SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નવાણા- 17148 પ્રત્યયિકી. બાકી બધું નૈરયિકોની જેમ જાણવું. [49] વ્યત્તરોને અસુરકુમારોની જેમ સમજવું. એમ જ્યોતિર્ષિક અને વૈમાનિકને પણ જાણવું. પરન્તુ વેદનામાં તેઓ બે પ્રકારના છે-માથી મિથ્યાદ્રષ્ટિ ઉત્પન્ન થયેલા અને અમાથી સમ્યવ્રુષ્ટિ ઉત્પન્ન થયેલા. તેમાં જે માયી મિથ્યાદ્રષ્ટિ ઉત્પન થયેલા છે તે અલ્પવેદનાવાળા હોય છે, અને જે અમાયી સમ્યવૃષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ મહાવેદનાવાળા છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું. બાકી બધું તેમજ જાણવું. 50] હે ભગવન્! વેશ્યાસહિત નૈરયિકો બધા સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસનિઃશ્વાસવાળા છે ? એમ બીજા બધા સંબધે પૃચ્છા. કરવી. હે ગૌતમ ! જેમ સામાન્ય નૈરયિકો સંબધે આલાપક કહ્યો છે તેમ વેશ્યા સહિત સમગ્ર આલાપક પણ યાવતુ-વૈમાનિક સુધી. કહેવો. હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા નરયિકો બધા સમાનઆહારવાળા છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ સામાન્ય નૈરયિકો કહ્યા છે તેમ કહેવા, પણ વેદનામાં માયીમિથ્યાદ્રષ્ટિ ઉપપન્ક અને અમાથીસમ્યગૃષ્ટિઉપપન્નક કહેવા. અસુરકુમારથી આરંભી ચત્તર સુધી સામાન્ય અસુર કુમારાદિની પેઠે કહેવું. પરન્તુ મનુષ્યોને ક્રિયાઓમાં વિશેષતા છે યાવતું તેમાં જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓ ત્રણ પ્રકારના છે, સંયમત, અસંત અને સંયતા સંત-ઇત્યાદિ જેમ સામાન્ય મનુષ્ય સંબધે કહ્યું છે તેમ કહેવું. જ્યોતિર્ષિક અને વૈમાનિક સંબધે આદિની ત્રણ લેશ્યામાં ન પૂછવું. એ પ્રમાણે જેમ કૃષ્ણલેશ્યા વાળા નૈરયિકોનો વિચાર કર્યો તેમ નીલેશ્યાવાળા નૈરયિકોનો વિચાર કરવો. કાપોત લેશ્યાનો નૈરયિકોથી આરંભી ત્યન્તરો સુધી વિચાર કરવો, પરન્તુ કાપોતલેશ્યાવાળા નૈરયિકો વેદનામાં સામાન્ય નૈરયિકો કહ્યા તેમ કહેવા. હે ભગવનું ! તેજલેશ્યાવાળા અસુરકુમારો-ઇત્યાદિ અસુર કુમાર સંબધે તેજ પૂર્વોક્ત પૃચ્છા કરવી. હે ગૌતમ ! જેમ સામાન્ય અસુરકુમારો કહ્યા, તેમજ જાણવા. પરન્તુ વેદનામાં જ્યતિષિકની જેમ કહેવા. પૃથિવીકાય, અકાય, વસ્પતિકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જેમ સામાન્ય રૂપે કહ્યા તેમ વેશ્યાસાહિત કહેવા. પરન્તુ મનુષ્યો ક્રિયાઓમાં જે સંયત છે તે પ્રમત્ત અને અપ્રમત્ત બે પ્રકારના છે, પણ સરાગ અને વીતરાગ એવા ભેદ થતા નથી. વ્યન્તરો તેજલેશ્યામાં અસુરકુમારની જેમ કહેવા. એમ જ્યોતિષિક અને વૈમાનિક સંબધે પણ જાણવું. બાકી બધું તેમજ કહેવું. એ પ્રમાણે પવલેશ્યાવાળા પણ કહેવા. પરતુ પાલેશ્યા જેઓને હોય તેઓને કહેવી. શુક્લલેશ્યાવાળા પણ તેમજ જાણવા, પરન્તુ શુક્લલેશ્યા જેઓને હોય તેઓને કહેવી. બાકી બધું જેમ સામાન્ય આલાપક કહ્યો છે તેમજ કહેવો. પરતુ પાલેશ્યા અને શુક્લલેશ્યા પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વૈમાનિકને જ જણવી, બાકીનાને ન જાણવી. પદ-૧૭-૧-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પદ-૧૭-ઉદ્દેશકઃ૨) [51] હે ભગવન્! કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છ વેશ્યાઓ કહી છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા. [૪પર] હે ભગવન્! નૈરવિકોને કેટલી વેશ્યાઓ હોય છે ? ગૌતમ ! ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy