SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 410 પન્નવણા-૩-૦૮ તિર્યંચો તૈજસસમુદ્યાતવાળા હોય છે. તેથી વૈક્રિયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા હોય છે. તેથી મારણાન્તિકસમુદ્યાવાળા અસંખ્યાતગુણા હોય છે. તેથી વેદનાસમુદ્ ઘાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાત ગુણા હોય છે. અને તેથી સમુદ્દઘાતરહિત સંખ્યાતગુણા હોય છે. હે ભગવન્! વેદનાસમુદ્દઘાતવાળા, કષાય, મારણાન્તિક, વૈક્રિય, તૈજસ, આહાક, કેવલિસમુદ્ ઘાતવાળા અને સમુદ્દઘાત રહિત મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા મનુષ્યો આહારકસમુદ્યાતવાળા છે. તેથી કેવલીસમુદુઘાતવાળા સંખ્યાતગુણા છે. તેથી તૈસસમુદ્યાતવાળા સંખ્યાતગાણું છે. તેથી વૈક્રિયસમુદ્દઘાતવાળા સંખ્યાત ગુણા છે. તેથી મારણાન્તિકસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી વેદના સમુદ્ર ઘાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી કષાય સમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે. તેથી સમુદ્દાતરહિત અસંખ્યાતગુણા છે. વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો અસુર કુમારની પેઠે જાણવા. . [69] હે ભગવન્! કેટલા કષાયસમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ ! ચાર. ક્રોધસમુદ્યાત, માનસમુદૂઘાત, માયા સમુદ્દઘાત અને લોભ મુદ્દઘાત. હે ભગવન! નૈરયિકોને કેટલા કષાયસમુદુઘાતો કહ્યા છે? હે ગૌતમ ! ચાર. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! એક એક નૈરયિકને કેટલા ક્રોધસમુદ્યાતો અતીતકાળે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના છે અને કોઈને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને જાણવું. એમ યાવત્ લોભસમુદ્યાત સુધી જાણતું. એ પ્રમાણે ચાર દડકો થાય છે. હે ભગવન્! નૈરયિકોને કેટલા ક્રોધસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! અનન્તા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. એમ લોભસમુદ્રઘાત સુધી કહતું. એ પ્રમાણે એ પણ ચાર દડકો થાય છે. હે ભગવન્! એક એક નરયિકોને નૈરયિકપણામાં કેટલા ક્રોધસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. એ પ્રમાણે જેમ વેદના મુદ્દઘાત સંબધે કહ્યું તેમ ક્રોધસમુદ્યાત સંબધેપણ બધું યાવતુ વૈમાનિકપણામાં કહેવું. માનસમુદ્દઘાત અને માયામુદ્દઘાત સંબધે પણ જેમ મારણાતિકસમુદ્યાત સંબધે કહ્યું તેમ બંધું કહેવું. લોભસમુદ્રઘાત કષાયસમુઘાતની જેમ કહેવો. પરન્તુ અસુરાદિ સર્વજીવો નૈરયિકોમાં લોભકષાયવડે એકથી માંડી અનન્ત મસુધી કહેવા. હે ભગવનું ! નૈરવિકોને નૈરયિકપણામાં કેટલા ક્રોધસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે ? હે ગૌતમ ! અનન્તી થવાના છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકપણામાં જાણવું. એમ સ્વસ્થાન અને પરસ્થાનમાં બધા કહેવા. સર્વ જીવોને ચારે સમુદ્યાતો લોભસમુદ્યાત સુધી જાણવા. યાવત્ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. [610 હે ભગવનું ! એ ક્રોધસમુદ્યાતવાળા, માનસમુદ્યાતવાળા, માયા સમુઘાતવાળા અને લોભસમુદ્યાતવાળા, અકષાયસમુદ્રઘાતવાળા અને સમુદ્યાત. રહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy