SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ 64 જીવાજીવાભિગમ- ૩)તિ-૨/૧૩૬ એજ પ્રમાણે વાયુકાયિકજીવ પર્યન્ત સમજી લેવું. વનસ્પતિ કાયિક જીવો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અમુક વિવક્ષિત કાળમાં એટલા બધા વધારે ઉત્પન્ન થાય છે. કે તેઓ અસંખ્યાત ઉત્સર્પિણીયોમાં અને અસંખ્યાત અવસર્પિણીયોમાં બહાર કાઢી શકાય એ પ્રમાણે કહી શકાતું નથી. વર્તમાન કાળમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિકાયિક જીવોની નિર્લેપના થતી નથી. કેમકે તેઓ અનંતાનંત ઉત્પન્ન થતા રહે છે. તે પ્રત્યુત્પન્ન ત્રસકાયિક જીવો જઘન્ય પદમાં અને ઉત્કૃષ્ટ પદમાં એટલા વધારે હોય છે કે જો તેઓને એક એક સમયમાં એક એક પણાથી બહાર કાઢવામાં આવે તો પૂરેપૂરા બહાર કાઢવામાં સાગરોપમ શત પૃથકત્વ કાળ પુરો થઈ જાય જઘન્યથી તે જેટલા ઉત્પન્ન થયા છે, તેઓની અપેક્ષાએ તેઓ ઉત્કૃષ્ટપદમાં વિશેષાધિક ઉત્પન્ન થાય છે. હે ભગવનું જે અણગાર અવિશુદ્ધ વેશ્યાવાળા છે. અને વેદના વિગેરે સમુદ્યાત રહિત આત્મા દ્વારા અવિશુદ્ધ વેશ્યાવાળા કૃષ્ણ વિગેરે લેશ્યાવાળા દેવને અગર દેવીને અથવા અણગારને જ્ઞાન દ્વારા જાણે છે? અને દર્શન દ્વારા દેખે છે? આ અર્થ બરોબર નથી. અર્થાતુ અવિશુદ્ધ વેશ્યાવાળા હોવાથી એ અણગારને યથાવસ્થિત વસ્તુને જાણવાવાળા જ્ઞાનનો અભાવ કહેલ છે. હે ભગવનું જે અનગાર અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે, અને વેદના વિગેરે સમદુઘાતથી રહિત છે. એવો તે અનગાર વેદના વિગેરે સમુદ્ર ઘાતથી રહિત આત્મદ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવને અથવા દેવીને અથવા તેવા કોઈ અણગારને શું જાણે છે? કે દેખે હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. હે ભગવનું અને ગાર અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે, વેશ્યાની વિશુદ્ધીથી રહિત છે. પરંતુ વેદના વિગેરે સમુદ્દઘાતવાળા છે, તો શું તે સ્વયં પોતાનાથી અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને અથવા દેવીને અથવા અણગારને શું જાણે છે? હે ગૌતમ ! આ અર્થ બરોબર નથી. હે ભગવનું જે અણગાર અવિશુદ્ધ વેશ્યાવાળો હોય અને વેદના વિગેરે સમુઘાત યુક્ત હોય તો શું તે સ્વયં પોતેજ વિશુદ્ધ વેશ્યાવાળા દેવને અથવા દેવીને કે અણગારને જાણે છે કે દેખે છે? આ અર્થ બરોબર નથી. હે ભગવનું જે અણગાર અવિશુદ્ધ વેશ્યાવાળો હોય છે, અને વેદના વિગેરે સમુઠ્ઠાત ક્રિયા થી કંઈક વિશેષ છે, અને કંઈક અંશથી વેદના વિગેરે સમુદ્ર ઘાતથી વિશેષ ન પણ હોય, એવો તે સમવહતા મહાત્મા વાળો સાધુ અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને અથવા દેવીને અથવા અણગારને જાણે છે? કે દેખે છે? આ આ અર્થ બરોબર નથી. હે ભગવન્! જે અણગાર અવિશુદ્ધ વેશ્યાવાળો હોય, અને વેદના વિગેરે સમુદ્યાતથી વિશિષ્ટ અને અવિશિષ્ટ પણ હોય, તો શું એવો તે અણગાર સ્વયં વિશુદ્ધ લેશ્યાવાળા દેવને કે દેવીને અથવા અનગારને જાણે છે? કે દેખે છે? હે ગૌતમ! આ અર્થ બરોબર નથી હે ભગવનું જે અણગાર વિશુદ્ધ વેશ્યાવાળા છે. અને વેદના વિગેરે સમુદ્યાત વિનાના છે, તો શું તે સ્વયં અવિશુદ્ધ વેશ્યાવાળા કૃષ્ણાદિ લેશ્યાવાળા દેવને દેવીને તથા અગારને શું જાણે છે? કે દેખે છે? હા ગૌતમ ! એવો તે સાધુ અણગાર કૃષ્ણાદિ વેશ્યાવાળા દેવને દેવીને તથા અણગારને જાણે છે. અને દેખે છે. કેમકે તેના જ્ઞાનમાં યથાર્થ વસ્તપ્રદર્શકતાના સંભાવ કારક વેશ્યાની વિશુદ્ધિ છે. અને તે વિશુદ્ધિ તે સાધુના જ્ઞાનમાં વર્તમાન છે. જે પ્રમાણે અવિશુદ્ધ વેશ્યાવાળા સાધુના સંબંધમાં પૂવોક્ત પ્રકારથી છ પ્રકારના આલાપકો કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે વિશુદ્ધ લેશ્યાવાળા સાધુના સંબંધમાં પણ છ આલાપકો સમજી લેવા જોઈએ. હે ભગવનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy