SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 364 પન્નવસા - 21-524 વૈક્રિય શરીરો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી ઔદારિક શરીરો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી તૈજસ અને કાશ્મણ શરીરો દ્રવ્યોથપણે અનન્તગુણા અને બન્ને પરસ્પર તુલ્ય છે, તેથી તેજસ શરીરો પ્રદેશાર્થરૂપે અનંતગુણા છે, તેથી કામણ શરીરો પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે. હે ભગવન્! એ દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ શરીરોમાં જઘન્ય અવગાહના વડે, ઉત્કૃષ્ટ અવગાહના વડે તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના વડે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. તેથી તૈજસ અને કામણ શરીર ની જઘન્ય અવગાહના વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે, તેથી વૈકિય શરીરની જઘન્ય અવગાહના સંખ્યાતગણી છે, તેથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી છે. ઉત્કૃષ્ટ અવગાહના વડે સૌથી થોડી આહારક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેથી ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે, તેથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે. તેથી તૈજસ અને કાર્પણ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી છે અને પરસ્પર તુલ્ય છે. જઘન્યોત્કૃષ્ટ અવગા- હનાવડે સૌથી થોડા ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. તેથી તૈજસ કામણ શરીરની જઘન્ય અવગાહના વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય હોય છે, તેથી વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. તેથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. આહારક શરીરની જઘન્ય અવગાહનાથી તેનીજ ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. તેથી ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાત ગુણી છે. તેથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે. તેથી તૈજસ અને કાર્મણ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે. પદ-૧૧નીમનદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૨-દિયા ) પિ૨૫] હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહી છે. કાયિકી, અધિકરણિકી, પ્રાષિક, પારિતાપનિકી અને 5 પ્રાણાતિપાતિકી હેભગવનું ! કાયિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! બે પ્રકારની. સંયોજનાધિકરણિકી અને નિવર્સનાધિકરણિ કી. હે ભગવન્! પ્રàષિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની. જે પ્રકારે પોતાના ઉપર, પરના ઉપર કે બન્નેના ઉપર કે અશુભ મન કરેએમ પ્રદષિકી ક્રિયા કહી. હે ભગવનું પારિતાપનિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની. જે પ્રકારે પોતાને, પરને અને બન્નેને અશાતા વેદના ઉદીરે છે. હે ભગવન્! પ્રાણાતિપાતિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. જે પ્રકારે પોતાને, પરને અથવા બન્નેને જીવિતથી જુદા કરે. પર૬] હે ભગવન્! જીવો શું સક્રિય-છે કે ક્રિયાસહિત છે? હે ગૌતમ ! જીવો ક્રિયાવાળા પણ છે અને ક્રિયારહિત પણ છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ?હે ગૌતમ ! જીવો બે પ્રકારના છે. સંસારસમાપત્ર-અને અસંસારસમાપત્ર-મોક્ષને પ્રાપ્ત થયેલા. તેમાં જે સંસારને પ્રાપ્ત થયેલા જીવો છે તે બે પ્રકારના છે, શૈલેશીને પ્રાપ્ત થયેલા અને શૈલેશીને પ્રાપ્ત નહિ થયેલા. તેમાં જે શૈલેશીને પ્રાપ્ત થયેલા છે તેઓ અક્રિય છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy