SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 280 પન્નવણા- ૮-૩પપ બાહ્યકારણને આશ્રયી બહુધા ભયસંજ્ઞાના ઉપયોગવાળા અને આંતરિક અનુભવને આશ્રયી આહારસંજ્ઞાના યાવતુ-પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. હે ભગવનું ! આહારસંજ્ઞાના યાવતુ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા એ નૈર યિકોમાં કોણ કોનાથી અલ્ય, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય ? હે ગૌતમ ! સૌથી થોડા નૈરયિકો મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તેથી આહાર સંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણ છે, અને તેથી ભયસંજ્ઞાનો ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. હે ભગવન તિર્યંચયોનિકો કઈ સંજ્ઞાના ઉપયોગવાળા, હોય છે ? હે ગૌતમ ! બાહ્ય કારણને આશ્રયી પ્રાયઃ આહાર સંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને આંતરિક અનુભવને આશ્રયી આહારસંશા યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. હે ભગવન્! આહારસંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા એ તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! તિર્યંચો સૌથી થોડા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, તેથી મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાત ગુણા છે, તેથી ભયસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાત ગુણા છે અને તેથી આહારસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. હે ભગવન્! મનુષ્યો કઈ સંજ્ઞાના ઉપયોગ વાળા હોય છે ? હે ગૌતમ ! બાહ્ય કારણને આશ્રયી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવને આશ્રય આહાર સંજ્ઞાના યાવતુ- પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવનું ! આહાર સંજ્ઞા યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે? ગૌતમ ! સૌથી થોડા મનુષ્યો ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, તેથી આહાર સંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, અને તેથી મૈથુનસંજ્ઞાના ઉપયગોગવાળા સંખ્યાત ગુણા હોય છે. હે ભગવન્! દેવો કઈહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે ? હે ગૌતમ! પ્રાયઃ બાહ્ય કારણને આશ્રયી પરિગ્રસજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવને આશ્રય આહારસંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવન્! આહાર સંજ્ઞા યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા દેવામાં કોણ કોનાથી યાવતુ અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ ! સૌથી થોડા દેવો આહારસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તેથી સંખ્યાતગુણો ભયસંજ્ઞાના ઉપયોગ વાળા, તેથી સંખ્યાતગુણા મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા અને તેથી સંખ્યાતગુણા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. પદ ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ યોનિ પદ) [35] હે ભગવન્! યોનિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! યોનિ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે- શીતયોનિ, ઉષ્ણુયોનિ અને શીતોષ્ણુયોનિ. ૩િપ૭] હે ભગવન્! શું નૈરયિકોને શીતયોનિ, ઉષ્ણુયોનિ કે શીતોષ્ણુયોનિ હોય છે ? હે ગૌતમ ! તેઓને શીતયોનિ અને ઉષ્ણુયોનિ હોય છે, પણ શીતોષ્ણયોનિ હોતી. નથી. એ રીતે સવત્ર પ્રશ્ન યોજી લેવા. અસુરકુમારોને શીતયોનિ કે ઉષ્ણુયોનિ નથી, પણ શીતોષ્ણુયોનિ હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકોને શીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy