SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, તિર્યંચ ઉદ્દેશો-૨ 5 વિશુદ્ધ વેશ્યાવાળો અણગાર કે જે સમવહત અને અસમવહત અવસ્થાવાળો છે, તે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને દેવીને અથવા અનગારને શું જાણે છે? કે દેખે છે હા એવો તે અણગાર એ દેવને અને દેવીને તથા એવા અનગારને જાણે છે. અને દેખે છે. [138-139] હે ભગવદ્ અન્ય તીર્થિકોએ એવું કહ્યું છે, એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે. એક સમ્યકત્વ ક્રિયા છે. અને બીજી મિથ્યાત્વ ક્રિયા છે. જીવ જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, એજ સમયે તે મિથ્યાત્વ ક્રિયાપણ કરે છે. જે સમયે તે મિથ્યાત્વક્રિયા કરે સમ્યકત્વ છે, એજ સમયે તે જીવાત્મા સત્કૃત્વ ક્રિયા પણ કરે છે. એજ કારણે એક જીવ એક સમયમાં બે ક્રિયા હોય છે તો શું તેઓનું એ કથન યથાર્થ છે? હે ગૌતમ ! એ પ્રમાણેનું તેઓનું કથન રાવતું પ્રરૂપણા કરવી તે સઘળું મિથ્યા છેઅસત્ય છે. એક જીવ એક સમયમાં એકજ ક્રિયા કરે છે. જેમકે સમ્યકત્વ ક્રિયા અથવા મિથ્યાત્વ ક્રિયા. જો એક જીવ ને એક સમયમાં આ બન્ને ક્રિયાઓનો કર્તા માનવામાં આવે તો મોક્ષનો સર્વથા અભાવ પ્રાપ્ત થાય. કેમકે મિથ્યાત્વની નિવૃત્તિ તો કદી થઈ જ ન શકે. પ્રતિપત્તિ ૩-તિર્યચઉદેસી-ર-નીમુનિદીપરના સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ . (પ્રતિપત્તિ ૩-મનુષ્ય) [૧૪]હે ભગવનું મનુષ્યોના કેટલા ભેદો કહ્યા છે? મનુષ્યો બે પ્રકારના છે. સંમૂર્ણિમ અને ગર્ભજ. સંમૂઠ્ઠિમ મનુષ્યોના કોઈ પણ ભેદ હોતા નથીમનુષ્ય ક્ષેત્રની અંદર જ ઉત્પન્ન થાય છે. સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે, તે ત્યાંથી જાણી લેવું. તે અંતમુહૂર્તના આયુષ્યમાંજ કાળ કરે છે. [41] ગર્ભમનુષ્યોના ત્રણ ભેદો કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતરદ્વીપ, [૧૪]અંતદ્વીપના મનુષ્યોના 29 ભેદો છે. એકોરૂક આભાષિક વગેરે. એકોરૂક નામવાળા દ્વીપો છે. મનુષ્યો એ નામવાળા હોતા નથી પરંતુ તે દ્વીપોમાં રહેનારા હોવાને કારણે ત્યાંના મનુષ્યોના નામો તેમ જાણવા. [143- 14] હે ભગવનું દક્ષિણ દિશામાં રહેવાવાળા એકરૂક મનુષ્યોનો જે એકોરૂક દ્વીપ છે, તે કયા સ્થાન પર કહેવામાં આવેલ છે? હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વિીપમાં જે મેરૂપર્વત છે, તેની દક્ષિણ દિશામાં ક્ષહિમવાનું નામનો વર્ષધર પર્વત છે, તેની ઈશાન દિશાના ચરમાત્તરમાં લવણસમુદ્રમાં ત્રણસો યોજના ગયા પછી યુદ્ધ હિમવાનપર્વતની દાઢ ઉપર દક્ષિણદિશામાં રહેવાવાળા એકોરૂક મનુષ્યો નો એકોરૂક નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપ લંબાઈ પહોળાઈમાં ત્રણસો યોજનાનો છે. તેની પરિધિ 949 યોજનમાં કંઈક વધારે છે. આ દ્વીપની ચારે બાજુ એક પઘવર વેદિકા છે. આ પવવર વેદિકાની ચારે દિશાઓ માં તેને ઘેરિને એક વનખંડ છે. આ પદ્વવર વેદિકાની ઉંચાઈ આઠ યોજનની છે. અને તેની પહોંળાઈ પાંચસો ધનુષની છે. આ પઘવર વેદિકા એકોરૂક દીપને ચારે બાજુથી ઘેરીને રહેલી છે. આ પાવર વેદિકાનું વર્ણન આ પ્રમાણે છે તેની શયપૂસેણિય સૂત્રાનુસાર જાણવું આ પદ્વવર વેદિકાની ચારે બાજુ એક વનખંડ આવેલું છે. આ વનખંડ દેશઉન, બે યોજનાના ગોળાકાર પહોળાઈવાળું છે અને તેની પરિધિનો વિસ્તાર વેદિકાની બરોબર છે. આ વનખંડ ઘણું ગાઢ ઉંડુ હોવાના કારણે કળું દેખાય છે. અને તેનો પ્રકાશ પણ કાળોજ નીકળે છે. સમગ્ર વર્ણન રાયuસેણિય Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy