SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૫, ઉદ્દેશો-ર 315 અસંખ્યાતી હોય. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યદ્રિયો અતીત કાળે હોય? સંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? ન હોય. હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવોને સવર્થસિદ્ધદેવ પણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય ? ન હોય. કેટલી વર્તમાન કાળે હોય ? સંખ્યાતી હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય? ન હોય. હે ભગવન્! કેટલી ભાવેદ્રિયો કહી છે? હે ગૌતમ! પાંચ ભાવેન્દ્રિયો કહી છે. તે આ પ્રમામે-શ્રોત્રેન્દ્રિય યાવતુ સ્પર્શનેન્દ્રિય, હે ભગવનું ! નૈરવિકોને કેટલી ભાવેન્દ્રિયો હોય છે ? હે ગૌતમ ! પાંચ ભાવેન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય યાવતુ સ્પર્શનેન્દ્રિય. એ પ્રમાણે જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી ઇન્દ્રિયો વૈમાનિકો સુધી કહેવી. હે ભગવન્! એક એકનૈરયિકને કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય ? પાંચ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? પાંચ, દસ, અગિયાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે અસુરકુમારને પણ જાણવું. પરંતુ ભવિષ્યમાં થવાની પાંચ, છ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત ભાવેન્દ્રિયો હોય. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારને પણ જાણવું. એમ પૃથિવીકાયિક, અકાયિક, અષ્ઠાયિક અને વનસ્પતિકાયિકને પણ સમજવું. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિજિયને પણ એમજ જાણવું. તેજસ્કાયિક અને વાયુકાયિકને પણ એમજ કહેવું. પરન્તુ ભવિષ્યમાં થવાની છે, સાત, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત ભાવેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચયોનિકને ધાવતુ ઈશાનદેવને અસુરકુમારની પેઠે જાણવું. પરન્તુ મનુષ્ય ને ભવિષ્યમાં થવાની ઊભાવેન્દ્રિયો કોઈને અને કોઇને ન હોય એમ કહેવું. સનકુમાર યાવતું મૈવેયકને નૈરયિકની જેમ જાણવું. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનન્ત હોય, વર્તમાન કાળે પાંચ હોય અને ભવિષ્યમાં થવાની પાંચ, દસ, પંદર કે સંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધ દેવને અતીત કાળે અનન્ત હોય, વર્તમાન કાળે પાંચ હોય, કેટલી ભવિષ્યમાં થવાની પાંચ, દસ, પંદર કે સંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધ દેવને અતીત કાળે અનન્ત હોય, વર્તમાનકાળે પાંચ હોય,કેટલી ભવિષ્યમાં થવાનીહોય? પાંચ થવાની હોય. હે ભગવનું ! નૈરયિકોને કેટલી ભાવેન્દ્રિય અતીત કાળે હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી વર્તમાનકાળે હોય ? અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? અનન્ત થવાની હોય. એ પ્રમાણે જેમ દ્રવ્યેન્દ્રિયોમાં બહુવચન વડે દંડક કહ્યો તેમ ભાવેન્દ્રિયમાં પણ બહુવચન વડે દંડક કહેવો, પરંતુ વનસ્પતિકાયિકોને વર્તમાન કાળે ભાવેન્દ્રિયો અનન્ત હોય છે. હે ભગવન્! એક એક નરયિકને નૈરયિકપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. વર્તમાનકાળે કેટલી હોય?પાંચ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને હોય અને કોઈને ન હોય, જેને હોય તેને પાંચ, દસ, પંદર, સંખ્યાતી અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે અસુરકુમારથી આરંભી નિતકુમાર સુધી જાણવું. પરંતુ વર્તમાન કાળે ન હોય. પૃથિવાકિયકપણામાં યાવત્ બેઇન્દ્રિયપણામાં જેમ દ્રવ્યેન્દ્રિયો કહી તેમ ભાવેન્દ્રિયો કહેવી. તે ઇન્દ્રિયપણામાં પણ તેમ જ કહેવું. પરંતુ ભવિષ્યમાં થવાની ત્રણ, છ, નવ, સંખ્યાતી, અંસખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો હોય. ચઉરિદ્રિયપણામાં પણ એમજ જાણવું. પરન્તુ ભવિષ્યમાં થવાની ભાવેન્દ્રિયો ચાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy