________________ ઉસો-૨, સૂત્ર-૧૧૪ વસતિની બહાર પોતે લઈ જાય, બીજાને લઈ જવા પ્રેરે કે લઈ જનારની અનુમોદના કરે [114-116] જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક એટલે પાછું આપવા યોગ્ય કે શય્યાતર આદિ ગૃહસ્થ પાસેથી લાવેલ કે બંને પ્રકારના શવ્યાસંથારો (વગેરે) જેવી રીતે લાવેલ હોય તેવી જ રીતે પાછો ન આપે.- વ્યવસ્થિત કર્યા સિવાય, પાછો આપ્યા સિવાય વિહાર કરે, ખોવાઈ જાય તો શોધે નહીં ત્યારે પ્રાયશ્ચિતુ. [117] જે સાધુ-સાધ્વી અલ્પ કે થોડા પ્રમાણ માં પણ ઉપધિ-વસ્ત્ર નું પડિલેહણ ન કરે, ન કરાવે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. અહીં બીજા ઉસકમાં જે દોષ કહ્યા તેમાંનો કોઈ પણ દોષ સ્વયં સેવે, સેવરાવે કે અનુમોદના કરે તો તેને મણ દાઠા પરિવું પ્રાયશ્ચિત્ આવે જેને માટે લઘુ માસિક પ્રાયશ્ચિત શબ્દ પણ પ્રયોજાયેલ છે. - બીજા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ થઈ. (ઉદ્દેશો-૩) ‘નિસીહ” સૂત્રના આ ત્રીજા ઉદેશામાં 118 થી 196 એ રીતે કુલ 79 સૂત્રો છે. જેમાં દર્શાવેલ દોષ માં ના કોઈ પણ દોષનું ત્રિવિધ સેવન કરનારને ૩થતિ નામનું પ્રાયશ્ચિત્ આવે જેને લધુમાસિક પ્રાયશ્ચિત્ તરીકે પણ ઓળખાવાય છે. [118-129] જે સાધુ-સાધ્વી ધર્મશાળા, ઉપવન, ગાથાપતિનું કુળ કે તાપસ ના નિવાસ સ્થાન માં રહેલ અન્ય તીર્થિક કે ગૃહસ્થ એવા કોઈ એક પુરષ- અનેક પુરુષો . એક સ્ત્રી,... અનેક સ્ત્રીઓ પાસે ૧-દીનતા પૂવર્ક (ઓભાઈ , ઓબહેન, મેને કોઈક આપે એ રીતે 2- કુતુહૂલપૂર્વક, 3- એક વખત સામેથી લાવીને આપે ત્યારે પહેલા “ના” કહે, પછી તેની પાછળ પાછળ જઈને કે આગળ પાછળ તેમની પાસે ઉભા રહીને કે બોલ-બોલ કરીને (જેમકે - ઠીક છે હવે તું લાવ્યો છે તો. લઈ લઈએ એવું બોલવું) આ ત્રણ માંથી કોઈ પણ રીતે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ. ચાર પ્રકારના આહારમાંથી કંઈ પણ યાચના કરે કે માંગ-માંગ કરે, યાચના કરાવે કે તે રીતે યાચના કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [13] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કુળમાં અશન-પાન આદિ આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રવેશ કરે અથતુ ભિક્ષા માટે જાય ત્યારે ગૃહસ્વામી નિષેધ કરે તો પણ બીજી વખત તેના કુળ-ઘરમાં આજ્ઞા લીધા સીવાય પ્રવેશ કરે, કરાવે, કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [131] જે સાધુ-સાધ્વી સંખડી અર્થાતુ જ્યાં અનેક લોકો ભોજન માટે ભેગા થયા હોય એટલે કે જમણવાર હોય (છકાયજીવ વિરાધનાનો વિશેષ સંભવ હોવાથી) તે સ્થળે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ને લેવા માટે જાય- ભિક્ષાર્થે જાય, બીજાને મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [132] જે સાધુ-સાધ્વી ગૃહસ્થકુળ-ઘરમાં ભિક્ષાર્થે જાય ત્યારે ત્રણ ધર(ઓરડા) કરતા વધુ દૂરથી લાવેલા અસન, પાન, ખાદિમ, સ્વાદિમ આપે (વહોરા) ત્યારે જે કોઈ તે અશનાદિક ગ્રહણ કરે, કરાવે. કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [133-138] સાધુ-સાધ્વી પોતાના પગ ને (મેલનિવારવા કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org