SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 340 પનવણા - 1 470 હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળ મનુષ્ય શું કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ! અવશ્ય ઉત્પન્ન કરે. વાવ હે ભગવન્! કૃષ્ણ લેશ્યાવાળો મનુષ્ય નીલ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! અવશ્ય ઉત્પન્ન કરે. વાવતુ શુક્લલેશ્યા વાળા ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેયાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે નીલલેક્ષા વાળો મનુષ્ય યાવતુ શુક્લલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેક્ષાવાળાની સાથે છ એ આલાપકો કહેવા. એમ તેજલેશ્યાવાળા પદ્મવેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળાને પણ કહેવું. એમ છત્રીશ આલાપકો કહેવા. કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! ઉત્પન્ન કરે, એ પ્રમાણે આ છત્રીશ આલાપકો કહેવા. હે ભગવન્! કૃષ્ણલેશ્યા વાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે?હા ગૌતમ ! ઉત્પન્ન કરે. એમ એ છત્રીશ આલાપકો કહ્યા. હે ભગવન્! કર્મભૂમિનો કૃષ્ણલેશ્યા વાળો મનુષ્ય કૃણાલેશ્યાવાળી સ્ત્રીમાં કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે?હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. અકર્મભૂમિનો કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય અકર્મભૂમિની કૃષ્ણલેશ્યા વાળી સ્ત્રીમાં અકર્મભૂમિના કૃષણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! ઉત્પન્ન કરે. પરંતુ અહીં ચાર લેશ્યાઓના સોળ આલાપકો કહેવા. એ પ્રમાણ અન્તર્કંપીના મનુષ્યોને પણ જાણવું. | પદ-૧૭-ઉદેસો-દનીમુનિદીપરત્નસાગરે કરેલા ગુર્જરછાયાપૂર્ણ I પદ-૧૭-ગુર્જરછાયાપૂર્ણT (પદ-૧૮-કાયસ્થિતિ) f471-432] જીવ, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંત, ઉપયોગ. આહાર, ભાષક, પરિત્ત, પતિ, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમ એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા યોગ્ય છે. હે ભગ વનું! જીવ જીવ’ એ સ્વરૂપે કાલને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સર્વ કાળ હોય. 4i73 હે ભગવન્! નૈરયિક નૈરયિક' એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમીજઘન્ય દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી હોય. હે ભગવન! તિર્યંચયોનિક તિર્યંચયોનિક' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય અન્ત. મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ સુધી હોય. અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી પર્યન્ત કાળથી હોય અને ક્ષેત્રથી અનન્ત લોક-અનન્ત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ હોય તથા આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા પુગલપરાવર્ત પર્યન્ત હોય. હ ભગવન્! તિર્યંચયોનિક સ્ત્રી તિર્યંચ સ્ત્રી, એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વેકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે મનુષ્ય સંબંધે જાણવું. મનુષ્ય સ્ત્રી સંબંધે પણ એમ જ સમજવું. હે ભગવું ! દેવ દેવ' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જેમ નૈરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. હે ભગવનુ દેવી દેવી” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમ સુધી હોય. હે ભગવન્! સિદ્ધ સિદ્ધ’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્! નરયિક અપર્યાપ્ત’ એ રૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy