SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨, ઉદેસો-૩ 253 જે સ્ત્રીના શરીરમાંથી નિરંતર ઝરતા દુર્ગધ મારતા અશુચિ સડેલા કુત્સનીય નિન્દનીય, તિરસ્કારણીય સર્વે અંગો પાંગવાળી, વળી પરમાર્થથી વિચારીએ તો તેના અંદર અને બહારના શરીરના અવયવોથી જ્ઞાત મહાસત્ત્વશાળી કામદેવથી કંટાળેલા અને વૈરાગ્ય પામેલા આત્માઓને થી જ્ઞાત, સર્વોત્તમ અને ઉત્તમ પુરુષોને તેમજ ધમધર્મનું સ્વરૂપ સારી રીતે સમજેલા હોય તેવાને તેવી સ્ત્રી પ્રત્યે ક્ષણવાર કેમ અભિલાષા થાય? 409-410] જેની અભિલાષા પુરષ કરે છે, તે સ્ત્રીની યોનિમાં પુરુષના એક સંયોગ સમયે નવ લાખ પંચેન્દ્રિય સમૂચ્છિમ જીવોનો વિનાશ થાય છે. તે જીવો અત્યન્ત સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી ચર્મચક્ષુથી દેખી શકતા નથી. આ કારણથી એમ કહેવાય છે કે સ્ત્રી સાથે એક વખત કે વારંવાર બોલચાલ ન કરવી. તેમજ તેના અંગો કે ઉપાંગો રાગપૂર્વક નિરીક્ષણ ન કરવા. ધાવતું બ્રહ્મચારી પુરુષે માર્ગમાં સ્ત્રી સાથે ગમન કરવું નહિ. 4i11] હે ભગવંત! સ્ત્રી સાથે વાતચીત ન કરવી. અંગોપાંગ ન જોવા કે મૈથુન સેવનનો ત્યાગ કરવો? હે ગૌતમ ! બન્નેનો ત્યાગ કરવો. હે ભગવંત! શું સ્ત્રીના સમાગમ કરવા રૂપ મૈથુનનો ત્યાગ કરવો કે ઘણા પ્રકારના સચિત્ત અચિત્ત વસ્તુ વિષયક મૈથુનના પરિણામ મનવચન-કાયાથી ત્રિવિધ સર્વથા માવજજીવન ત્યાગ કરવો? હે ગૌતમ! તે સર્વ સર્વ પ્રકારે ત્યાગ કરવા. 4i12] હે ભગવંત! જે કોઈ સાધુ-સાધ્વી મૈથુન સેવન કરે તે બીજા પાસે વન્દન કરાવે ખરા! હે ગૌતમ! જે કોઈ સાધુ-સાધ્વી દીવ્ય, મનુષ્ય કે તિર્યંચ સંગથી થાવતુ હસ્તકમદિ સચિત્ત વસ્તુ વિષયક દુષ્ટ અધ્યવસાય કરીને મન, વચન કાયાથી પોતે મૈથુન સેવે, બીજાને પ્રેરણા ઉપદેશ આપી મિથુન સેવરાવે, સેવતાને સારા માને, કૃત્રિમ અને સ્વાભાવિક ઉપકરણથી તે જ પ્રમાણે ત્રિવિધ-ત્રિવિધ મૈથુનનું સેવન કરે કરાવે કે અનુમોદન કરે તે સાધુ-સાધ્વી દુરન્ત- ખરાબ વિપાકવાળા પંત-અસુંદર, અતિ ખરાબ, મુખ પણ જેને જોવા લાયક નથી. સંસારના માર્ગનો સેવન કરનારો, મોક્ષમાર્ગથી દૂર થએલો, મહાપાપ કર્મ કરનાર, તે વંદન કરવા લાયક નથી. વંદન કરાવવા લાયક નથી. વિંદન કરનારનો સારો માનવા લાયક નથી, ત્રિવિધ વંદન યોગ્ય નથી કે જ્યાં સુધી પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ ન થાય, ત્યાં સુધી બીજા વંદન કરતા હોય તો પોતે વંદન કરવા નહીં. હે ભગવંત! એવાને જે વંદન કરે તે શું મેળવે? હે ગૌતમ ! અઢાર હજાર શીલાંગ ધારણ કરનાર મહાનુભાવ તીર્થકર ભગવત્તની મહાનુ આશાતના કરનારો થાય છે. અને આશાતનાના પરિણામને આશ્રીને યાવતુ અનંત સંસારીપણું મેળવે છે. 4i13-415 હે ગૌતમ ! એવા કેટલાક પ્રાણીઓ હોય છે કે જેઓ સ્ત્રીનો ત્યાગ સારી રીતે કરી શકે છે. મૈથુનને પણ છોડે છે. છતાં તેઓ પરિગ્રહની મમતા છોડી શકતા નથી. સચિત્ત આચિત્ત કે ઉભયયુક્ત ઘણું કે થોડું જેટલા પ્રમાણમાં તેની મમતા રાખે છે. ભોગવટો કરે છે, તેટલા પ્રમાણમાં તે સંગવાળો કહેવાય છે. સંગવાળો પ્રાણી, જ્ઞાનાદિ ત્રણની સાધના કરી શકતો નથી, માટે પરિગ્રહનો ત્યાગ કરવો. [416] હે ગૌતમ ! એવા પણ પ્રાણિઓ હોય છે. કે જેઓ પરિગ્રહનો ત્યાગ કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy