SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 408 પદ-૩૬ ચોવીશ ચોવીશ દંડકો પ્રશ્ન વડે કહેવા. યાવતુ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવા. - 0i7 હે ભગવન્! વેદના સમુદ્યાતવાળા, કષાયસમુદ્યાતવાળા, મારણાન્તિ કસમુદ્દઘાતવાળા,વૈક્રિયસમુદ્દઘાતવાળા,તૈજસસમુદ્દઘાતવાળા, આહારકસમુદ્યાતવાળા, કેવલિસમુઘાતવાળા અને સમુદ્યાત રહિત એ જીવોમાં ક્યા જીવો કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આહાર કસમુદ્યાત વાળા છે, તેથી કેવલિસમુદ્યાતવાળા સંખ્યાતગુણ છે, તેથી તૈજસ સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી વૈક્રિયસમુદૂઘાતવાળા અસંખ્યાતગુણાછે, તેથી મારણાત્તિકસમુદ્યાતવાળા અનન્તગુણાછે, તેથી કષાયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી, વેદના સમુદ્યાતવાળા વિશેષાધિક છે અને તેથી સમુદ્ધાત સહિત અસંખ્યાતગુણા છે. હે ભગવન્! વેદના સમુદ્રઘાતવડે, કષાયસમુદ્દઘાતવડે, મારણાનિકસમુદ્યાતવડે અને વૈક્રિયસમુદ્દઘાટવડે સમુદ્યાતવાળા અને સમુઘાતરહિત નરયિકોમાં કોણ કનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા નૈરયિકો મારણાત્તિકસમુદુઘાતવાળા છે, તેથી વૈક્રિયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદના સમુદ્દઘાતવાળા સંખ્યાતગુણા છે અને તેથી સમુદ્યાત રહિત સંખ્યાતગુણા હોય છે. [28] હે ભગવનું ! વેદના સમુદ્દઘાતવાળા, કષાયસમુદ્દઘાતવાળા, મારણાં તિકસમુદ્યાતવાળા, વૈક્રિયસમુદ્યાતવાળા, તેજસસમુદ્યાતવાળા અને સમુદ્યાત. રહિત. એ અસુરકુમારોમાં કોણ કોનાથી અલા,બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા અસુરકુમારો તૈજસસમદુઘાતવાળા છે, તેથી મારણાન્તિક સમુદુઘાત વાળા અસંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વૈક્રિયસમુદ્દઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી સમુદ્દઘાતરહિત અસંખ્યાતગુણ છે. એ પ્રમાણે નિતકુમાર સુધી જાણવા. હે ભગ વનું ! વેદનામુઘાતવાળા, કષાયસમુદ્રદ્યાતવાળા, મરણસમુદ્દઘાતવાળા અને સમુદ્ઘાતરહિત પૃથિવીકાવિકોમાં કોણ કોનાથી અલ્પ બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડી પૃથિવીકાયિકો મારણાન્તિક સમુદ્યાતવાળા છે, તેથી કષાયસમુદ્ ઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદનાસમદુઘાતવાળા વિશેષાધિક છે, તેથી સમુદ્ર ઘાતરહિત અસંખ્યાતગુણા છે. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું. પરન્તુ સૌથી થોડા વાયુકાયકો વૈક્રિય સમુદ્યાતવાળા છે, તેથી મારણાન્તિકસમુદ્યાતવાળા અસંખ્યાત ગુણા છે, તેથી કષાયસઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદુઘાત વાળા વિશેષાધિક છે અને તેથી સમુઘાતરહિત અસંખ્યાતગુણા છે. હે ભગવન્! વેદના સમુદ્દઘાતવાળા, કષાયસમુદ્યાતવાળા, મારણાંતિકસમુદ્રઘાત વાળા અને સમુદૂઘાત રહિત બેઈન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા બેઇન્દ્રિયો મારણાન્તિકસમુદ્યાતવાળા છે, તેથી વેદના સમુદ્યાવાળા અસંખ્યાત ગુણા છે. તેથી કષાયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. અને તેથી સમુદ્ધાતરહિત સંખ્યાતગુણા છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. હે ભગવન્! વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય અને તૈજસસમુદ્યાતવાળા અને સમુદ્ ઘાતરહિત પંચેન્દ્રિય તિર્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! પંચેન્દ્રિય For Private & Personal Use Only For www.jainelibrary.org Jain Education International
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy