SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન 281 રહિત વચ્ચે વચ્ચે નિવાસ કરતો કરતો અંગદેશની મધ્યે થઈને જ્યાં વિદેહ દેશ હતો અને જ્યાં વૈશાલી નગરી હતી ત્યાં જવા નીકળ્યો-ગયો. ત્યાર પછી તે ચેટકરાજાએ આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે નવ મલકી જાતિના. અને નવ લેચ્છ કિી જાતિના કાશીદેશ અને કોશલદેશના અઢારે ગણરાજાઓને બોલા વ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું -" નિશે હે દેવાનુપ્રિયો ! વિહલ્લકુમાર કૃષિકરાજાને જણાવ્યા વિના સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને લઈને અહીં શીધ આવ્યો છે. ત્યારપછી કૂકિરાજાએ સેચનક ગંધહસ્તી અને અઢાર સરના હારને માટે મારી પાસે ત્રણ દૂતો મોકલ્યા. તેઓને મેં આ કારણે એટલે તુલ્ય નાત્રકના સંબંધને કારણે નિષેધ કર્યો છે. તેથી તે કણિ કરાજા મારા આ અર્થને અંગીકાર નહીં કરીને ચતુરંગી સેનાની સાથે પરિ વય સતો યુદ્ધ કરવા સજ્જ થઈ અહીં શીધ્રપણે આવે છે. તો શું છે દેવાનુપ્રિયો ! મેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપણે કણિકરાજાને પાછો આપશું? અને વિહલ્લ કુમારને મોકલશું? કે તેની સાથે યુદ્ધ કરશું?” ત્યારપછી નવ મલ્લકી જાતિના અને નવ લેચ્છકી જાતિના કાશીદેશના અને કોશલ દેશના અઢાર ગણરાજાઓએ ચેટકરાજાને આ પ્રમાણે કહ્યું કે-“હે સ્વામી ! આ વાત મુક્ત નથી, પ્રતીતિવાળી. નથી અને રાજાને દેશ પણ નથી કે સેચનક ગંધહસ્તી. અને અઢાર સરનો હાર કૂણિકરાજાને મોકલવો, અને શરણે આવેલા વિહલ્લકુમારને મોકલવો. તો જો કૃષિકરાજ ચતુરંગી સેના સાથે પરિ વર્યો હતો યુદ્ધ કરવા સજ્જ થઈ અહીં શીધ્રપણે આવે છે તો અમે કૂકિરાજાની સાથે યુદ્ધ કરશે. ત્યારપછી તે ચેટક રાજાએ તે નવ મલકી જાતિના અને નવ લેચ્છકી જાતિના કાશી અને કોશલ દેશના અઢારે ગણરાજાઓને આ પ્રમાણે કહ્યું-“ જો હે દેવાનુપ્રિયો ! તમે કૂણિકરાજાની સાથે યુદ્ધ કરવાના હો તો હે દેવાનુપ્રિયો ! તમે તમારા પોતપોતાના રાજ્યમાં જાઓ, અને સ્નાન વિગેરે કરી કાલાદિક કુમાર જેમ કણિકરાજા પાસે ગયા તેમ તમે મારી પાસે. તૈયાર થઈને આવો.” ત્યારે તેઓએ પણ તે જ પ્રમાણે આવી યાવત્ ચેટકરાજાને જય અને વિજયવડે વધાવ્યા. ત્યારપછી તે ચેટકરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું અભિષેક કરેલા હાથીને તૈયાર કરીને લાવો વિગેરે સર્વ કણિકની જેમ કહેવું. યાવતુ તે હાથીપર ચડ્યા. ત્યારપછી તે ચેટકરાજા ત્રણ હજાર હાથી સહિત કૂણિકની જેમ થાવત વૈશાલીનગરીના મધ્ય ભાગે થઈને નીકળ્યા; નીકળીને જ્યાં તે નવ મલ્લકી, જાતિ ના અને નવ લેચ્છકી જાતિના કાશી અને કોશલ દેશ ના અઢારે ગણરાજાઓ હતા ત્યાં આવ્યા. ત્યારપછી તે ચેટકરાજા સત્તાવન હજાર હાથી, સત્તાવન હજાર ઘોડા, સત્તાવન હજાર રથ અને સત્તાવન કોટિ મનુષ્યની સાથે પરિવર્યા સતા સર્વ સમૃદ્ધવડે યાવતુ વાજિત્રના શબ્દવડે શુભ એવા નિવાસસ્થાન અને ભોજન કરતા કરતા ઘણા લાંબા પ્રયાણ વિના આંતરે આંતરે નિવાસ કરતા કરતા વિદેહ દેશના મધ્ય ભાગે થઈને જ્યાં દેશનો છેડોહતો ત્યાં આવ્યા.આવીને અંધાવાર સ્થાપન કર્યો. કરીને કૂણિકરાજાની રાહ જોતા યુદ્ધમાં સજ્જ થઈને રહ્યા. ત્યારપછી તે કૂકિરાજા સર્વ સમૃદ્ધિ સહિત યાવતું વાજિત્રના શબ્દ સહિત જ્યાં તેના દેશનો છેડો હતો ત્યાં આવ્યો. આવીને ચેટકરાજાથી એક યોજન દૂર અંધાવારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy