SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧ 29 શ્રીમહાવીરસ્વામીએ નિરયાવલિકા ઉપાંગના પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યાં છે, તો હે ભગવાન! નિયાવલિકાના પહેલા અધ્યયનનો કયો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાલે તે સમયે આ જ જંબુદ્વીપ નામના દ્વીપને વિશે ભરત ક્ષેત્રમાં ચંપા નામની નગરી હતી. તે સદ્વિવાળી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું.તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલ્લા દેવીનો આત્મજ કોણીક નામનો રાજા હતો. તે મોટો વિગેરે વિશેષણવાળો હતો. તે કોણીક રાજાને પદ્માવતી નામની દેવી (રાણી) હતી. તે સુકુમાલ હતી ઈત્યાદિ કહેવું. તે સુખે સુખે વિચરતી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીક રાજા ની ભાય અને કોણીક રાજાની નાની માતા કાલી નામની દેવી હતી. તેના હાથ પગ કોમલ હતા યાવતું તે સુંદર રુપવાળી હતી. [9]તે કાલીદેવીનો પુત્ર કાલ નામનો કુમાર હતો, તે કોમલ હાથપગવાળો વાવતું સારા રુપવાળો હતો. ત્યારપછી તે કાલકુમાર એકદા કદાચિત્ ત્રણ હજાર હાથી, ત્રણ હજાર રથ, ત્રણ હજાર અશ્વ અને ત્રણ કરોડ મનુષ્ય વડે ગરુડયૂહ રચીને પોતાના અગ્યારમા ભાગના સૈન્યવડે કૂણિક રાજાની સાથે રથમુશલ સંગ્રામમાં ઉતર્યો. [7] અહીં ચંપાનગરીમાં રહેલી કાલકુમારની માતા કાલીદવી એકદા કદાચિતુ કુટુંબજાગરણવડે જાગતી હતી. તે વખતે તેણીને આ આવા પ્રકારનો આધ્યાત્મિક વિચાર) યાવતુ ઉત્પન્ન થયો કે આ પ્રમાણે નિર્ચે મારો પુત્ર કાલ કુમાર યાવતુ યુદ્ધમાં ઉતર્યો છે, તો હું માનું છું કે-શું તે જીતશે એટલે જયની પ્લાધા પામશે કે નહીં જીતે? જીવશે કે નહીં જીવે? પરસૈન્યનો પરાભવ કરશે કે નહીં કરે ? કાલ નામના કુમારને હું જીવતો ઈશ કે નહીં જોઉં ? આ પ્રમાણે વિચરતાં તેણીના મનનો સંકલ્પ એટલે યુક્ત અયુક્તનો વિવેક હણાઈ ગયો, યાવતુ તે ધ્યાન કરવા લાગી. તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં સમવસય તેમને વાંદવા માટે નગરીમાંથી પર્ષદા નીકલી. તે વખતે કાલીદેવીએઆવાત જાણી ત્યારે આ આવા પ્રકારનો આધ્યાત્મિક એટલે આત્મા ના વિષયવાળો યાવતું વિચાર ઉત્પન્ન થયો- “નિએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પૂર્વનુપૂર્વીએ- વિહાર કરતા અહીં પધાર્યા છે યાવતુ નગર બહાર રહેલા છે. તો તેવા. પ્રકારના ભગવાનનું નામ શ્રવણ કરવાથી પણ મહાફલ છે તો પછી યાવતુ તેમની પાસેથી વિપુલ અર્થને ગ્રહણ કરવાથી મહાલ થાય તેમાં શું કહેવું ? તેથી કરીને હું તે શ્રમણ ભગવાન પાસે જઈ તેમને વાંદી યાવતુ તેમની પર્યપાસના કરું. અને આ આવા પ્રકારના મારા પ્રશ્નને હું પૂછું.' એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો! અશ્વ જોડેલું શ્રેષ્ઠ ધર્મ સંબંધી વાહન શીધ્ર પણે લાવો. લાવીને વાવતું મારી આજ્ઞા પાછી આપો. તેઓએ પણ તેમ કર્યું. ત્યારપછી તે કાલી દેવીએ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી બલિકર્મ કર્યું. યવત થોડા અને મોટા મૂલ્યવાળા અલંકરો વડે શરીરને અલંકૃત કર્યું. પછી ઘણી કુબડી દાસીઓ વડે યાવતું મહત્તરાના સમૂહવડે પરિવરી અંતઃપુરથી બહાર નીકળી; જયાં બહારની ઉપસ્થાનશાલા હતી અને જ્યાં શ્રેષ્ઠ ધાર્મિક યાન હતું ત્યાં આવી, આવીને તે શ્રેષ્ઠ ધાર્મિક યાન ઉપર આરુઢ થઈ, આરુઢ થઈને પોતાના પરિવાર વડે પરિવરેલી તે ચંપાનગરીના મધ્યભાગે થઈને નીકલી જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવીને ભગવાનના છત્રાદિક યાવતુ અતિશયો દેખીને તે શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy