SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-ક 269 અપરાજિત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ. સવર્થસિદ્ધ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ. હે ભગવન્! સિદ્ધો કેટલા કાળ સુધી સિદ્ધિ વડે વિરહિત છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ. [329) રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉદ્વર્તના-મરણ રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત. એ પ્રમાણે સિદ્ધ સિવાય બાકીના જીવોની ઉદ્ધતના યાવતુ અનુત્તરીપપાતિક સુધી કહેવી. યાવતુજ્યોતિષિક અને વૈમાનિકોને ઉદ્ધતનના બદલે ચ્યવન સંબન્ધ પાઠ કહેવો. ૩૩]હે ભગવર્નરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! બંને રીતે. છે. હે ભગવન્! તિર્યંચયનિકો સાન્તર ઉપજે છે કે નિરન્તર ઉપજે છે? હે ગૌતમ! બંને રીતે. હે ભગવન્! મનુષ્યો સાન્તર ઉપજે છે કે નિરન્તર ઉપજે છે? હે ગૌતમ! બંને રીતે. હે ભગવન્! દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ બંને રીતે હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ? બંને રીતે, એ પ્રમાણે યાવતું અધઃ સપ્તમ પૃથિવી સુધી જાણવું. હે ભગવન્! અસુરકુમાર દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ!બંને રીતે. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવી કાયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! સાન્તર ઉત્પન્ન થતા નથી, પણ નિરંતર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્! બેઇન્દ્રિયો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! બંને રીતે. એ પ્રમાણે વાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી જાણવું.એ પ્રમાણે વ્યન્તર, જ્યોતિષિક, ઈશાન, સનકુમાર યાવતુ સર્વાર્થસિદ્ધ દેવો સાન્તર પણ ઉપજે અને નિરંતર પણ ઉપજે. હે ભગવન્ સિદ્ધો સાન્તર સિદ્ધ થાય છે કે નિરંતર સિદ્ધ થાય છે? હે ગૌતમ! સાન્તર પણ સિદ્ધ થાય છે અને નિરંતર પણ સિદ્ધ થાય છે. 3i31 હે ભગવાનૈરયિકો સાન્તર ઉદ્ધર્તે છે-મરણ પામે છે કે નિરંતર ઉદ્વર્તે છે? હે ગૌતમ ! સાન્તર પણ ઉદ્ધતું છે અને નિરંતર પણ ઉદ્ધર્તે છે. એ પ્રમાણે જેમ ઉપપાત. કહ્યો તેમ ઉદ્ધતના પણ સિદ્ધ સિવાય યાવતુ વૈમાનિકો સુધી કહેવી. પરન્તુ જ્યોતિષિક અને વૈમાનિકો વિષે ચ્યવન સંબન્ધ પાઠ કહેવો. [332] હે ભગવન્! મૈરયિકો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ અધસપ્તમ પૃથિવી સુધી જાણવું. હે ભગવન્! અસુરકુમારો એક સમય માં કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી. એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે નાગકુમારો યાવતુ અનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ ! પ્રતિસમય અવિરહિતપણે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ વાયુકાયિક સુધી જાણવું. હે ભગવન્! વનસ્પતિકાલિકો એક કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ! અસ્થાન સંબંધી ઉપપાતને આશ્રયી પ્રતિસમય નિરંતર અનન્તા ઉત્પન્ન થાય છે પરસ્થાન સંબંધી ઉપપાતને આશ્રયી નિરન્તરઅસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હે ભગવન્! બેઈન્દ્રિયો એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy