SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, રયિક ઉસો-૨ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોમાં નૈરયિક જીવો અસંજ્ઞીયોમાંથી યાવતુ મચ્યો અને મનુષ્યોમાંથી પણ ઉત્પન્ન થાય છે. [11] જે અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો છે, તેઓ તે પહેલી પૃથ્વીના નરકાવાસોમાં, સરીસૃવ વિગેરે ગર્ભજ પાંચ ઈદ્રિયોવાળા જીવો શકરપ્રભામૃથ્વી સુધીના, વાલુકાપ્રભા સુધીના નરકાવાસોમાં પક્ષી વિગેરે, પંકપ્રભા નામની જે ચોથી પૃથ્વી છે ત્યાં સિંહ સર્ષ પાંચમી પૃથ્વી સુધીના, છઠ્ઠી પૃથ્વી સુધી જ સ્ત્રી, મહાઅશુભ અધ્યવસાય વાળા મલ્યો. અને મનુષ્યો સાતમી પૃથ્વી સુધી જાય છે. શર્કરા પ્રભા માં સંજ્ઞી અર્થાત્ સરીસૃપોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને યાવતું મત્સ્ય અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન તાય છે. વાલુકા પ્રભામાં અસંજ્ઞી કે સરીસૃપોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ સંશી પક્ષિયો માંથી યાવત્ મત્સ્ય અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પંકપ્રભાપૃથ્વીના નરકાવાસોમાં ઉત્પન્ન થવાવાળા નૈરયિકો અસંશી જીવોમાંથી કે સરીસૃપોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ ચોપગા સિહોમાંથી આવીને યથાવતુ મત્સ્યો માંથી આવીને ઉત્પન્ન થાય છે. અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસોમાં નરયિક જીવો અસંજ્ઞી જીવોમાંથી સરીસૃપોમાંથી આવીને પક્ષિયોમાંથી આવીને ચોપગા પ્રાણિયોમાંથી સપમાંથી આવીને પણ કે સિયોમાંથી આવીને ઉત્પન્ન થતાનથી. પણ મચ્યો માછલાઓમાંથી અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે વધારેમાં વધારે સંખ્યાતપણ ઉત્પન્ન થાય છે અને અસંખ્યાતપણે ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણેનું અધઃ સપ્તમી . સુધી પાઠ કહ્યો છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાંથી જો નારક જીવને પ્રતિસમયે તેમાંથી બહાર કાઢવામાં આવે તો તે બધા ત્યાંથી કેટલા કાળ પછી કેટલા પૂરેપૂરા બહાર કાઢી શકાય જો એક એક સમયમાં. અસંખ્યાત બહાર કઢાય તો પણ અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણી કાળ પૂરો થઈ જાય તો પણ પૂરેપૂરા નારકીયો બહાર કાઢી શકાતા નથી. આ રીતે તેઓને ત્યાંથી બહાર કાઢવાનું થયું અને ભવિષ્યમાં પણ તેમ થશે અહીં અને વર્તમાનમાં પણ તે રીતે થતું નથી. યાવતુ અધસપ્તમી સમજી લેવું [102] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકજીવોના શરીરોની અવગાહના કેટલી છે? નૈરયિક જીવોના શરીરોની અવગાહના બે પ્રકારની છે ભવધારણીય એક અને બીજી ઉત્તરક્રિય. જે ભવધારણીય છે, તે જધન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ રૂપ હોય છે અને ઉત્કૃષ્ટથી તે સાત ધનુષ ત્રણ હાથ અને પૂરા છ આંગળ પ્રમાણની હોય છે. જે ઉત્તર વૈક્રિયરૂપ છે, તે જધન્યથી આગળના સંખ્યામાં ભાગ રૂપ છે. અને ઉત્કરથી તે પંદર ધનુષ અઢી હાથ પ્રમાણની છે. શર્કરા પ્રભા માં ભવધારણીય શરીરાવગાહના જધન્યથી આંગળના અસંખ્યાતમા ભાગ રૂપ છે. ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ. ઉત્તર વૈક્રિય જધન્યથી તો આગળના સંખ્યામાં ભાગ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક ત્રીસ ધનુષ અને એક હાથની છે. તાલુકા પ્રભા ભવધારણીય શરીર વગાહ ના જધન્ય થી આગળના અસંખ્યાતમા ભાગરૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક ત્રીસ ધનુષ અને એક હાથ પ્રમાણની છે. ઉત્તરક્રિયરૂપ શરીરાવગાહના જધન્યથી આંગળ ની સંખ્યામા ભાગ રૂપ છે અને ઉત્કૃષ્ટથી બાસઠ ધનુષ અને બે હાથ પંકપ્રભા માં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy