SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 7 . પ્રતિપતિ -3, મનુષ્ય આ વનરાજીયો અત્યંત ગાઢ હોવાથી કયાંક કયાંક કાળી કાળી મેઘની ઘટા જેવી દેખાય છે. તેમાંથી જે પ્રકાશ પુંજ નીકળે છે, તે પણ કાળોજ જણાય છે. યાવતુ આવનરાજીઓ કયાંક કયાંક નીલ વર્ણની પણ હોય છે. આ વનરાજીયોની અંદરથી જે ગંધરાશી નીકળે છે. તે ધ્રાણેન્દ્રિયને બિસ્કૂલ તર કરીદે છે. બધીજ રાજીયો પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ અને પ્રતિરૂપ છે. એકોરૂક દ્વીપમાં જ્યાં ત્યાં અનેક સ્થળે મતાંગોના દ્વમગણો છે. તે કેવા પ્રકારના હોય છે? ચંદ્રઅર્થાતા કપુરનો રસ, ચંદ્રપ્રભા અથવા કપૂર અથવા ચંદ્રના જેવો વર્ણવાળો હોય છે. તથા મણિશલકા જડી હોવાથી સળી જેવો, મણીના વર્ણ જેવો રસ હોય છે તથા પકાવેલ સેલડીનો રસ તેના જેવો હોય છે. પ્રવર વરૂણી ના જેવો રસ હોય છે. આવા પ્રકારના ઉંચા ઉંચા રસ દ્રવ્યોના સંમિશ્રણની પ્રચુરતા વાળા તથા પોતપોતાના ઉચિત કાળમાં સંયોજીત કરીને બનાવેલા જે આસવ સંમિશ્રિત મધુર રસ વિશેષ રસ જેવો મીઠો અને સુંગધવાળો હોય છે એવા તે મત્તાંગદ્ગમ ગણો છે. જેમ મધુ પુષ્પરસ, મૈરેય ગોળ ધાણા અને પાણીમાં મેળવેલા ધાતી પુષ્પને પકવવાથી જે રસ થાય છે, તે મૈરેય કહેવાય છે. રિષ્ટાભ- રિષ્ટ એટલે કે ફીણવાળો પદાર્થ તેનો જે શ્વેત વર્ણ હોય છે. તેના જેવી આભા-કાંતીવાળો રસ વિશેષ દુધ જાતી દૂધના સ્વાદ જેવા સ્વાદવાળો રસ દુધજાતીનો રસ કહેવાય છે તે રસ વિશેષ, તથા પ્રસન્ન એટલે કે જે રસ સ્વચ્છ સ્ફટિકના જેવો હોય છે. અને જે મનને પ્રસન્ન કરવાવાળો હોવાથી તેનું નામ પ્રસન્ન એ રીતે રાખવામાં આવેલ છે. એવો રસ વિશેષ મેલ્લક જે બીજા રસના મેળવ વાથી બલ વધારનાર હોય છે, એવા રસ વિશેષનું નામ મેલ્લક છે. શતાયુ, ખજાર મૃદ્ધિકાસાર કાપિશાયન, ક્ષોદરસ જેમ પૂર્વોકત બધા પ્રકારના રસ હોય છે. તે રસો પ્રશસ્ત વર્ણ એટલે કે શુકલાદિ વર્ણથી, પ્રશસ્તગંધ, પ્રશસ્ત રસથી પ્રશસ્ત સ્પર્શથી, યુક્ત હોય છે. પૂર્વોક્ત બધા રસો પાછા બળ-વીર્ય માં પરિણત થવાવાળા હોય છે. પ્રમોદ કારક રસ વિશેષના વિધાનથી ઘણા પ્રકારના બતાવવામાં આવ્યા છે. જેમકે આસવ. અરિષ્ટ, અવલેહ, કવાથ વાટિકા વિગેરે તેના ભેદો હોય છે. આ પૂર્વોક્ત પ્રકારના રસ જેવા રસ વાળા તે મત્તાંગ નામના દ્રુમગણ એકોરૂક દ્વીપમાં હોય છે અનેક વ્યક્તિના ભેદથી ઘણા વિવિધ અનેક પ્રકારના જાતિ ભેદને લઈને પોતના સ્વભાવથીજ તે અનાદિ કાળથી ત્યાં રહે છે. આ લોકપાલો વિગેરેએ લગાવેલ હોતા નથી. તેઓ સ્વાભાવિક રૂપથી પરિણત એવી મદ્ય વિધિ થી યુક્ત હોય છે. આ વૃક્ષોના મૂળ દર્દ વિગેરે ઘાસથી વિશુદ્ધ રહિત હોય છે. હે શ્રમણ આયુષ્યમાન ! તે એકોરૂક નામના દ્વીપમાં બૃત્તાંગ નામના કલ્પ વૃક્ષો છે. એ કલ્પવૃક્ષો ત્યાં રહેવાવાળા મનુષ્યોને અનેક પ્રકારના વાસણ ભાજન વિગેરે પદાર્થો આપ્યા કરે છે. જે માંગલ્ય નામનો ઘડો છે તેને વારક કહે છે. તેનાથી નાના ઘડાને ઘડો કહે છે તેના કરતાં જે મહા ઘટ હોય છે. તેને કલશ કહે છે. ફરક એ નામ પણ કલશનું જ છે. નાના કળશાવાને કર્કરી કહે છે, જેનાથી - પગ ધોવામાં આવે છે. અને જે સોનાની બનાવેલી હોય છે. એવા પાત્રનું નામ પાદકાંચનિકા' છે. જેમાં પાણી ભરીને પીવામાં આવે છે. તેનું નામ ઉદક છે,ઘી તેલ વિગેરે રાખવાના વાસણનું નામ “પારી” છે. પાન પાત્રનું નામ “ચષક' છે. જારીનું નામ ભંગારક છે. શરક એ પાન વિશેષનું નામ છે. સ્થાળી અને પાત્રી આ બન્ને પ્રસિદ્ધજ છે. આ બધા પાત્રોની ઉપર સોનાથી મણિયોથી, અને રત્નોથી અનેક પ્રકારના ચિત્રોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy