________________ પન્નવણા - 6-332 સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તેઈદ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે જાણવું.સંમૂર્ણિમપંચેન્દ્રિય તિર્યંચો,ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંમૂર્ણિમ મનુષ્યો, વન્તર, જ્યોતિષિક, સૌધર્મ,યાવતુ અને સહસ્ત્રાર કલ્પના દેવો નૈરયિકોની પેઠે જાણવા. ગર્ભજ . મનુષ્યો, આનત, પ્રાણત, અનુત્તરોપપાતિક દેવો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા ઉત્પન્ન થાય છે, પણ અસંખ્યાતા ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! સિદ્ધો એક સમયે કેટલા સિદ્ધ થાય છે? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી એકસો આઠ સિદ્ધ થાય છે. [333 હે ભગવાન! નૈરયિકો એક સમયે કેટલા ઉદ્વર્તે છે મરણ પામે છે ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા મરણ પામે છે. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો તેમ ઉદ્વર્તના પણ સિદ્ધ સિવાય યાવતુ અનુત્તરીપપાતિક સુધી કહેવી. પરન્તુ જ્યોતિર્ષિક અને વૈમાનિકોને ચ્યવન વડે પાઠ કહેવો. [334] હે ભગવન્! નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! નૈરયિકો નરકથી આવી ઉત્પન્ન થતા નથી, તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે, મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે, દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. જો તિર્યંચયોનિ કોથી આવી ઉત્પન્ન થાય તો કયા તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન થતા નથી, પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે. જો પંચેન્દ્રિય તિર્યંચયોનિ કોથી આવી ઉત્પન્ન થાય તો કયા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય,? હે ગૌતમ ! જલચર, સ્થલચર અને ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય. જો જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છાિમ થી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! સંભૂઠ્ઠિમ અને ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચીથી આવી ઉત્પન થાય. જો સંમૂર્છાિમ જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત કે અપર્યાપ્ત સંમૂચ્છિમથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્ત સંમૂર્છાિમ જલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત સંમૂર્શિમ જલ ચરથી આવી ન ઉત્પન્ન થાય. જો ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચીથી આવી ઉત્પન થાય તો શું પયપ્ત કે અપર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ન ઉત્પન્ન થાય. જો સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય કે પરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય અને પરિસર્પ સ્થલચરથી પણ આવી ઉત્પન્ન થાય. જો ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂછિમથી આવી ઉત્પન થાય કે ગર્ભજથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બંને થી. જો સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! પર્યાપ્ત સંમૂછિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચથી આવી ઉત્પન્ન થાય તો સંખ્યાતા વરસના અસંખ્યાત વરસના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org