________________ 211 દસા-૧૦, સૂત્ર-૧૧૦ ગૃહસ્થપણું છોડી મુંડિત થઈ પ્રવજ્યા લઈ શકતો નથી. પણ શ્રમણો પાસક થઈને.યાવતુ..પ્રાસક- એષણીય અશનાદિ વહોરાવી અનેક વર્ષો સુધી રહે છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન પણ કરી શકે છે. આહાર ત્યાગી આલોચના-પ્રતિક્રમણ કરી સોધિ પણ પામે છે. યાવતુ...દેવલોકમાં પણ જાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન શલ્ય નો આ પાપરૂપ વિપાક છે. કે તે ગૃહસ્થ પણું છોડી સર્વથા મંડિત થઈ અણગાર થઈ પ્રવજ્યા સ્વીકારી શકતો નથી. (એ આઠમું નિયાણું) [૧૧૧]હે આયુષ્યમાનું શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલું છે...યાવતું .. (પૂર્વ કહેલા નિયાણ ના સ્વરૂપ મુજબ જાણવું માનુષિક દિવ્ય કામભોગભવ પરંપરા વધારનારા છે. જો મારા સુચરિત તપ- નિયમ-બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં અંત-પ્રાંત-તુચ્છ-દરિદ્ર-કૃપણ કે ભિક્ષુકુળમાં પુરુષ બનું જેથી પ્રવજિત થવા માટે સુવિધાપૂર્વક ગૃહસ્થી છોડી શકું. ' હે આયુષ્યમાનું શ્રમણ ! નિર્ચન્હ નિર્મન્થી નિદાન શલ્ય પાપની. આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય (બાકીનું વર્ણન પૂર્વવતુ જાણવું) ...તે ગૃહસ્થ પણું છોડી. મુંડિત થઈ, અંગાર પ્રવજ્યાસ્વીકારી શકે છે પણ તે જ ભવે સિદ્ધ થઈ સર્વ દુઃખો નો અંત કરી શકતો નથી, તે અણગાર ઈયસમિતિ...યાવતુ...બ્રહ્મચર્યનું પાલન કરે છે, એ રીતે અનેક વર્ષો સુધી શ્રમણ જીવન વિતાવે છે. ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન કરી શકે છે. યાવત્...દેવલોકમાં દેવ થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન શલ્યનું આ ફળ છે કે તે ભવમાં તે સિદ્ધ-બુદ્ધથઈ બધાં દુઃખોનો અંત કરી શકતા નથી. (એ નવમું નિયાણું) -- * [112] હે આયુષ્યમાન્ શ્રમણો ! મે ધર્મનું પ્રતિપાદન કરેલું છે. આ નિર્ચન્ય પ્રવચન સત્ય છે.યાવતુ તપ-સંયમની ઉગ્ર સાધના કરતી વેળા તે નિર્ચન્થ સર્વ-કામ,રાગ, સંગ, સ્નેહ થી વિરક્ત થઈ જાય, સર્વ ચારિત્ર પરિવૃદ્ધ થાય ત્યારે અનુત્તર જ્ઞાન, અનુત્તરદર્શન યાવતુ પરિનિવણ માર્ગમાં આત્માને ભાવિત કરીને અનંત, અનુત્તર, આવરણ રહિત, સંપૂર્ણ પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તે સમયે તે અરહંત, ભગવંત, જિન, કેવલિ, સર્વજ્ઞ, સર્વદર્શી થાય છે, દેવ મનુષ્યની પર્ષદામાં ધર્મ દેશના દેતા..યાવત્..... અનેક વર્ષોનો કેવલિ પયય પાળી, આયુષ્યની અંતિમ ક્ષણો જાણી ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. અનેક દિવસ સુધી આહાર ત્યાગ કરી અનશન કરે છે. અંતિઃ શ્વાસોચ્છવાસે સિદ્ધ થઈ યાવતુ સર્વદુખોનો અંત કરે છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન રહિત કલ્યાણ કારક સાધનામય જીવનનું આ ફળ છે. કે તે એ જ ભવે સિદ્ધ થઈ...યાવતુ...સર્વદુઃખોનો અંત કરે છે. [113 તે સમયે અનેક નિર્મન્થ-નિર્મન્થીઓએ શ્રમણ ભગવાન મહાવીર પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો. પૂર્વકતુ નિદાન શલ્યોની આલોચના પ્રતિક્રમણ કરીયાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ સ્વરૂપ તપ સ્વીકાર્યું [૧૧]તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહ નગરની બહાર ગુણશીલચેત્યમાં એકત્રિત દેવમનુષ્ય આદિ પર્ષદા મધ્યે અનેક શ્રમણ-શ્રમણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org