SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૫, ઉદેસોર 313 હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. વ્યંતર, જ્યોતિષિક, યાવતુ સૈવેયકપણામાં મ નારકપણામાં કહ્યું છે તેમ કહેવું. હે ભગવન્! એક એક મનુષ્યને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ અથવા સોળ હોય. કેટલી વર્તમાન હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ થવાની હોય. હે ભગવન ! એક એક મનુષ્યને સવથિસિદ્ધદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી વર્તમાન હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. વ્યન્તર અને જ્યોતિષ્ક નૈરયિકની પેઠે જાણવા. અને સૌધર્મદિવ પણ નૈરયિકની જેમ કહેવો. પરંતુ સૌધર્મ દેવને વિજય, વૈજયંત, જયન્ત અને અપરાતિદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી વિદ્યમાન હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ થવાની હોય. સવથસિદ્ધદેવપણામાં નૈરયિકની પેઠે કહેવું એ પ્રમાણે થાવતું સૈવેયકદેવને યાવત્ સર્વાર્થસિદ્ધદેવપણામાં એમજ કહેવું. હે ભગવન્! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને નૈરયિક પણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? ન હોય. એ પ્રમાણે યાવતું પંચેન્દ્રિય તિર્યચપણામાં કહેવું. મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનન્ત થયેલી હોય. વર્તમાન કાળે ન હોય. અને ભવિષ્યમાં થનારી આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. વ્યંતર અને જ્યોતિષ્કપણામાં તૈયકિપણામાં કહ્યું તેમ કહેવું. સૌધર્મદેવપણામાં દ્રવ્યન્દ્રિયો અતીત કાળે અનન્ત થયેલી હોય. વર્તમાન કાળે નથી અને ભવિષ્યમાં થવાની કોઇને ન હોય. જેને ભવિષ્યમાં થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. એ પ્રમાણે યાવતુ રૈવેયકપણામાં જાણવું. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાતિદેવ પણામાં દ્રવ્યન્દ્રિયો અતીત કાળે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. ટલી બદ્ધ હોય? આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. હે ભગવન્! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને સર્વથસિદ્ધ દેવપણામાં કેટલી દ્રવ્યું ન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. હે ભગવનું ! એક એક સર્વાર્થસિદ્ધ દેવને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય?હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવતુ રૈવેયકપણામાં જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અનન્ત હોય. કેટલી વર્તમાન હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? આઠ થવાની હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy