SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૮ 341 કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કાળ હોય. એ પ્રમાણે યાવતું અપમાપ્ત દેવી સુધી જાણવું. હે ભગવનું ! નૈરયિક પર્યાપ્ત નૈરયિક પર્યાપ્ત’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધી હોય.હે ભગવનું ! તિર્યંચયોનિક પર્યાપ્ત તિર્યંચયોનિક પર્યાપ્ત એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે પર્યાપ્ત તિર્યચત્રી સંબંધે પણ જાણવું. મનુષ્ય અને મા નુષી સંબંધે પણ એમજ સમજવું. જેમ પર્યાપ્ત નરયિકને કહ્યું તેમ પર્યાપ્તા દેવને જાણવું. હે ભગવન્! “પયપ્તિ દેવી એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ધૂન પંચાવન પલ્યોપમન સુધી હોય. 4i74] હે ભગવન્! સેન્દ્રિય જીવ “સેન્દ્રિય' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! સેન્દ્રિય બે પ્રકારના છે, અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. હે ભગવન્! એકેન્દ્રિય “એકેન્દ્રિય' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જધન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાલ-વનસ્પતિકાળ સુધી હોય. હે ભગવન્! બેઇન્દ્રિય બેઇન્દ્રિય એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતો કાળ હોય. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિદ્રિય સંબંધે જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય પંચેન્દ્રિય એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘનયથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કાંઈક અધિક હજાર સાગરોપમ સુધી હોય. અનિન્દ્રિય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્! સેન્દ્રિય અપર્યાપ્તા સેન્દ્રિય અપર્યાપ્તા રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય અપર્યાપ્તા સુધી જાણવું. હે ભગવન્! સેન્દ્રિય પર્યાપ્ત સેન્દ્રિય પર્યાપ્તિ’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કાંઇક અધિક શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. હે ભગવન્! પર્યાપ્ત એકેન્દ્રિય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વરસો સુધી હોય. બેઈન્દ્રિય પતિ સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વરસો સુધી હોય. તે ઇન્દ્રિય પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાના દિવસો હોય. હે ભગવન્! ચઉરિન્દ્રિય પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા માસ પર્યન્ત હોય. હે ભગવન્! પંચેન્દ્રિય પર્યાપ્ત પંચેન્દ્રિય પર્યાપ્ત' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. 475 હે ભગવન્! સકાયિક જીવ “કાયિક એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ગૌતમ ! સકાયિક જીવ બે પ્રકારના છે. તે આ પ્રમાણે-અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. અને તેમાં જે અનાદિ સાન્ત છે, તેની જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કર્ષથી સંખ્યાતા વર્ષે અધિક બે હજાર સાગરોપમની કાયસ્થિતિ છે. હે ભગવન્! અકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અકાયિક સાદિઅનન્ત છે. સકાયિક અપર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર મુહૂર્ત છે. એ પ્રમાણે ત્રસકાયિક અપર્યાપ્તા સુધી જાણવું, સકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy