SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 282 નિરયાવલિયાણું-૧/૧૮ સ્થાપન કર્યું. ત્યારપછી, તે બન્ને રાજાએ રણભૂમિને સજ્જ કરાવી, સજ્જ કરાવીને રણભૂમિમાં ગયા. ત્યારપછી તે કૃષિકરાજાએ તેત્રીશ હજાર હાથીવિગેરે યાવતું તેત્રીશ કોટિ મનુષ્યોનું ગળ્યુહ રચ્યું. રચીને તે ગરુડધૂતવડે રથમુશલ સંગ્રામમાં ઉતર્યોઆવ્યો. ત્યાર પછી તે ચેટકરાજાએ સત્તાવન હજાર હાથી વિગેરે યાવતુ સત્તાવન કોટિ મનુષ્યોવડે શકટયૂહ રચ્યું. રચૂને શકટયૂહરડે રથમુશલ સંગ્રામમાં આવ્યા. ત્યાર પછી તે બન્ને રાજાના સૈનિકો બઝર પહેરી તૈયાર થયા. યાવતુ તેઓએ આયુઘ અને પ્રહરણ ગ્રહણ કર્યા, ફલાંને હસ્તપાશરુપ કય, ખડુંગને મ્યાનમાંથી બહાર ખેંચ્યાં, ભાથા ને ખભાઉપર લટકાવ્યાં, ધનુષને પ્રત્યંચા સહિત કર્યા બાણોને ભાથામાંથી બહાર ખંચ્યાં, બરછી વિગેરેને ઉછાલવા લાગ્યા, સાથળે બાંધેલા ઘુઘરાને દૂર કર્યા, શીધ્રપણે વાજિત્રોને વગાડવા લાગ્યા, મોટા ઉત્કૃષ્ટ સિંહનાદ જેવા શબ્દો અને કલકલ શબ્દો કરવા લાગ્યા તેથી જાણે કે તેઓ સમુદ્રની જેવી ગર્જના કરતા હોય તેમ સર્વ સમૃદ્ધિ સહિત યાવતુ વાજિત્રના શબ્દ સહિત અશ્વારો સાથે, હાથીના સ્વારોની સાથે, રથિકો. રથિકોની સાથે અને પત્તિઓની સાથે એમ પરસ્પર એક બીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી તે બન્ને રાજાના સૈનિકો પોતાના સ્વામીની આજ્ઞામાં રક્ત હોવાથી - મોટા જનક્ષયને કરતા, જનોના વધને કરતા, જનોના મદનને કરતા, લોકોના સંવર્તક વાયુની જેમ એટલે સંવર્તક વાયુ જેમ ચોતરફથી વસ્તુને એકત્ર કરે તેમ લોકોને ઉપરા ઉપરિ એકત્ર કરતા, નૃત્ય કરતા કબંધ વડે અને હાથમાંથી પડી ગયેલા વાર વડે રણભૂ મિને ભયંકર કરતા તથા રુધિરના કાદવને કરતા સતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી તે કાલકુમાર ત્રણ હજાર હાથી સહિત યાવતુ ત્રણ કોટિ મનુષ્ય સહિત ગરુડયૂહ વડે પોતાના અગ્યારમા ભાગના સૈન્યવડ કુણિકરાજાની સાથે રહીને રથયું શલ સંગ્રામ માં યુદ્ધ કરતો હણાયો, મથન કરાયો, જેમ ભગવાને કાલીદેવીને કહ્યું હતું તેમ સર્વ કહેવું યાવતુ તે જીવિતથી દૂર થયો. તો આ પ્રમાણે નિશે હે ગૌતમ! કાલ કુમાર આવા પ્રકારના આરંભે કરીને વાવતું આવા પ્રકારના અશુભ એવા કરેલા કર્મના સમૂહે કરીને કાલ. સમયે મરણ પામીને ચોથી પંકપ્રભા નામની નરકની પૃથ્વીમાં હેમાભ નામના નરકા વાસમાં નારકીપણે ઉત્પન્ન થયો. [19] “હે ભગવાન! કાલકુમાર ચોથી પૃથ્વીથી આંતરા રહિત ઉદ્વરીને નીકળીને ક્યાં જશે? અને ક્યાં ઉત્પન્ન થશે?” “હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જે ઉંચા ધનાઢ્યનાં કુળો છે ત્યાં ઉત્પન્ન થશે વિગેરે દ્દઢપ્રતિજ્ઞની જેમ કહેવું. યાવતુ દીક્ષા લઈને સિદ્ધ થશે, બૂદ્ધ થશે. વાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર | (અધ્યયન-ર-સુકાલ) [૨૦]“જો હે ભગવાન ! શ્રમણ ભગવાન યાવતુ મોક્ષને પામેલા શ્રી મહાવીર સ્વીમીએ નિયાવલિકાના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન! બીજા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે? “આ પ્રમાણે નિશે હે જબૂ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કૂણિક નામે રાજા હતો. તેને પદ્માવતી નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાય કુટિરાજાની માતા સુકાલી નામની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy