SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 316 પનવાલા - ૧પ૨૪૩૭ આઠ, બાર, સંખ્યાતી અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોમાં જે ચાર ગમ પાઠ કહ્યા છે તે આ ચારે પાઠ અહીં જાણવા. પરંતુ ત્રીજા ગમને વિષે જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી ઈન્દ્રિયો ભવિષ્યમાં જાણવી. ચોથા ગમન વિષે જેમ દુલૅન્દ્રિયો કહી છે તેમ કહેવી. યાવતુ સવર્થસિદ્ધદેવપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીતકાળ હોય? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય? સંખ્યાતી હોય. ભવિષ્યમાં થવાની કેટલી ? ન હોય. પદ-૧૫-ઉદ્દેસા-રનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! પદ-૧૫-ગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૬-પ્રયોગ 438] હે ભગવન્! કેટલા પ્રકારનો પ્રયોગ કહ્યો છે? હે ગૌતમ! પંદર પ્રકારનો પ્રયોગ કહ્યો છે. સત્યમના પ્રયોગ, અસત્યમનપ્રયોગ, સત્યમૃષામનઃ પ્રયોગ, અસત્યામૃષામનઃપ્રયોગ, વચનપ્રયોગ ચાર પ્રકારનો છે, ઔદારિકશરીરકાયપ્રયોગ, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ. વૈક્રિયશરીરકાયપ્રયોગ, વૈક્રિયમિશ્રશારીરકાયપ્રયોગ, આહા રકશરીરકાયપ્રયોગ, તૈજસકાર્પણ શરીર કાય પ્રયોગ. [43] હે ભગવન્! જીવોને કેટલા પ્રકારના પ્રયોગ હોય?હે ગૌતમપંદર પ્રકારના. સત્યમ પ્રયોગ, યાવતુ- કામણશરીરકાય પ્રયોગ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે ? હે ગૌતમ ! અગિયાર પ્રકારના. સત્ય મન:પ્રયોગ, યાવતુ અસત્યામૃષા વચન પ્રયોગ, વૈક્રિયશરીરકાયપ્રયોગ, વૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગ. અને કાશ્મણશરીરપ્રયોગ. એ પ્રમાણે અસુરકુમારથી માંડી નિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને ત્રણ પ્રકારના પ્રયોગ હોય છે. દા. રિકશરીરકાયપ્રયોગ,દારિકમિશ્રશારીરકાયપ્રયોગ, અને કામણ શરીરકાય પ્રયોગ. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. વાયુકાયિકોને પાંચ પ્રકારનો પ્રયોગ હોય છે-ઔદારિકશરીરકાયપ્રયોગ, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ, વૈક્રિય બે પ્રકાર નો પ્રયોગ અને કામણશરીરકાયપ્રયોગ. બેઈન્દ્રિયો સંબધે પૃચ્છા. તેઓને ચાર પ્રકાર નો પ્રયોગ હોય છે. અસત્યામૃષાવચનપ્રયોગ, ઔદારિકશરીર કાયપ્રયોગ, ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગ અને કામણશરીરકાયપ્રયોગ. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેને તેર પ્રકારનો પ્રયોગ કહ્યો છે. સત્ય મન પ્રયોગ. મૃષામનઃપ્રયોગ, સત્યમૃષા મન પ્રયોગ, અસત્યામૃષામનઃ પ્રયોગ, એ પ્રમાણે વચનપ્રયોગ પણ સમજવો, ઔદારિકશરીરકાયપ્રયોગ, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ, વૈક્રિયશરીરકાયપ્રયોગ, વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ અને કામણશરીરકાયપ્રયોગ. મનુષ્યો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને પંદર પ્રકારનો પ્રયોગ હોય છે. વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવું. [44] હે ભગવન! શું જીવો સત્યમનપ્રયોગવાળા છે કે યાવતુ- કામણ શરીર કાયપ્રયોગવાળા હોય છે ? હે ગૌતમ ! સર્વે જીવો સત્યમન પ્રયોગવાળા, યાવતુ વૈક્રિય મિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહાર કશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક આહારકમિશ્રશરીરકાયલાક કામણશરીરકાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે અસુરકુમાર યાવત્ સ્વનિત કુમારોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy