SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ માથા- 845 ભરતી આવે એટલે તેમાં માછલાં ભરાઈ જાય. એકવાર હું તેમાં સપડાઈ ગયો. ત્યારે સાદડીના આધારે બહાર નીકળી ગયો. આ પ્રમાણે હું ત્રણવાર તેમાંથી છટકી ગયો. એકવીસ વાર જાળમાં સપડાતાં હું જમીન પર લપાઈ જતો હતો એટલે છુટી જતો. એકવાર હું ખાબોચીયાના પાણીમાં રહેતો હતો, તે વખતે પાણી સુકાઈ ગયું. માછલાં જમીન ઉપર ફરી શકતાં નથી, એટલે તે ખાબોચીયાનાં ઘણાં માછલાં મરી ગયાં. કેટલાંક જીવતાં હતા, તેમાં હું પણ જીવતો હતો. ત્યાં કોઈ માછીમાર આવ્યો અને હાથથી પકડી પકડીને માછલાં સોયોમાં પરોવવા લાગ્યો ત્યારે મને થયું કે હવે નક્કી મારી જવાશે જ્યાં સુધી વીંધાયો નથી ત્યાં સુધીમાં કોઈ ઉપાય કરુ જેથી બચી જવાય’ આમ વિચાર કરીને પરોવાયેલા માછલાની વચમાં જઈ તે સોયો મોંથી પકડીને હું વળગી ગયો. માછીમારે જાણ્યું કે બધા માછલાં પરોવાઈ ગયો છે, એટલે તે સોયો લઈને માછલા ધોવા માટે બીજા દ્રહમાં ગયો. એટલે હું પાણીમાં જતો રહ્યો આવું મારુ પરાક્રમ છે. તો પણ તું મને પકડવાની ઈચ્છા કરે છે? તારું કેવું નિર્લજ્જપણું? આ રીતે માક્લો સાવચેતીથી આહાર મેળવતો હતો. તેથી છળાતો ન હતો. તે દ્રવ્યગ્રાસ એષણા. [૮૪૬-૮૪૮]આ પ્રમાણે કોઈ દોષોમાં ન છલાય તે રીતે નિર્દોષ આહાર પાણીની ગવેષણા કરી, સંયમના નિવાહ માટે જ આહાર વાપરવો. આહાર વાપરતાં પણ આત્માને શિખામણ આપવી કે હે જીવ ! તું બેંતાલીસ દોષોથી રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરવામાં મૂચ્છવશ થઈશ નહિ, રાગ દ્વેષ કરીશ નહિ. આહાર વિધારે પણ ન વાપરવો, તેમ ઓછો પણ ન વાપરવો જેટલાં આહારથી શરીર ટકી રહે, તેટલા પ્રમાણમાં આહાર વાપરવો. [૮૪૯-૮૫૦આગાઢયોગ વહન કરનાર - જુ વાપરે. અમનો - માંડલી બહાર રાખેલા હોય તે જુદા વાપરે. આત્માર્થિક- પોતાની લબ્ધીથી લાવીને વાપરતાં હોય તે જુદ્ધ વાપરે. પ્રાદુર્ણક - મેમાન આવેલા હોય તેમને પહેલેથી પુરેપુરુ આપવામાં આવે એટલે જુદા વાપરે. નવદીક્ષિત - ઉપાસ્થાપના હજુ થઈ નથી. એટલે હજુ ગૃહસ્થવતુ હોય જેથી તેમને જુદુ આપી દે. પ્રાયશ્ચિત્તવાળા દોષશુધ્ધિ માટે પ્રાયશ્ચિત કરતાં હોય તે શબલ ભ્રષ્ટ ચારિત્રીઓ જુદા વાપરે. બાલ વૃદ્ધ - અસહિષ્ણુ હોવાથી જુદું વાપરે. આ રીતે જુદું વાપરનારા અસમુદિશક. તથા કોઢ આદિ રોગ થયેલા હોય તે જુદું વાપરે. ૮૫૧-૮૫૯]આહાર પ્રકાશમાં કરવો જોઈએ. પ્રકાશ બે પ્રકારનો દ્રવ્ય પ્રકાશ ને ભાવ પ્રકાશ. દ્રવ્ય પ્રકાશ - દીપક, રત્ન આદિનો. ભાવ પ્રકાશ - સાત પ્રકાર, સ્થાન, દિશા, પ્રકાશ, ભાજન, પ્રક્ષેપ, ગુરુ, ભાવ, સ્થાન - માંડલીમાં સાધુઓને જવા આવવાનો માર્ગ મૂકીને તથા ગૃહસ્થ આવતાં ન હોય તેવા સ્થાનમાં પોતાના પર્યાય પ્રમાણે બેસીને આહાર કરવો. દિશા -આચાર્ય ભગવંતની સામા, પાછળ, તેમ પરાડુ મુખ ન બેસવું પણ માંડલી પ્રમાણે ગુરુથી અગ્નિ કે ઈશાન દિશામાં બેસીને આહાર કરવો. પ્રકાશ - અજવાળું હોય, તેવા સ્થાને બેસીને આહાર કરવો. કેમકે માખી, કાંટો વાળ, આદિ હોય તો ખબર પડે. અંધારામાં આહાર કરતાં માખી આદિ આહાર સાથે પેટમાં જાય, તો ઉલટી, વ્યાધિ આદિ થાય. ભાજન - અંધારામાં ભોજન કરતાં જે દોષો લાગે તે દોષો સાંકડા મુખવાળા પાત્રમાં વાપરતાં લાગે, ઉપરાંત નીચે વેરાય, વસ્ત્ર આદિ બગડે ઈત્યાદિ દોષો લાગે માટે પહોળા પાત્રામાં આહાર વાપરવો. પ્રક્ષેપ - કૂકડીનાં ઈંડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005104
Book TitleAgam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages63
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy