SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ [68] नमो नमो निम्मल राणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ stances નિરયાવલિયાણ ઉવંગ-૮-ગુર્જરછાયા - (-અધ્યયન-૧-કાલી:-) . [1] મૃતદેવતાને નમસ્કાર થાઓ. તે કાલે તે સમયે રાજગૃહ નામનું ઋધિમંત નગર હતું. તે રાજગૃહનગરની બહાર ઈશાનખૂણામાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં એક અશોક નામનું શ્રેષ્ઠ વૃક્ષ હતું. તેની નીચે પૃથ્વીશિલાપટ્ટક હતું. ૨તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય આર્યસુધમાં નામના અનગાર જાતિયુક્ત કેશી ગણધરની જેવા. પાંચશો અનગારની સાથે એક ગામથી બીજે ગામ અનુક્રમે વિચરતા રાજગૃહનગર આવ્યા, યાવતું યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમવર્ડ યાવતું આત્માને ભાવતા રહ્યા. પર્ષદા વાંદવા માટે નીકળી. ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. [૩]તે કાલે તે સમયે આર્યસુધમાં અનગારના શિષ્ય જંબૂ નામના અનગાર સમચતુરસ્ત્ર સંસ્થાનમાં રહેલા યાવતુ જેમણે વિપુલ તેજલેશ્યાનો સંક્ષેપ કર્યો છે એવા તે આર્ય સુધમ અનગારની અતિ દૂર નહીં તેમ જ અતિ સમીપે નહીં એવા સ્થાનમાં ઉંચા ઢીંચણ રાખીને વાવતું રહ્યા હતા-બેઠા હતા. ૪]ત્યારપછી તે ભગવાન જંબૂસ્વામી પૂછવાની શ્રદ્ધાવાળા યાવતુ સેવા કરતા સતા આ પ્રમાણે બોલ્યા કે-હે ભગવાન ! શ્રમણ ભગવાન યાવતુ મોક્ષને પામેલા શ્રી મહાવીરસ્વામીએ ઉપાંગોનો શો અર્થ કહ્યો છે? નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ ઉપાંગોના પાંચ વર્ગ કહ્યા છે, નિરયાવલિકા, કલ્પાંવતંસિકા, પુષ્પિક, પુષ્પચૂલિકા વલિંદશા. [પહે ભગવાન ! જો શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ ઉપાંગોના પાંચ વર્ગો કહેલા છે, નિરયાવલિકા યાવતું વહિંદશા. તો હે ભગવાન ! પહેલા વર્ગપ નિરયાવલિકા ઉપાંગના કેટલાં અધ્યયનો કહ્યાં છે ? આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ. પહેલા વરુપ નિરયાવલિકા ઉપાંગના દશ અધ્યયનો કહેલાં છે. કાલ 1, સુકાલ 2, મહાકાલ 3, કૃષ્ણ 4, સુકૃષ્ણ 5, મહાકણ 6, વિરકૃષ્ણ 7, રામકૃષ્ણ 8, પિતૃસેનકૃષ્ણ 9, મહાન કૃષ્ણ 10, હે ભગવાન ! શ્રમણ ભગવાન યાવત્ સિદ્ધિપદને પામેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy