનાવવું. શંકા- શરૂઆતથી માંડીને અશનાદિ આધાકર્મી કેવી રીતે સંભવે ? સાધુને આધાકમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy