SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ - , , , , પ્રતિપત્તિછે. તેઓને સ્પર્શ રચના અને પ્રાણ આ ત્રણ ઈન્દ્રિયો હોય છે. તેમની સ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી 49 રાતદિવસની હોય છે. બાકીના જે શરીર સંહનન, વિગેરે દ્વારો છે. તે બધા બે ઈન્દ્રિયવાળા જીવોના કથન પ્રમાણે જ છે. આ જીવો દ્વિગતિક અને દ્વયાગતિક હોય છે. આ પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે. [38] હે ભગવન ચૌઈદ્રિય જીવોના કેટલા ભેદો કહેલા છે? અનેક પ્રકારના કહ્યા છે આલ્પિકા, પત્રિકા યાવતુ ગોમયકીડા ચોઈદ્રિય જીવો સંક્ષેપથી બે પ્રકારના કેહલા છે. પયમિક અને અપયમિક હે ગૌતમ ! તેઓને ત્રણ શરીરો હોય છે.-દારિક શરીર, તૈજસ અને કાશ્મણ. શરીરની અવગાહના જઘન્ય થી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી ચાર કોસ પ્રમાણની છે. તેઓની ઈદ્રિયો સ્પર્શન રસના, દ્માણ અને ચક્ષુ એ પ્રમાણે ચાર હોય છે. તેઓને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ બે દર્શનો હોય છે. સ્થિતિદ્વારમાં તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી તેઓની સ્થિતિ છમાસની હોય છે. આ સિવાય બીજા જે સંસ્થાન વિગેરે દ્વારા છે, તે બધા પ્રત્યેક શરીરથી પર્યત ઈદ્રિય જીવોના પ્રકરણમાં જે પ્રમાણે પ્રતિપાદન કર્યા છે, એજ પ્રમાણે પ્રતિપાદન કરી લેવું. [39] હે ભગવાન પંચન્દ્રિય જીવોના કેટલા ભેદો છે? હે ગૌતમ ! પંચેન્દ્રિય જીવોને પાંચ ઈદ્રિયો હોય છે, તેના ચાર પ્રકારો આ પ્રમાણે છે. નૈરયિકજીવો તિયંગ્યોનિકજીવ, મનુષ્યજીવ અને દેવ [40] નરયિક જીવો કેટલા પ્રકારના છે? નૈરયિક જીવો સાતપ્રકારના કહેલા છે રત્નપ્રભા પૃથ્વી નૈરયિક યાવત્ અધસપ્તમી પૃથ્વી નૈરયિક. આ સાતે નારકો સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે પર્યાપ્તક અને અપર્યાપ્તક તેઓને ત્રણ શરીરો કહેલા છે. વૈક્રિય શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર, તેમની શરીરાવગાહના બે પ્રકારની કહેલી. છે-ભવ ધારણીય શરીરવગાહના અને બીજી ઉત્તરક્રિય શરીરવગાહના. ભવધારણીય શરીરાવ ગાહના જઘન્યથી આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે હોય છે. ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ પ્રમાણવાળી હોય છે. ઉત્તરવૈક્રિયકી શરીરવગાહના જઘન્યથી. આંગળના સંખ્યામાં ભાગપ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટથી સાતમી પૃથ્વીમાં આ અવગાહના એક હજાર ધનુષ પ્રમાણની હોય છે. નારક જીવોના શરીર છ સંહનાનોમાંથી કોઈ પણ સંહનન વાળા હોતા નથી તેઓમાંનાડીયો પણ હોતી નથી, તેથી તેઓના શરીરોને સંહનન વિનાના કહેલ છે. જે મુદ્દગલો અનિષ્ટ છે અકાન્ત છે, અકમનીય છે, અપ્રિય છે, અમનોરૂપ છે મનને રૂચિકર નથી. એવા તે પુદ્ગલો એ નારક જીવોના શરીરના સંઘાતરૂપી પરિણામને પ્રાપ્ત થઈ જાય છે. નારકજીવોના શરીર બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક ભવધારણીય શરીર અને બીજું ઉત્તર વૈકિય શરીર તે બંને શરીરો હુંડક સંસ્થાનવાળા હોય છે. નારકજીવોને ચાર કષાય જ હોય છે. ચાર સંજ્ઞાઓ હોય છે. કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ જ વેશ્યાઓ હોય છે. પાંચ ઈન્દ્રિયો હોય છે. ચાર સમુદ્દઘાતો હોય છે. વેદના સમુદ્યાત 1 કષાય સમુદ્યાત 2 મારણાન્તિક સમુદ્ર ઘાત અને વૈક્રિયસમુદ્રઘાત 4, તે નારકજીવો સંજ્ઞી પણ હોય છે, અને અસંજ્ઞી પણ હોય છે. કેવળ નપુંસક વેદવાળા જ હોય છે. છ પર્યાદ્ધિવાળા અને છ અપયમિવાળા હોય છે. આ નારક જીવો ને ત્રણ પ્રકારની દૃષ્ટિએ હોય છે, ત્રણ દર્શન હોય છે. તે જ્ઞાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy