________________ 569 281 યોનિ, ઉષ્ણુયોનિ અને શીતોષ્ણુયોનિ હોય છે. એ પ્રમાણે અપ્લાય, વાયુકાય, વનસ્પતિ કાય, બેઈન્દ્રિય, તેઈદ્રિય અને ચઉરિ દ્રિય પ્રત્યેકને કહેવું. તેજસ્કાલિકોને શીત અને શીતોષ્ણુયોનિ નથી, પરંતુ ઉષ્ણુયોનિ છે.પંચેન્દ્રિય તિર્યંચોને શીતયોનિ, ઉષ્ણયોનિ અને શીતોષ્ણુયોનિ છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચોને પણ એમજ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને શીતયોનિ નથી, ઉષ્ણથોનિ નથી, પણ શીતોષ્ણ યોનિ હોય છે. શીતયોનિ, ઉષ્ણુયોનિ અને શીતોષ્ણુયોનિ છે. સંમૂર્છાિમ મનુષ્યોને ત્રણ પ્રકારની યોનિ હોય છે. ગર્ભજ મનુષ્યોને શીત અને ઉષ્ણુયોનિ નથી પણ શીતોષ્ણુયોનિ હોય છે. વાવ્યન્તર દેવોને શીત અને ઉષ્ણુયોનિ નથી, પણ શીતોષ્ણ યોનિ હોય છે. જ્યોતિર્ષિક અને વૈમાનિકોને પણ એમજ જાણવું. હે ભગવનું ! શીતયોનિ વાળા, ઉષ્ણુયોનિ વાળા, શીતોષ્ણુયોનિ વાળા અને યોનિરહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ! સૌથી થોડા જીવો શીતોષ્ણુયોનિ વાળા હોય છે, તેથી ઉષ્ણયો નિવાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી શીતયોનિ વાળા અનન્તગુણા છે. 3i58] હે ભગવન્! યોનિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! યોનિ ત્રણ પ્રકારે કહી છે. આ પ્રમાણે-સચિત્ત, અચિત્ત અને મિશ્ર યોનિ. હે ભગવન્! નૈરયિકોને શું સચિ રયોનિ, અચિત્તયોનિ કે મિશ્રયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને સચિત્ત અને મિશ્રયોનિ નથી, પણ અચિત્તયોનિ છે. એ પ્રમાણે સર્વત્ર પ્રશ્નો યોજી લેવા. અસુરકુમારોને સચિત્ત અને મિશ્રયોનિ નથી, પણ અચિત્તયોનિ હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકોને ત્રણે પ્રકારે યોનિ હોય છે. એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિય સુધી જાણવું. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સંમૂઠ્ઠિમ મનુષ્યોને એમજ જાણવું. ગર્ભ પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ મનુષ્યોને સચિત્ત અને અચિત્ત યોનિ નથી, પણ મિશ્ર યોનિ હોય છે. વાતવ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને અસુરકુમારોની પેઠે જાણવું. હે ભગવન્! સચિત્તયોનિવાળા, અચિત્તયોનિ વાળા, મિશ્રયોનિ વાળા અને યોનિરહિત એ જીવનમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો મિશ્રયોનિવાળા હોય છે, તેથી અચિત્તયોનિ વાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી સચિત્તયોનિવાળા અનન્તગુણા છે. [૩પ૯ હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની યોનિ કહી છે. તે આ પ્રમાણે સંવૃતયોનિ, વિવૃત યોનિ અને સંવૃતવિવૃતયોનિ. હે ભગવન્! નૈરયિકોને શું સંવૃતયોનિવિવૃતયોનિ કે સંવૃતવિવૃતયોનિ હોય છે?હે ગૌતમ! તેઓને સંવૃતયોનિ હોય છે, પણ વિવૃતયોનિ અને સંવૃતવિવૃતયોનિ હોતી નથી. એ પ્રમાણે વાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો ને સંવૃત કે સંવૃતવિવૃતયોનિ નથી, પણ વિવૃતયોનિ હોય છે. એમ યાવત્ ચઉરિ દ્રિયો સુધી જાણવું. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સંમૂઠ્ઠિમ મનુષ્યોને એમજ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ મનુષ્યોને સંવૃત અને વિવૃતયોનિ નથી, પણ સંવૃતવિવૃતયોનિ હોય છે. વાનવ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકોને નૈરયિકો પેઠે જાણવું. હે ભગવનું ! સંવૃત યોનિ વાળા, વિવૃતયોનિ વાળા, સંવૃતવિવૃતયોનિવાળા અને યોનિરહિત એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ભગવન્! સૌથી થોડા જીવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org