SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 88 જીવા વાભિગમ- સાલી.સ.૧૬૪ હોય નાના નાના તેના ટુકડા કરાતા હોય તેને ઉપર ઉડાડવામાં આવતા હોય આમતેમ એ વિખરવામાં આવી હોય તે વખતે તેનો ગંધ-વાસ સુગંધ ઘણી વધારે વિપુલ પ્રમાણમાં નીકળે છે મનોનુકુળ હોય છે. કેમકે એ ગંધ ઘાણે દ્રિય અને મનને શાંતિ આપવાળી હોય છે. આ મહિયોનો ગંધ કોષ્ટપુટ વિગેરે દ્રવ્યોના કરતાં ઈષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર, મન આમતર, હોય છે. હે ભગવન એ તૃણો અને મણિયોનો સ્પર્શ કેવો કહેલ છે? જેવો સ્પર્શ આજીનક ચર્મમય વસનો હોય છે. જેવો સ્પર્શ રૂ નો હોય છે. જેવો સ્પર્શ માખણનો હોય છે. શિરીષ પુષ્પ સમુહનો જેવો સ્પર્શ હોય છે. એ તૃણો અને મણિયોનો સ્પર્શ આ અજીક વિગેરે પદાર્થો ના સ્પર્શ કરતાં પણ વધારે ઈતર યાવતું વધારે મનોમ કહેવામાં આવેલ છે. હવે તેના શબ્દોના સ્વરૂપનું વર્ણન કરવામાં આવેલ છે. હે ભગવનું એ તૃણો અને મણિયોનો શબ્દ પવનથી મંદ મંદ પણથી કંપાવવામાં આવે છે, વિશેષરૂપથી કંપિત કરવામાં આવે છે, વારંવાર કંપિત કરવામાં આવે છે. ક્ષોભિત કરવામાં આવે છે. ઉદરિત કરવામાં આવે છે, નાની નાની સુવર્ણની બનાવેલી ઘંટડિયોના ચાલવાથી જેવો શબ્દ જે છત્ર યુક્ત હોય, ધજાથી યુક્ત હોય, બન્ને બાજુએ લટકાવવામાં આવેલ પ્રમાણો પત સુંદર-ઘંટથી યુક્ત હોય નંદિઘોષ બાર રેયોના અવાજ વાળી હોય ઉદાર મનોજ્ઞ તથા કણ અને મનને તૃપ્ત કરવાવાળા શબ્દ જેવો હોય છે યાવતુ દિવ્ય એવા ગાનને ગાવાવાળો દેવોના મુખથી જે શબ્દ નીકળે છે, અને એ જેવા મનોહર હોય છે. એ પૂર્વોક્તા પ્રકારના ગેય વિગેરેમાંથી નીકળતા શબ્દો જેવા શબ્દો એ તૃણ અને મણિયોના હોય છે. [૧પ એ વનખંડમાં સ્થળે સ્થળે અનેક નાની વાવડિયો, ચાર ખૂણિયા વાવો છે, સ્થળે સ્થળે અનેક ગોળ આકારવાળી અથવા પુષ્કરોવાળી પુષ્કરિણિયો છે. સ્થળે સ્થળે ઝરણાઓવાળી વાવો છે. સ્થળે સ્થળે વાંકાચુંકા આકારવાળી વાવડિયો છે. સ્થળે સ્થળે પુષ્પોથી ઢંકાયેલા અનેક તળાવો છે. સ્થળે સ્થળે અનેક સર પંક્તિયો છે સ્થળે સ્થળે કુવાઓની પંક્તિયો છે. આ બધા જ જલાશયો આકાશ અને સ્ફટિકની માફક સ્વચ્છ નિર્મળ પ્રદેશોવાળા છે. રજત ચાંદીના બનેલા અનેક તટો છે. એમાં જે પત્થરો લાગે છે. એ વજરત્નના બનેલા છે. એના તલભાગ તપનીય સોનાનો બનેલો છે. કીનારા નજીકના અતિ ઉન્નત પ્રદેશો છે તે વૈડૂર્યમણિ અને સ્ફટિક મહિના બનેલા છે. માખણ જેવા સુકોમળ તેના તળો છે. તેમજ એના તીર પ્રદેશો ખાડા ખબડા વિનાના હોવાથી સમ છે. વિષમ નથી. એમાં જે વાલુકા-એટલે કે રેતી છે, તે પીળા કાંતીવાળા સોનાની અને શુદ્ધ ચાંદીની અને મણિયોની છે. એ બધા જળાશયો એવા છે કે જેની અંદર પ્રવેશ કરવામાં કોઈ પણ પ્રકારની અસુવિધા થતી નથી. અને તેમાં પ્રવેશ કર્યા પછી તેમાંથી નીકળવામાં પણ કોઈ પ્રકારની અડચણ થતી નથી. એના જે ઘાટ છે તે અનેક પ્રકારના મણિયોથી બનેલા છે. તેનું વસ્ત્ર જલસ્થાન છે તે ક્રમશઃ નીચે નીચે ઉંડાણવાળું હોય છે. અને એમાં જે પાણી છે તે ઘણુંજ અગાધ છે, અને શીતળ છે. તેમાં જે પવિનીયોના બિસ, મૃણાલ અને પત્રો છે, તે પાણીથી ઢંકાયેલા રહે છે. એમાં અનેક કુમુદો, ઉત્પલો નલિન, સુભગ સૌગંધિક પુંડરિક, શતપત્ર અને સહસ્ત્રપત્રો ખીલેલા રહે છે. તેના પર ભમરાઓ સદા બેસી રહે છે. સ્વભાવથીજ સ્ફટિકનાં જેવા સફેદ અને વિમલ આગન્તુક દોષો વિનાના હોવાથી આ બધા જલાશયો નિર્મળ પૂરેપૂરા ભરાયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy