SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 18 જીવાજીવભિગમ- 134 સ્થિતિ આટલા સિવાય બાકીના બીજા તમામઢારોનું કથન બાદર વાયુકાયિકોના સંબંધમાં જે પ્રમાણે કહ્યું છે તેજ પ્રમાણે સૂક્ષ્મ વાયુકાયેિ કોના સંબંધમાં પણ સમજવું. તથા બે ગતિમાંથી આવવા વાળા હોય છે. હે શ્રમણ ! આયુષ્યનું પ્રત્યેક શરીરી બાદર વાયુકાયિક અસંખ્યાત છે. * [35] હે ભગવને જેઓ ઔદારિક શરીર, નામ કર્મના ઉદયવાળા એક ત્રસ જીવો છે. તે કેટલા પ્રકારના છે? ચાર પ્રકારના બે ઈન્દ્રિય યાવતુ પંચદ્રિય ત્રસ, [36] હે ભગવનું બે ઇન્દ્રિયવાળા જીવોના કેટલા ભેદો છે? હે ગૌતમ અનેક પ્રકારના હોય છે. પુલાકૃમિક યાવત્ સમુદ્ર લિક્ષ. આ બે ઇન્દ્રિય જીવો સંક્ષેપથી બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક પર્યાપ્તક દ્વીન્દ્રિય જીવો અને બીજા અપતિક દ્વિીન્દ્રિય જીવો. આ જીવોને કેટલા પ્રકારના શરીરો કહેલા છે? ત્રણ શરીરો કહેલા છે. ઔદારિક,શરીર, તૈજસ શરીર, અને કામણ શરીર. આ દ્વીન્દ્રિય વાળા જીવોના શરીર ની અવગાહના કેટલી મોટી કહી છે? તેઓના શરીરની અવગાહના જઘન્યથી આગળ ના અસંખ્યાત ભાગ પ્રમાણની અને ઉત્કૃષ્ઠથી બાર યોજન પ્રમાણની કહેલી છે. તેમનું સંહનન સેવાતું હોય છે. દ્વીન્દ્રિય જીવો હુંડક સંસ્થાનવાળા કહેવાય છે, તેઓને ચાર કયાયો હોય છે ચાર સંજ્ઞાઓ હોય છે. ત્રણ લેશ્યાઓ હોય છે. ત્રણ સમુદુઘાત હોય છે. આ જીવો અસંજ્ઞી હોય છે. નપુંસકવેદ વાળા જ હોય છે. તેઓ પાંચ પતિયોવાળા હોય છે, અને પાંચ અપતિયોવાળા હોય છે. આ બે ઈન્દ્રિયવાળા જીવો સમ્યગુદષ્ટિવાળા પણ હોય છે. અને મિથ્યાર્દષ્ટિવાળા પણ હોય છે તેઓ ફકત અચક્ષુ દર્શની હોય છે. તેઓ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જો તેઓ જ્ઞાની હોય તો તેઓ નિયમથી બે જ્ઞાનવાળા હોય છે. અભિનિબોધક જ્ઞાની અને શ્રુતજ્ઞાની. જો અજ્ઞાન વાળા હોય છે, તો તે બે અજ્ઞાન વાળા હોય છે. જેમકે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન તેઓ વચન યોગવાળા તથા કાયયોગવાળા હોય છે. સાકારોપયોગવાળા પણ હોય છે. અને અનાકારોપયોગવાળા પણ હોય છે. નિયમથી છએ દિશાઓમાંથી આવેલા પગલદ્રવ્યો નો તેઓ આહાર કરે છે. આ જીવોનો ઉપપાત તિર્યંચ અને મનુષ્યોમાં તિર્યંચ અને મનુષ્યોમાં હોય છે. મનુષ્યોમાં પણ અસંખ્યાતવર્ષની આયુષ્ય વાળા મનુષ્યોમાં તેઓનો જન્મ થતો નથી. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે અને ઉત્કૃષ્ટથી બારવર્ષની હોય છે. તેઓ મારણાન્તિક સમુઘાત કરીને પણ મરે છે, અને મારાન્તિક સમુઘાત કર્યા વિના પણ કરે છે. આ બે ઈન્દ્રિય વાળા જીવો બે ઈન્દ્રિય ગતિમાંથી નીકળી ને તિર્યંચગતિ અને સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યોમાં આ બે ગતિયોમાં જ ઉત્પન્ન થાય છે. બે ગતિવાળા હોય છે. અને દ્વયાગતિક હોય છે. [37] હે ભગવાન તે ઈન્દ્રિય જીવોના કેટલા ભેદ છે? હે ગૌતમ તે ઈદ્રિય જીવો અનેક પ્રકારના કહેલા છે ઓવઈયા રોહિણિકા થી લઈને હસ્તિશુડના સુધીના જીવ તેઈન્દ્રિય જીવ છે. તથા આવાજ બીજ પણ જે જીવો છે તે સઘળા તે ઇન્દ્રિય જીવો સમ જવા. તેઈન્દ્રિય જીવો સંક્ષેપથી બે પ્રકારના શરીર દ્વારથી લઈને ગત્યાગતિક દ્વારસુધીનું તેઓનું વર્ણન જે પ્રમાણે દ્વીન્દ્રિય જીવોના પ્રકરણમાં કર્યું છે. એ જ પ્રમાણેનું સમજી લેવું. વિશેષતા એ કે બે ઈન્દ્રિય જીવોની જેમ ત્રણ ઇન્દ્રિય વાળા જીવોની જઘન્ય અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણની છે. અને તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ કોસની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy