SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૩૦ 397. (પદ-૩૦૫શયત્તા). પિ૭૩] હે ભગવન્! કેટલા પ્રકારે પશ્યત્તા-સ્પષ્ટ દર્શનરૂપે બોધ કહ્યો છે ? હે ગૌતમ ! બે પ્રકારે. સાકાર પાસણયા અને અનાકાર પાસણયા. હે ભગવન્! સાકાર પાસણયા કેટલા પ્રકારે કહી છે? હે ગૌતમ ! છ પ્રકારની. શ્રુતજ્ઞાનપાસયા, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનપાસણયા. હે ભગવનું ! અનાકારપાસણયા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની છે. ચક્ષુદર્શન અનાકારપાસણયા, અવધિદર્શન, કેવલદર્શન. એ પ્રમાણે જીવોને પણ કહેવું. હે ભગવનું ! નૈરયિકોને કેટલા પ્રકારની પાસણયા હોય છે ? હે ગૌતમ ! બે પ્રકારની. તે આ પ્રમાણે-સાકાર પાસણયા અને અનાર પાસણયા. હે ભગવનું ! નૈરયિકોને સાકાર પાસણયા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! ચાર પ્રકારની છે. શ્રુતજ્ઞાનપાસણયા, અવધિજ્ઞાનપાસણયા, શ્રુતઅજ્ઞાનપાસણયા અને વિર્ભાગજ્ઞાનપાસણયા, હે ભગવનું ! નૈરયિકોને અનાકારપાસણયા કેટલા પ્રકારની છે?હે ગૌતમ બે પ્રકારની છે. ચક્ષુદર્શનપાસણયા અને અવધિદર્શન પાસણયા. એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારની પાસણયા હોય છે ? હે ગૌતમ! તેઓને એક શ્રતઅજ્ઞાનસાકારપાસણયા હોય છે. એમ વનસ્પતિકાયિકોને સુધી જાણવું. હે ભગવનું ! બેઇન્દ્રિયો કેટલા પ્રકારની પાસણયા હોય છે? હે ગૌતમ ! એક સાકાર પાસણયા હોય છે. એ પ્રમાણે તેઈન્દ્રિયોને પણ જાણવું. ચઉન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને પાસણાય-બે પ્રકારની કહી છે. સાકાર પાસયા અને અનાકાર પાસણયા. સાકાર પાસણયા બેઇન્દ્રિયોને કહી છે તેમ કહેવી. હે ભગવન્! ચઉરિદ્રિયોને અનાકાર પાસણયા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! એક ચક્ષુદર્શનરૂપે અનાકાર પાસણયા હોય છે. મનુષ્યોને જીવોની પેઠે કેહવું. બાકીના નૈરયિકોની જેમ વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! જીવો શું સાકાર શ્યત્તાવાળા છે કે અનાકાર પશ્યત્તાવાળા છે ? હે ગૌતમ ! જીવો સાકાર પશ્યત્તાવાળા પણ છે અને અનાકાર પશ્યત્તાવાળા પણ હોય છે. જે હેતુથી જીવો શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યતવજ્ઞાની, મૃતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે તે હેતુથી સાકારપશ્યત્તાવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવલદર્શની છે તે હેતુથી જીવો અનાકાર પત્તાવાળા છે. હે ભગવન નૈરયિકો સાકારપત્તાવાળા છે કે અનાકાર પશ્યતાવાળા છે ? હે ગૌતમ ! એમજ જાણવું. પરન્તુ સાકારપત્તામાં મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની ન કહેવા. અને અનાકારપશ્યત્તામાં કેવલદર્શન નથી. એ પ્રમાણે સ્વનિત કુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પૃથિવીકાયિકો સાકાર પશ્યત્તાવાળા હોય છે પણ અનાકારપશ્યત્તાવાળા નથી. પૃથિવીકાયિકોને એક શ્રુત અજ્ઞાનરૂપે સાકારપશ્યત્તા કહી છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેદ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ સાકારપશ્યત્તાવાળા છે, પણ અનાકારપત્તાવાળા નથી. બેઈન્દ્રિયો બે પ્રકારની સાકારપશ્યત્તા કહી છે. જેમકે શ્રુતજ્ઞાન સાકારપશ્યત્તા અને મૃતઅજ્ઞાન સાકારપત્તા, એ પ્રમાણે તેન્દ્રિયોને પણ જાણવું. ચઉરિન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ચઉરિન્દ્રિયો સાકારપશ્યત્તાવાળા પણ હોય છે અને અનાકારપશ્યત્તાવાળા પણ હોય છે. જે હેતુથી ચઉરિન્દ્રિયો શ્રુતજ્ઞાની કે શ્રુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy