SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 78 પિંડનિ જુતિ-(૧) સંથાદક- બે સાધુએ સાથે ભિક્ષાએ જવું. ઉપકરણ- ઉત્સર્ગથી સઘળાં ઉપકરણો સાથે લઈને ભિક્ષાએ જાય. બધા ઉપકરણ સાથે લઈને ભિક્ષા કરવા સમર્થ ન હોય તો પાત્રો. પડલા, રજોહરણ, બે વસ્ત્ર અને દાંડો લઈને ગોચરી જાય. માત્ર પાત્રની સાથે બીજું માત્રક લઈને ભિક્ષાએ જાય. કાઉસગ્ન- ઉપયોગ કરાવણિયનો આઠ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ન કરીને આદેશ માંગે. “સંદિસહ આચાર્ય કહે “લાભ” સાધુ કહે (કહે લે) આચાર્ય કહે જહા ગહિય પુવ્વસાહૂહિં) યોગ-પછી કહે કે “આવસ્સિયાએ જલ્સ જોગો’ જે જે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ. ગવેષણા બે પ્રકારની છે. એક દ્રવ્યગવેષણા, બીજી ભાવગવેષણા. દ્રવ્યગોષણા વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. એકવાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવર્ણપીઠવાણું હરણ જોયું. તે રાણી ગર્ભવાળી હતી. આથી તેને સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાનો દોહલી (ઇચ્છા) થયો. તે ઇચ્છા પૂર્ણ નહિ થવાથી રાણીનું શરીર સુકાવા લાગ્યું. રાણીને દુર્બળ થતી જોઈ. રાજાએ પૂછયું કે તું કેમ સુકાય છે? તારે શું દુઃખ છે ?" રાણીએ સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાની ઈચ્છા થયાની વાત કરી. રાજાએ પોતાનાં માણસોને સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યો. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી ફળ ઘણાં પ્રિય હોય છે, પણ અત્યારે તે ફળોની ઋતું નથી. માટે બનાવટી તેવાં ફળો બનાવીને જંગલમાં ગયા. ત્યાં તે બનાવટી ફળોના છુટા છુટાં ઢગલા કરીને ઝડની નીચે રાખ્યા. હરણીયાઓએ તે ફળો જોયા અને પોતાના નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યા. નાયકે તે ફળો જોયા અને બધા હરણીયાઓને કહ્યું કે કોઈ ધૂર્ત આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે. કેમકે અત્યારે આ ફળોની ઋતું નથી. માટે તે ફળો ખાવા માટે કોઈએ જવું નહિ.' આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાક હરણીયા તે ફળો ખાવા માટે ગયાં નહિ. કેટલાક હરણીયા નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળો ખાવા ગયા, જ્યાં ફળો ખાવા લાગ્યા ત્યાં તો રાજાના માણસોએ તે હરણીયાઓને પરડી લીધાં. આથી તે હરણીયામાંથી કેટલાક બંધાયા અને કેટલાક હરણીયા મરણ પામ્યા. જે હરણીયાઓએ તે ફળો ખાધો નહિ તે સુખી થયો, ઈચ્છા પ્રમાણે વનમાં વિચરવા લાગ્યાં. ભાવગવેષણા કોઈ મહોત્સવ પ્રસંગે ઘણા સાધુઓ આવ્યા હતા. કોઈ શ્રાવકે અથવા તો કોઈ ભદ્રિક માણસે સાધુઓને માટે (આધાકમિ) ભોજન તૈયાર કરાવ્યું અને બીજા અનેકને બોલાવીને ભોજન આપવા માંડ્યું. તેના મનમાં એક હતું કે “આ જોઈને સાધુને આહાર લેવા આવશે.” આચાર્યને આ વાતની કોઈ રીતે ખબર પડી ગઈ. તેથી સાધુઓને કહ્યું કે “ત્યાં આહાર લેવા જશો નહિં. કેમકે તે આહાર આધાર્મિ છે.” કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુળોમાંથી ગોચરી લઈ આવ્યા. જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણ કર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો. જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આધાર્મિ આહાર લીધો નહિ, તે સાધુઓ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહાસુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થયા અને સંસાર વધારનારા. થયા. માટે સાધુઓએ નિર્દોષ આહાર પાણી આદિની ગવેષણા કરવી જોઈએ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy