________________ 226 મહાનિસીહ-૧-૪૩ જન્માંતરમાં વિપુલ સંપત્તિ અને ઋદ્ધિ મેળવીને પરંપરાએ શાશ્વત સુખ પામે છે. ૪િ૩-૪૭શલ્ય અથવું અતિચારાદિ દોષોને ઉધ્ધરવાની ઇચ્છાવાળો ભવ્યાત્મા સુપ્રશસ્ત-સારા યોગવાળા શુભ દિવસે સારી તિથિ-કરણ-મુહૂર્ત તેમજ સારા નક્ષત્ર અને બળવાન ચંદ્રનો યોગ હોય ત્યારે ઉપવાસ કે આયંબિલ તપ દશ દિવસ સુધી કરીને આઠસો પંચમંગલ- (મહાગ્રુત સ્કંધ) નો જાપકરવો. તેના ઉપર અઠ્ઠમત્રણ ઉપવાસ કરીને પારણે આયંબિલ કરવું. પારણા દિવસે ચૈત્યજિનાલય અને સાધુઓને વંદન કરવું. સર્વ પ્રકારે આત્માને ક્રોધ રહિત અને ક્ષમાવાળો બનાવવો. જે કાંઈ પણ દુષ્ટ વર્તન કર્યું હોય તે સર્વેનું ત્રિવિધ - મન, વચન અને કાયાથી, નિઃશલ્યભાવથી " મિચ્છામિદુક્કડ” આપવું. 48-50 ફરી પણ ચૈત્યાલયમાં જઇને વિતરાગ પરમાત્માઓની પ્રતિમાઓને એકાગ્ર ભકિતપૂર્ણ હૃદયપૂર્વક દરેકની વંદના-સ્તવના કરે. ચૈત્યોને સમ્યગુ વિધિ સહિત વંદના કરીને છઠ્ઠભકત તપ કરીને ચેત્યાલયમાં આ શ્રુતદેવતા નામક વિદ્યાનો લાખ પ્રમાણ જાપ કરે, સર્વભાવથી ઉપશાંત થયેલો, એકાગ્રચિત્તવાળો, દૃઢ નિશ્ચયવાળો ઉપયોગવાળો. ડામાડોળ ચિત્ત રહિત, રાગ-રતિ-અરતિથી રહિત બની ચૈત્યાલયના પવિત્ર સ્થળમાં વિધિપૂર્વક જપ કરે. [51] (આ સૂત્રમાં મંત્રક્ષરો છે. જેની “ગુર્જર છાયા” થઈ શકે નહીં જિજ્ઞાસુઓએ અમારું માનકુવા, ભાગ- રૂમનë પૃષ્ઠ -પ-જોવું) પ૨] સિદ્ધાંતિઓએ આ વિદ્યા - “સૂત્ર : 51 મો મૂળ અર્ધમાગધીમાં આપેલી મહાવિદ્યા સૈદ્ધાંતિક લીપી-અક્ષરોથી લખેલી છે. શાસ્ત્રના મર્મને ન સમજેલો હોય તેમજ કુશીલવાળો હોય તેવાને ગીતાર્થ કૃતધશે એ આ પ્રવચન વિદ્યા આપવી નહીં કે તેવાને પ્રરૂપવી નહીં. [પ૩ -પપ આ શ્રેષ્ઠ વિદ્યાથી સર્વ પ્રકારે પોતાને અભિમંત્રિત કરીને તે ક્ષમાવાનું ઈન્દ્રિયોને દમન કરનાર અને જિતેન્દ્રય સૂઈ જાય ઊંઘમાં જે શુભ કે અશુભ સ્વપ્ન આવે તેને બરાબર અવધારણ કરે, યાદ રાખે. ત્યાં જેવા પ્રકારનું સ્વપ્ન જોયું હોય તદ્દ અનુસાર શુભ કે અશુભ થાય. જો સુંદર સ્વપ્ન હોય તો આ મહા પરમાર્થ- તત્તત્ત્વ સારભૂત શલ્યોદ્ધાર થાય તેમ સમજવું. પિફ-પ૭] આ રીતે આઠમદને તથા લોકના અગ્રભાગે બિરાજમાન સિદ્ધોને સ્તવતો હોય તેવા નિઃશલ્ય થવાની અભિલાષાવાળા આત્માને શુદ્ધ આલોચના આપવી. પોતાના પાપને આલોચીને, ગુરુ પાસે પ્રગટ કરીને શલ્યરહિત થાય. ત્યાર પછી પણ ચેત્યો અને સાધુઓને વંદન કરીને સાધુઓને વિધિપૂર્વક ખમાવે. પિ૮-૬૨] પાપશલ્યને ખમાવીને ફરી પણ વિધિપૂર્વક દેવ અસુરો સહિત જગતને આનંદ પમાડતો નિર્મુલપણે શલ્યનો ઉદ્ધાર કરે છે. એ પ્રમાણે શલ્યરહિત થઈને સર્વ ભાવથી ફરી પણ વિધિસહિત ચૈત્યોને વાંદે તથા સાધર્મિકોને ખમાવે. ખાસ કરીને જેની સાથે એક ઉપાશ્રય-વસતિમાં વાસ કર્યો હોય. જેની સાથે ગામેગામ વિચય હોય, કઠોર વચનોથી જેઓએ સારણાદિક પ્રેરણા આપી હોય જે કોઈને પણ કાર્ય પ્રસંગ કે કાર્ય સિવાય કઠોર, આકરા, નિષ્ફર વચનો સંભળાવેલ હોય, તેણે પણ સામે કંઇક પ્રત્યુત્તર આપેલ હોય, તે કદાચ જીવતો હોય કે મૃત્યુ પામેલ હોય તેને સર્વ ભાવથી ખમાવે, જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org