SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 114 નિસીહ-૨ 103 અનેકવિધ આહાર આદિ લાવીને વાપરે. (ખાય-પીવે) પછી વધારાનો આહાર, નજીકમાં રહેલા જેની સાથે માંડલિ વ્યવહાર હોય તેવા, નિરતિચાર ચારિત્રવાળા સમનોજ્ઞ સાધર્મિક (સાધુ-સાધ્વી ) ને પુછયા વિના, નિમંત્રણ આપ્યા સિવાય પરઠવે. પરઠવાવે કે પરઠવનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. [104-105) જે સાધુ-સાધ્વી સાગારિક અર્થાતુ સજ્જાત્તર એટલે કે વસતિનો અધિપતિ કે સ્થાન દાતા ગૃહસ્થ, તેનો આવેલો આહાર વગેરે ગ્રહણ કરે,.. તેમજ વાપરે, આ કાર્ય પોતે કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૦]જે સાધુ-સાધ્વી સાગારિક એટલે કે સજ્જાસ્તર ના કુળ ઘર વગેરેની જાણકારી સિવાય, પહેલાં જોયેલા ઘર હોય તો પુછીને નિર્ણય કર્યા સિવાય અને ન જોયેલા ઘર હોય ત્યારે તે ઘરની ગવેષણા- શોધ કર્યા સિવાય એ રીતે જાણ્યા, પડ્યા કે ગવેષણા કર્યા વિના જ આહાર ગ્રહણ કરવા માટે તે કુળ- ઘરોમાં પ્રવેશ કરે- કરાવે-અનુમોદે કે તો પ્રાયશ્ચિતુ. [107] જે સાધુ-સાધ્વી શ્રાવક ના પરિચય રૂપ નિશ્રાનો આશરો લઈ અસન, પાન ખાદિમ, સ્વાદિમ રૂપ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર, વિશિષ્ટ વચનો બોલીને યાચના કરે, કરાવે, કે અનુમોદે. તો પ્રાયશ્ચિતુ. અહીં નિશ્રા એટલે પરિચય અર્થ કર્યો. જેમાં પૂર્વનોકે પછીના કોઈ સંબંધને નિમિત્ત બનાવી. સ્વજનોની ઓળખ આપી તે દ્વારા કંઈ પણ યાચના કરવી. 108] જે સાધુ-સાધ્વી ઋતુબદ્ધકાળ સંબંધિ શવ્યા, સંથારો, (વગેરે) નું પર્યુષણ પછી (એટલે કે ચાતુર્માસ પછીના શીયાળો- ઉનાળો વગેરે) શેષકાળમાં ઉલ્લંઘન કરે અથતુ શેષકાળ માટે યાચના કરેલ શય્યા-સંથારો- પાર-પાટલા વગેરે તેની સમય મર્યાદા પૂરી થયા પછી પણ (પર્યુષણા પછી પણ) વાપરે વપરાવે કે વાપરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. અહીં સંવત્સરી થી 70 દિવસના કલ્પને આશ્રીને જણાવેલ છે. એટલે સંવત્સરી પૂર્વે વિહાર ચાલુ હોય પણ પર્યુષણા થી 70 દિવસની સ્થિરતા કરવાની હોવાથી તેની પહેલાં ગ્રહણ કરેલ શય્યા સંથારો પરત કરવો તેવો અર્થ થાય. પરંતુ વર્તમાનકાળની પ્રણાલિ મુજબ એવો અર્થ થઈ શકે કે શેષકાળ અથતુ શિયાળાઉનાળામાં ગ્રહણ કરેલ શવ્યા વગેરે ચોમાસા પહેલાં તેના ઘતા ને પરત કરવા અથવા પુનઃ ઉપયોગ માટે આજ્ઞા માંગવી. [૧૯]જે સાધુ-સાધ્વી વષકાળ માં ઉપભોગ કરવા માટે લાવેલ શવ્યાસંથારો, વષકાળ વીત્યા પછી કારણે દશ રાત્રિ સુધી ઉપભોગ કરી શકે, પણ તે સમય મર્યાદા નું ઉલ્લંઘન કરે. કરાવે. અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [11] જે સાધુ-સાધ્વી વર્ષાકાળ કે શેષકાળ માટે યાચના કરીને લાવેલ શવ્યા સંથારો વર્ષો થી ભિંથયેલો જોયા- જાણ્યા છતાં તેને ખુલ્લો ન કરે, પ્રસારીને સુકાઈ જાય તે રીતે ન રાખે, ન રખાવે કે એ રીતે શય્યાદિ ખુલ્લા ન કરનારની અનુમોદના કરે. [111-113 જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક એટલે કે શ્રાવક પાસેથી પાછું આપવાનું કહીને લાવેલ.. સાગરિક એટલે કે શય્યાતર આદિ ગૃહસ્થ પાસેથી લાવેલ શા-સંથારો કે બંને પ્રકારે શય્યાદિ બીજી વખત આજ્ઞા લીધા સિવાય બીજે સ્થાને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005096
Book TitleAgam Deep 34 Nisihim Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages53
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy