SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૫ વર્ણવાળા સંબધે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે જેમ કાળાવણ પાયિોની વક્તવ્યતા કહી તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વક્તવ્યતા કહેવી, વાવતું - મધ્યમરુક્ષ સ્વસ્થાનને આશ્રયી છસ્થાનપતિત હોય છે. એમ અજીવપાયો કહ્યા. પદઃ૫ની દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ વ્યુત્કાતિ) [૩રબારમુહૂર્ત અને ચોવીશમુહૂર્તનો ઉપપાત અને ઉદ્વર્તના-મરણને આશ્રયી. વિરહમાળ, સાન્તર ઉત્પન્ન થાય કે નિરંતર ઉત્પન્ન થાય? એકસમયમાં કેટલા ઉપજે અને મરણ પામે, ક્યાંથી આવીને ઉપજે? ઉદ્વર્તન પામીને ક્યાં ઉત્પન્ન થાય ? પરમ વિકાયુષ ક્યારે બંધાય? અને આયુષના બંધ સંબંધે આઠ આકર્ષો-એ આ છઠ્ઠા પદમાં કહેવાના છે. 327] હે ભગવન્! નરકગતિ કેટલા કાળ સુધી નારક જીવોની ઉત્પત્તિ રહિત કહેલી છે ? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. હે ભગવન્! તિર્યંચગતિ કેટલા કાળ સુધી જીવની ઉત્પત્તિ રહિત કહેલી છે ? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત. હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત છે. દેવગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત. હે ભગવન્! સિદ્ધિગતિ કેટલા કાળ સુધી જીવોની સિદ્ધિ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી છ માસ હોય છે.હે ભગવનરકગતિ કેટલા કાળસુધી ઉદ્વર્તન-મરણ વડે રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત હે ભગવન્! તિર્યંચગતિ કેટલા કાળ સુધી મરણ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત. હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી ઉદ્વર્તના રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. હે ભગવન ! દેવગતિ કેટલા કાળ સુધી ઉદ્વર્તના- રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. 38] હે ભગવન્! રત્નપ્રભાગૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત છે ભગવન્! શર્કરપ્રભાકૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી સાત રાત્રિદિવસ, હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે ? હે ગોતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અર્ધ માસ. હે ભગવન્! પંતપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક માસ. હે ભગવન્! ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બે માસ. હે ભગવન્તમwભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાર માસ. હે ભગવનું ! અધ સપ્તમ પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy