SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવભિગમ-૩નિ-૨૯૮ બાણના અગ્રભાગનો, ફૂલના અગ્રભાગનો, -લાકડીના અગ્રભાગનો, “િડિપાલના અગ્રભાગનો, સોયના જૂડાના અગ્રભાગનો વીછિના ડખનો, અંગારાના સ્પર્શનો, અગ્નિની જ્વાલાનો, મુર્મર અગ્નિનો, અલાતનામ બળતા લાકડાની અગ્નિનો, શુદ્ધ અગ્નિ, વીજળી વિગેરેનો જેવો સ્પર્શ હોય છે, તે કરતાં પણ અત્યંત અનિષ્ટતર અકોત તર, અપ્રિયતર, અમનોમતર, એવો તેનો સ્પર્શ કહેલ છે. હે ભગવન્! આ રત્ન પ્રભાપૃથ્વીમાં જે નરકાવાસો છે, તે બધા કેટલા વિશાળ છે? જંબુદ્વીપ નામનો જે આ દ્વીપ જે દ્વીપ સઘળા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં સૌથી પહેલા રહેલ તથા બધા દ્વીપ સમુદ્રો કરતાં જે નાનો છે. ગોળાકાર છે. જેનું સંસ્થાના તેલમાં પકાવેલા પુવા જેવું છે. ગોળ છે, રથનું પૈડું જેવું છે, કમળની કળીના જેવા ગોળ પૂર્ણિમાનો પૂર્ણચંદ્ર જેવો ગોળ આકારવાળો હોય તેવું છે. આ દ્વીપ એક લાખ યોજનની લંબાઈ પહોળાઈ વાળો છે. યાવતુ ત્રણ ગણાથી કંઈક વધારે પરિધિથી વીંટળાએલ છે. એવા આ જંબુદ્વીપને કોઈ વિમાન પરિવાર વિગેરે મોટિ &દ્ધિ વાળો, શરીર આભૂષણની મહા ઘુતિવાળો, અતયંત વધારે શારીરિક બળવાળો, અત્યંત મોટિખ્યાતિવાળો, તથા મોટા. ઐશ્વર્યવાળો મહાસુખવાળો અચિંત્ય શક્તિવાળો એવો દેવ યાવતુ ત્રણ ચપટિ વગાડ વામાં જેટલો સમય લાગે છે. એટલા સમયમાં આ કેવળ કલ્પ અથતિ સંપૂર્ણ જંબૂદ્વીપને એકવીસ વાર પરિભ્રમણ કરીને શીધ્રગતિથી આવી જાય છે એવી ગમન શક્તિવાળો એવો તે દેવ તે દેવજન પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ પ્રશસ્ત વેગવાળી ચપલ ચંડ શીધ્ર પરમોત્કૃષ્ટ વેગવાળી શત્રપક્ષની ગતિને પણ પરાજીત કરવાવાળી છેક નિપુણ દિવ્ય દેવલોક સંબંધિની દેવગતિથી વારંવાર ઉલ્લંધન કરતાં ઓછામાં ઓછા એક દિવસ, બે દિવસ, અને ત્રણ દિવસ સુધી વધારેમાં વધારે છ મહીના સુધી તેઓ નિરંતર ઉલ્લંઘન કરતા રહે તો બની શકે કે તે કેટલાક નરકવાસોને પાર કરી શકે. કેટલાક નરકવાસોને પાર ન પણ કરી એવી ઉપમાવાળા અને એટલામોટા વિસ્તારવાળા નરકાવાસો આ રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યા છે. રત્નપ્રભા પૃથ્વીમાં આ નરકવાસો જેમ ઘણા વિશાળ કહ્યા છે, એજ અધસપ્તમી પૃથ્વી સુધીમાં જે નરકાવાસો છે, તે બધા પણ એવા જ પ્રકારની મહા વિશાળતાવાળા કહ્યા છે, અધઃસપ્તમી પથ્વીમાં એક લાખ યોજનની લંબાઈ પહોળાઈ વાળું જે પ્રતિષ્ઠાન નામનું નરકાવાસ છે. તેનું ઉલ્લંઘન તો તે કરી શકે છે. પરંતુ અસંખ્યાત કોડ કોડિ યોજનાના વિસ્તારવાળા, બીજા જે ચાર નરકાવાસો છે. તેનું ઉલ્લંઘન તે દેવ કરી શકતો નથી. [9] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકાવાસ છે, તે કઈ વસ્તુમય છે? સર્વ પ્રકારથી વજમય છે. નરકોમાં અનેક ખરવિનશ્વર બાદર પૃથ્વીકાયિક જીવ અને પુદ્ગલ આવતા જતા રહે છે. તે નરકાવાસો દ્રવ્યોથે દષ્ટિથી શાશ્વત છે.વર્ણ રૂપી પર્યાયોથી આ બધા અશાશ્વત પણ છે, ગંધના પર્યાયો રસના પર્યાયો સ્પર્શના તે બધા એકાત્તતઃ નિત્ય પણ નથી. તેથી તેઓમાં કથંચિત નિત્યપણું અને કથંચિતું અનિત્યપણું છે. આજ પ્રમાણે તમતમપ્રભા પૃથ્વીના નરકા વાસો સુધી સમજી લેવું [૧૦૦આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોમાં નૈરયિક જીવો કયા સ્થાનમાંથી અને કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું અસંજ્ઞીઓ માંથી આવીને ઉત્પન્ન થાય અથવા સરીસૃપો અથવા ચોપગા પ્રાણીયોમાંથી અથવા સ્ત્રિયોમાંથી કે મત્સ્ય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy