SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, મનુષ્ય પ્રશસ્ત મૂળ વિગેરે વિશેષણો વાળો હોય છે. તે એકોરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક જ્યોતિર્ષિક નામના દ્રુમગણ. કલ્પવૃક્ષો કહ્યા છે. જેમ તરતનો ઉગેલો શરદ કાળનો સૂર્ય પડતી એવી ઉલ્કા સહસ્ત્ર, ચમકતી વિજળીની જવાલા સહિત ધૂમાડા વગરના અગ્નિના સંયોગથી શુદ્ધ થયેલ તપેલું સોનું ખીલેલા કેસુડાના પુષ્પો, અશોકના પુષ્પો, અને જપા-નાસ્તૃતિના પુષ્પોનો સમૂહ મણિયો અને રત્નોના કિરણો અને હિંગળોનો સમુદાય પોતપોતાના સ્વરૂપ થી. વધારે શોભાયમાન લાગે છે. અથવા વધારે તેજસ્વી હોય એજ પ્રમાણે આ જ્યોતિર્ષિક દ્રમગણો પણ છે. અનેક રૂપવાળી ઉદ્યોત વિધિથી યુક્ત હોય છે. તેમની વેશ્યા. સુખકારિણી હોય છે. પણ મંદ છે. તથા તેનો, જે આતાપ છે, તે પણ મંદ છે, તીવ્ર નથી. સૂર્યનો તડકો સમય પ્રમાણે અસહ્ય પણ હોય છે. આનો આતપનામ પ્રકાશ એવો અસહ્ય હોતો નથી. પોતાના સ્થાન પર અચલ રહે છે. એક બીજામાં સમાવેલા પોતાના પ્રકાશ દ્વારા આ પોતાના પ્રદેશમાં રહેલા પદાર્થોને બધી જ તરફથી બધીજ દિશાઓમાં સંપૂર્ણપણાથી પ્રકાશિત કરે છે. આ જ્યોતિષ્ક નામના કલ્પ વૃક્ષ પણ અનેક પ્રકારના છે. હે શ્રમણ આયુષ્મન એ એકોરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે ચિત્રાંગ નામના અનેક કલ્પવૃક્ષો કહેલ છે. આ કલ્પવૃક્ષો માંગલ્યના કારણભૂત અનેક પ્રકારના ચિત્રો આશ્ચર્યજનક વસ્તુ આપતા રહે છે. જેમ પ્રસિદ્ધ પ્રેક્ષાગૃહ નાટકશાળા હોય, તે અનેક પ્રકારના ચિત્રોથી યુક્ત થઈને દેખાવાવાળાના મનને અત્યંત પ્રસન્નતા ઉત્પન્ન કરે છે, અને જેમ શ્રેષ્ઠ પુષ્પોની સુંદર માળાઓથી અત્યંત શોભાયમાન હોય છે. તથા વિકસિત હોવાથી તે અત્યંત શોભાયમાન લાગે છે. ગ્રથિત વેષ્ટિત પરિત અને સંધા તિમ ભેદથી ચાર પ્રકારની માળાઓ હોય છે. કારીગર દ્વારા ગૂંથવામાંઆવેલ આ ચારે પ્રકારની માળા ઓ કે જેમાં ઘણીજ ચતુરાઈની સાથે સજાવીને બધી તરફ રાખવામાં આવેલ હોય, અને તેના દ્વારા જેના સૌંદર્ય વૃદ્ધિમાં વધારો થયેલ અલગ અલગ રૂપે દૂર દૂર લટકતી એવી વણવાળી સુન્દર ફૂલમાલાઓથી શોભાયમાન તથા અગ્રભાગમાં લટકાવવામાં આવેલ તોરણથી પણ જે વિશેષ પ્રકારથી ચમકી રહેલ હોય એવું તે પ્રેક્ષાગ્રહ વધારે શોભાની વૃદ્ધિથી જે શોભાનું ધામ બની જાય છે. એ જ પ્રમાણે આ ચિત્રાંગ જીતના કલ્પવૃક્ષો પણ સ્વભાવતઃ અનેક પ્રકારની માલ્ય વિધિથી પરિણત થઈને સુશોભિત છે. હે શ્રમણ આયુષ્યમનું એ એકોરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક ચિત્ર રસ નામના વૃક્ષા કહ્યા છે. તેનો મીઠો વિગેરે અનેક પ્રકારનો રસ ભોકતાઓને આશ્ચર્ય કારક હોય છે. અને તૃપ્તિ કારક હોય છે, પરમાત્ર દૂધપાક ખીર શ્રેષ્ઠ ગંધથી યુક્ત દોષ રહિત ક્ષેત્રકાલ વિગેરે રૂપ વિશેષ પ્રકારની સામગ્રીથી જેની ઉત્પત્તી થઈ હોય, એવી ડાંગર વિશેષના કણ રહિત ચોખાથી જે બનાવવામાં આવેલ હોય, અને વિશેષ પ્રકારના ગાય વિગેરેના દૂધ દ્વારા કે જે પાકાદિથી નાશ પામ્યા વિના રૂપ રસ વિગેરેથી શ્રેષ્ઠ સ્વાદિષ્ટ થયેલ હોય, તથા ઉત્તમ એવા વર્ણ અને ગંધયુક્ત થઈ ગયેલ હોય તો તે દૂધપાક કેવું ઉત્તમ હોય છે, એ કેવું શ્રેષ્ઠ હોય છે. અથવા આ સ્થિતિમાં તે બનાવવામાં આવેલ ભાત જ્યારે સંપૂર્ણ પદાર્થોથી સંપાદિત કરવામાં આવે છે, ભયચી વિગેરે સુગંધદાર પદાથોંથી સંપાદિત કરવામાં આવે છે, અને યથોક્ત પ્રમાણથી વધારીને સુસંસ્કાર યુક્ત કરવામાં આવેલ હોય, ત્યારે તેનો પરિપાક બળ તથા વીર્યને વધારનાર બને છે. જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy