SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 49 પ્રતિપત્તિ-૩, ગેરયિક ઉદેસી-૨ પૃથ્વીના નરકો કહેલા છે. એ જ પ્રમાણે તમા નામની પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. [7] રપ્રભા પૃથ્વીમાં જે નરક છે. તે કેટલી વિશાળતા વાળા કહેવામાં આવેલ છે? હે ગૌતમ! આ નરક ત્રણ હજાર યોજનની વિશાળતાવાળા કહેલા છે. તે નીચેની પાદપીઠમાં એક હજાર યોજન સુધી ધનપણાથી રહેલા છે. પીઠના ઉપરના મધ્ય ભાગમાં તે એક હજાર યોજન સુધી સુષિર છે. તથા ઉપરમાં શિખરના જેવા એક હજાર યોજન સુધી તે સંકુચિત થતા ગયા છે. આ રીતે આ વિશાળતામાં ત્રણ હજાર યોજન થઈ જાય છે. આજ પ્રમાણે શર્કરા પ્રભાં પૃથ્વીથી લઈને અધસપ્તમી પૃથ્વી સુધી સમજવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં જે તે નરકો છે. તે કેટલી લંબાઈ વાળા અને કેટલી, પહોળાઈવાળાં કહેલ છે ? અને તેનો પરિક્ષેપ ઘેરાવો કેટલો છે? ગૌતમ ! પહેલી પૃથ્વીમાં બે પ્રકારના નરક કહેલ છે. સંખ્યાત યોજના વિસ્તારવાળા અને અસંખ્યાત યોજનના વિસ્તારવાળા તેમાં જે સંખ્યાત યોજન વિસ્તાર વાળા છે તે હજાર યોજનના. લાંબા પહોળા છે. અને જે અસંખ્યાત યોજનાના વિસ્તાર વાળો છે. તેઓ અસંખ્યાત યોજનના લંબાઈ પહોળાઈ વાળા છે. તેની પરિધિ પણ અસંખ્યાત હજાર યોજનની છે. એજ પ્રમાણે તમપ્રભા પૃથ્વી સુધી સમજી લેવું હે ભગવનું અધસપ્તમી પૃથ્વીમાં જે નરકો છે, તે કેટલી લંબાઈ વાળા, અને કેટલી પહોળાઈ વાળા અને કેટલી પરિધિવાળાછે? અધસપ્તમી પૃથ્વીમાં જે નરક છે, તે બે પ્રકારના છે. સંખ્યાત વિસ્તારવાળું એક અને અસંખ્યાત વિસ્તાર વાળા. તેમાં જે નરક સંખ્યાત વિસ્તારવાળું છે. તે એક અપ્રતિષ્ઠાન નરક જ છે તે એક લાખ યોજનની લંબાઈ પહોળાઈવાળું છે. તથા તેની પરિધિ 31227 યોજન ત્રણ.કોસ એકસો અઠયાવીસ ધનુષ સાડાતેર આગળથી કંઈક વધારે છે. તથા જે નરક અસંખ્યાત યોજનાના વિસ્તાર વાળા છે. તે ચાર છે. તે અસંખ્યાત યોજનની લંબાઈ પહોળાઈ વાળા છે. તથા-તેની પરિધિપણ અસંખ્યાત હજાર યોજનની છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ કેવા વર્ણવાળા કહેલા છે ? હે ગૌતમ ! આનરકાવાસી કાળા અને કાલાવાભાસવાળા, જેને જોતાંજ રૂવાડા ઉભા થઈ જાય એવા ભયંકર, ત્રાસ ઉત્પન્ન કરવાવાળા અને અત્યંત કૃષ્ણવર્ણ વાળા કહેલા છે એજ પ્રમાણેનું તમસ્તમઃ પ્રભાસુધીના નરકાવાસોના વર્ણનના સંબંધમાં પણ કથન કહેવું જોઈએ [૮]હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નરકો કેવા પ્રકારના ગંધવાળા કહ્યાછે? મરેલા સાપનું જે પ્રમાણેનું કલેવર શરીર હોય છે, મરેલી ગાયનું, મરેલા કૂતરાનું, મરેલી બીલાડીનું, મરેલા. મનુષ્યનું ,મરેલી ભેંસનું મરેલા ઉંદરનું, મરેલા હાથીનું, મરેલા સિંહનું, મરેલા વાઘનું, મરેલા વરૂ, મરેલા દીપડાનું શરીર હોય છે, અને આ બધા મરેલાના શરીરો માનો કે ધીરે ધીરે ફૂલીને સડી ગયેલા હોય, સડીને ફાટી હોય, અને જેમાંથી દુર્ગધ આવતી હોય અને એજ કારણથી જે અશુચિ-અપવિત્ર સ્પર્શ કરવા યોગ્ય ન હોય, જેમાં કીડાઓનો સમુદય ખદબદી રહયો હોય તેના કરતાં પણ અનંતગણી વધારે દુર્ગધ એ નરકોમાં હોય છે. આ નરકો એવા નથી આ નરકો તો કેવળ અસુંદર જ છે. વાવતુ મનને ગમે તેવા હોતા જ નથી. આજ પ્રમાણે તમસ્તમાં પૃથ્વીના નરકો પર્વત જાણવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકો છે. તે બધા કેવા પ્રકારનાં સ્પર્શવાળા હોય છે ? હે ગૌતમ ! -તલવારનો જેવો સ્પર્શ હોય છે, તેવો તથા અસ્તરાની ધારનો, કદંબવારકા પત્ર શક્તિ નામના આયુધ, ભાલાની ધારનો, તોમર નામના શસ્ત્રધારનો, Jant Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy