SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ 282 મહાનિસીહ– 3626 અનુમોદન એમ ભાંગ કરતા અઢાર ભેદવાળું જણવું. તેમજ કર કર્મ સચિત્ત અચિત્ત ભેદોવાળું અથવા બ્રહ્મચર્યની નવગુપ્તિની વિરાધના કરવા વડે કરીને, શરીર વસ્ત્રાદિકની વિભૂષા કરવા રૂપ. માંડલીમાં પરિગ્રહ બે પ્રકારે. સૂક્ષ્મ અને બાદ. વસ્ત્રપાત્રનું મમત્વભાવથી રક્ષણ કરવું. બીજાને વાપરવા ન આપવા તે સૂક્ષ્મ પરિગ્રહ. હિરણ્યાદિક ગ્રહણ કરવાકે ધારણ કરી રાખવા, માલિકી રાખવી, તે બાદર પરિગ્રહ જાણવો. રાત્રિભોજન દિવસે ગ્રહણ કરી રાત્રે ખાવું દિવસે ગ્રહણ કરી બીજે દિવસે ભોજન કરવું. રાત્રે લઈ દિવસે ખાવું. રાત્રે લઈ રાત્રે ખાવું ઇત્યાદિ ભાગાવાળું. [27-632] ઉત્તર ગુણોને વિષે પિંડની જે વિશદ્ધિ, સમિતિઓ. ભાવનાઓ, બે પ્રકારનો તપ, પ્રતિમા ધારણ કરવી, અભિગ્રહો ગ્રહણ કરવા આ વગેરે ઉત્તર ગુણો જાણવા. તેમાં પિંડવિશુદ્ધિ - સોળ ઉગમ દોષો, સોળ ઉત્પાદના દૉષી, દશ એષણાના દોષો અને સંયોજનાદિક પાંચ ોષો, તેમાં ઉદ્ગમ દોષો આ પ્રમાણે જાણવા 1. આઘાકર્મ 2 ઔશિક, 3 પૂતિકર્મ 4 મિશ્રજાત, 5 સ્થાપના, 6 પ્રાભૃતિકા, 7 પ્રાદુષ્કરણ, 8 કીત 9 પ્રામિત્યક, 10 પરાવર્તિત, 11 અભ્યાહત, 12 ઉમિન, 13 માલાપહત, 14 આછિદ્ય 15 અતિસુખ, 16 અધ્યવપૂરક- એમ પિંડ તૈયાર કરવામાં સોળ દોષો લાગે છે. [33-35] ઉત્પાદનના સોળ દોષો આ પ્રમાણે કહેલા છે. 1- ધાત્રીદોષ, ૨-દુતિદોષ, 3- નિમિત્તદોષ, 4 આજીવકદોષ, 5 વનીકદોષ, - ચિકિત્સાદોષ, ૭ક્રોધદોષ, ૮-માનર્દોષ 9 માયાદોષ. ૧૦-લોભદ્રેષ, આ. દસ દોષ તથા ૧૧પહેલા કે પછી થએલા પરિચયનો દોષ 12- વિદ્યાદોષ, 13- મંત્રદોષ. ૧૪-ચૂર્ણદોષ, 15, યોગદોષ અને ૧૬-મૂળકર્મદોષ- એમ ઉત્પાદનાના સોળ દોષો લાગે છે. [636-47] એષણાના દસ દોષો આ પ્રમાણે જાણવા 1- શક્તિ, 2- પ્રક્ષિત, ૩નિક્ષિત,૪પિહિત,પસંહૃત,-દાયક,૭- ઉમ્મિશ્ર,૮- અપરિણત,૯નલિત, ૧છર્દિત. [38] તેમાં ઉદ્ગમ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે. ઉત્પાદનના દોષો સાધુથી ઉત્પન્ન થવાવાળા અને એષણા દોષો ગૃહસ્થ અને સાધુ બન્નેથી ઉત્પન્ન થવાવાળા છે. માંડલીના પાંચ દોષો આ પ્રમાણે જાણવા 1- સંયોજના. 2- પ્રમાણથી અધિક વાપરવું, 3- અંગાર 4- ધુમ્ર, 5- કારણનો અભાવ - એમ ગ્રાસેસણાના પાંચ દોષો થાય છે. તેમાં સંયોજના દોષનો બે પ્રકાર - 1 ઉપકરણ સંબંધી અને 2. ભોજન પાણી સંબંધી. વળી તે બન્નેના પણ અભ્યત્તર અને બાહ્ય. એવા બે ભેદ્ય છે [39] પ્રમાણ-બત્રીશ કોળીયા પ્રમાણ. આહાર કુક્ષિપૂરક ગણાય છે. ગમતાભાવતા ભોજનાદિક રાગથી વપરાય છે. તો તેમાં ગાલ દોષ અને અણગમતામાં ઠેષ થાય તો ધૂમ્ર ઘેષ લાગે છે. - 640-644] કારણાભાવ દોષમાં સમજવાનું કે- સુધા વેદના સહન ન થાય, અશક્ત શરીરથી વૈયાવચ્ચ ન બની શકે, આંખનું તેજ ઘટે અને ઈરિયાસમિતિમાં ખામી આવે. સંયમ પાલન માટે તેમજ પ્રાણ ટકાવવા માટે, ધર્મધ્યાન કરવા માટે, આ કારણ માટે ભોજન કરવાનું કહ્યું, ભૂખ સમાન કોઈ વેદના નથી માટે તેની શાંતિ માટે ભોજન કરવું. ભૂખથી દુર્બળ દેહવાળો વેયાવચ્ચ કરવા સમર્થ થઈ શકતો નથી. માટે ભોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy