SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રતિપતિ -3, દ્વીપસમુદ્ર એ પાંચ વર્ણવાળા તૃણો અને મણિયોમાં જે કૃષ્ણ વર્ણવાળા તૃણ અને મણિયો છે, તેનો વણવાસ-વર્ણન્યાસ જલથી ભરેલા વાદળા જેવા કાળા હોય છે, જેવું કાળું સૌવીરોજન અથવા એ નામનું રત્ન વિશેષ હોય છે, ખંજન દીવાનો મેલ-મશ જેવો કાળો હોય છે. કાજળ જેવું કાળું હોય છે, મસીની ગુટિકા- જેવી કાળી હોય છે. ભેંસનું સીંગ જેવું કાળું હોય છે જેવી કાળી ગવલટિકા હોય છે. જેવો કાળો ભમરો હોય છે, કાગડાનું બચ્યું જેવું કાળું હોય છે. જેવી રીતે મેઘ વિગેરેને કાળા વર્ણવાળા વાતાવ્યા છે. તેવા પ્રકારની કાળાશવાળો એ તૃણ અને મણિયો કરતાં પણ ઘણીજ વધારે કાળાશ છે. અને એ કાળાશવાળી જેવાવાળાને અરૂચિકર હોતી નથી. પરંતુ અત્યંત સોહામણીજ લાગે છે. મનોજ્ઞતરજ છે ત્યાં જે નીલ વર્ણવાળા તૃણો અને મણિયો કહેલા છે તે ભૃગ જેવો નીલ વર્ણનો હોય છે, કે ભંગપત્ર જેવુંનીલ, ચાલપક્ષી જેવું નીલ હોય. પોપટ જેવા નીલા રંગનો, કબૂતરોની ગ્રીવા જેવી લીલી હોય છે, નીલકમળ જેવું લીલું હોય છે. એ તૃણો અને મણિયોનો જે લીલો વર્ણ છે તે ભૂંગ-ભરમ વિગેરેના કરતાં ઘણો વધારે ઈષ્ટતર, કાંત તરક, અને મનોજ્ઞતરક તથા મનામતરક હોય છે, ત્યાં જે લાલ વર્ણવાળા ખૂણે અને મણિયો કહ્યા છે. મનુષ્યનું લોહી જેવું ઘેટાનું લોહી જેવું વરાહ ભુંડનું લોહી, વર્ષાકાલની સંધ્યા સમયનો રંગ જેવો લાલ હોય છે. લોહિતાક્ષમણિ જેવું લાલ હોય છે, કમિશગ જેવો લાલ હોય છે, લાલ કમળનો રંગ જેવો હોય છે, એ લાલ તૂણો અને મણિયોનો લાલ રંગ તેથી પણ વધારે ઈતર અને કાંતતર છે. એ તૃણો અને મણિયોમાં ત્યાં જે પીળા વર્ણના ખૂણો અને મણિયો છે, તેનો વર્ણવાસા સુવર્ણ ચંપક વૃક્ષ જેવું પીળું હોય છે, સુવર્ણ ચંપક વૃક્ષની છાલ જેવી પીળી હોય છે, હળદરની ગોળી જેવી પીળી હોય છે. હરિતાલનો ખંડ જેવોશ્રેષ્ઠ સોનું જેવું પીળું હોય છે. વાસુદેવ કૃષ્ણનું વસ્ત્ર જેવું પીળું, કોરંટક પુષ્પોની માળા જેવી પીળી હોય છે, આ ત્યાંના તૃણો અને મણિયોનો વર્ણ એવી ચમ્પનાદિના પીળા વર્ષ કરતાં એ તૃણો અને મણિયોનો પીળો વર્ણ ઈતર છે. કાન્તતર છે. પ્રિયતર છે. મનોજ્ઞતર છે. અને મનોડમતર છે, ત્યાંના એ તૃણો અને મણિયોમાં જે શ્વેત વર્ણના તૃણો ને મણિયો છે, એની ધોળાશ આ પ્રમાણેની છેઅંક રત્ન જેવું સફેદ હોય છે, શંખ જેવો ધોળો હોય છે. ચંદ્રમાનાં વર્ણ જેવો સફેદ હોય છે, દહીં જેવું સફેદ હોય છે, ક્ષીરપુર દૂધનો સમૂહ જેવો સફેદ હોય છે, ચાંદીના બનાવેલ કંકણ જેવી સફેદ હોય છે, ચોખાનો લોટ જેવો સફેદ હોય છે, મૃણાલિકા બિસતત્ત જેવા સફેદ હોય છે, સિંદુવાર પુષ્પોની માળા જેવી સફેદ હોય છે, ધોળી કરેણનું પુષ્પ જેવું સફેદ હોય છે, એ તૃણો અને મણિયોનો એ સફેદ વર્ણ આ ઉપર કહેવામાં આવેલ અંક વિગેરેની વેતાથી પણ વધારે ઈષ્ટ વધારે પ્રિય વધારે કાંત વધારે મનોજ્ઞ અને વધારે મનોમ કહેવામાં આવેલ છે. હે ભગવન ત્યાંના તૃણો અને મણિયોનો ગંધ કેવો હોય છે ? જેવી ગંધ-વાસ કોષ્ટપુટ નામના ગંધ દ્રવ્યની હોય છે. જેવી ગંધ પત્ર પુટોના મર્દન કરવાથી ઉત્પન્ન થયેલ પરિમલના પુટોની હોય છે. તગર પુરોની જેવી ગંધ હોય છે, ચંદનના પટોની જેવી ગંધ હોય છે, જેવી ગંધ દમનકના પુટોની હોય છે. મલ્લિકા મોગરાના પુષ્પ પંટોની જેવી ગંધ હોય છે, કેવડાના પુટના જેલી ગંધ હોય છે આ બધાજ પુટોની ગંધ ક્યારે અનુકૂળ વાયુ વાતો હોય અને આ સઘળા ગંધ પુટ એ સમયે ઉઘાડવામાં આવેલ હોય તેગંઘપુટોને અતિશય પણાથી તોડવામાં આવતા હોય. ખાંડણિયા વિગેરેમાં ખાંડવામાં આવતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy