SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 70 ઓહનિર-(૧૦૪૫) નિષ્પવર્ણવાળું હોય તેવું પાત્ર ગ્રહણ કરવું. લક્ષણવિનાનું - ઉંચું નીચું, વળી ગયેલું, છિદ્રવાળું, હોય તે પાત્રા રાખવું નહિ. સરખા ગોળ પાત્રાથી લાભ થાય. મજબૂત પાત્રથી, ગચ્છની પ્રતિષ્ઠા થાય. વ્રણરહિત પાત્રાથી કીર્તિ અને આરોગ્ય મળે. નિષ્પવર્ણવાળા પાત્રાથી જ્ઞાન સંપત્તિ થાય. ઉંચા નીચા પાત્રાથી ચારિત્રનો ભેદ-વિનાશ થાય છે. દોષવાળા પાત્રાથી ગાંડપણ થાય. પડધી વિનાના પાત્રાથી ગચ્છ અને ચારિત્રમાં સ્થિરતા રહે નહિ. ખીલા જેવાં ઉંચા પાત્રાથી ગચ્છ અને ચારિત્રમાં સ્થિરતા રહે નહિ. કમળ જેવાં પહોળા પાત્રાથી અકુશલ થાય. ઘણછિદ્રવાળાપાત્રાથી શરીરમાં ગુમડાં આદિ થાય. અંદર અથવા બહારથી બળેલા પાત્રાથી મરણ થાય. [૧૦૪૬)પાત્રબંધ-પાત્રા બંધાય અને છેડા ચાર આંગળ વધે તેવા રાખવા. [1047-1049 બનેગુચ્છા તથા પાત્રકેસરીકા આ ત્રણે એક વેંતને ચાર આગળના રાખવા બન્ને ગુચ્છા ઊનના રાખવા. ૨જ આદિથી રક્ષા માટે નીચેનો ગુચ્છો. ગુચ્છાથી પડલાની પ્રાર્થના કરાય. પાત્રો પ્રમાર્જવા ઝીણા સુંવાળા સુતરાઉ કિપડાની પાત્રકેસરિકા-પાત્રમુખવત્રિકા જે પાત્રા દીઠ એક એક અલગ રાખવા [૧૦૫૦-૧૦પપપપલા - કોમળ અને મજબૂત તભેદે ત્રણ, પાચ કે સાત, ભેગા, કરતાં સૂર્યના કિરણો ન દેખાય તેવાં અઢી હાથ લાંબા અને છત્રીસ આગળ પહોળા રાખવાં સારા કે તેથી ઉતરતી કોટીનાં હોય તો રૂતભેદે નીચે પ્રમાણે તે ધારણ કરાય છે. ઉત્કૃષ્ટ મજબૂત પડલાં અનુક્રમે 3-4-5, મધ્યમ(કંઈકજીર્ણ.)પડલાં અનુક્રમે 4-5-6, જીર્ણ પડલાં અનુક્રમે 5-6-7 ઉનાળા, શિયાળા ચોમાસે રાખવા. ભિક્ષા લેવા જતાં કુલ, પત્ર, આદિથી રક્ષણ કરવા માટે પાત્રો ઉપર ઢાંકવા તથા લિંગ ઢાંકવા માટે પડતાં જોઈએ. [૧૦૫-૧૦૫૭રજસ્ત્રાણ * પાત્રાના પ્રમાણમાં રાખવું. રજ આદિથી રક્ષણ માટે પ્રદક્ષિણાવર પાત્રાને વીંટવું. તે પાત્રાનુસાર અલગ રાખવું. [૧૦પ૮-૧૦૫૯ત્રણ વસ્ત્રો - શરીર પ્રમાણ, ઓઢતાં ખભા ઉપર રહે. અઢી હાથ પહોળાં, લંબાઈમાં શરીર પ્રમાણ બે સુતરાઉ અને એક ઊનનું. ઘાસ, અગ્નિ આદિ ગ્રહણ કરવા ન પડે, તથા ઠંડી આદિથી રક્ષણ થાય તે માટે અને ધર્મધ્યાન, શુક્લધ્યાન, સારી રીતે થઈ શકે એ માટે વસ્ત્ર રાખવાનું ભગવાને કહ્યું છે, [૧૦૬૦-૧૦૬૪]રજોહરણ - મૂળમાં ઘન, મધ્યમાં સ્થિર અને દશી પાસે કોમળ દશીવાળો દાંડી નિષધા સાથે પોરાયામ અંગુઠાના પર્વમાં પ્રદેશની આંગળી રાખતાં જેટલો પહોલો ભાગ રહે તેટલી જાડાઈવાળો, રજોહરણ રાખવો. મધ્યમાં દોરાથી ત્રણ આંટા મારી બાંધવો. કુલ બત્રીસ આગળ લાંબો. (દાંડી ચોવીસ આંગળ, દશી આઠ આંગળીહીન અધિક હોય તો બંને મળીને બત્રીસ આંગળ થાય તેટલો રાખવો. લેવા. મૂકવા વગેરે ક્રિયામાં પૂજવા પ્રમાર્જવા તથા સાધુ લિંગ તરીકે રજોહરણ ધારણ કરવું. [1065-1066] મુહપતિ - સુતરાઉ એક વેંત ચાર આંગળની એક અને બીજી મુખ પ્રમાણે મુખ ઢાંકી શકાય તેટલા પ્રમાણની વસતિ પ્રમાર્જના વખતે બાંધવા. સંપાતિમ જીવોના રક્ષણ માટે, બોલતી વખતે મુખ આગળ રાખવા. તથા કાજો લેતાં જ આદિ મુખમાં પેસી ન જાય તે માટે બીજી નાસિકા સાથે મોંઢા ઉપર બાંધવા એમ બે. [૧૦૬૭-૧૦૭૪માત્રક- પ્રસ્થ પ્રમાણ. આચાર્ય આદિને પ્રાયોગ્ય લેવા માટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005104
Book TitleAgam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages63
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy