SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 19 પ્રતિષત્તિ-૧ ગતિમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિયોમાંથી આવે છે. [33] હે ભદન્ત ! બાદર તેજસ્કાયિકો કેટલા પ્રકારના છે? બાદર તેજસ્કાયિક જીવો અનેક પ્રકારના કહ્યા છે. અંગાર, વાલા, મુર્મરાવસ્થાવાળો અગ્નિ યાવતું સૂર્ય કાન્ત મણિમાંથી નીકળેલ અગ્નિ આ કહેલ અગ્નિના ભેદો સિવાય જે આવા પ્રકારની અગ્નિ હોય તે તમામ અગ્નિઓ પણ બાદર તેજસ્કાયિક અગ્નિ કહેવાય છે. આ બાદર તેજસ્કાયિક અગ્નિ સંક્ષેપથી બે પ્રકારના કહેલ છે, પર્યાપ્ત અને અપર્યાપ્ત હે ભગવનું આ બાદર તેજસ્કાયિકોને કેટલા શરીરો હોય છે ? ત્રણ પ્રકારના ઔદારિક, શરીર, તૈજસ શરીર અને કામર્ણ શરીર, શરીર દ્વારના કથન સિવાય અવગાહના દ્વાર અને સંહન દ્વારાનું કથન પૃથ્વી કાયિકોના પ્રકરણમાં પ્રમાણે સમજવું. પરંતુ આ બાદર તેજસ્કાયિ કોના શરીરદ્વાર અને સંસ્થાન દ્વારા પૃથ્વીકાયિકોથી જુદા પ્રકારનું હોય છે. જેમકે બાદર તેજસ્કાયિકોનું શરીર સૂચિકલાપ-નામના સંસ્થાનવાળું હોય છે. આ સિવાય લેશ્યા. દ્વાર, ચિતિદ્વાર અને ઉપપાત દ્વારમાં પણ ભિન્નતા છે જેમકે બાદર તેજસ્કાયિકોને કૃષ્ણ નીલ અને કાપોત એ ત્રણેજ વેશ્યાઓ હોય છે. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે, અને ઉત્કૃષ્ટથી રાત્રી દિવસની હોય છે. ઉત્પત્તી તિર્યંચ અને મનુષ્ય ગતિથી હોય છે. લેશ્યા દ્વાર સ્થિતિદ્વારાના કથન સિવાયનું બધાદ્વારોનું કથન પૃથ્વીકાયિકોનું જે પ્રમાણે કથન કર્યું છે, તેજ પ્રમાણેનું સમજવું આ મરીને કેવળ એક તિય ગતિમાં જવાવાળા હોય છે. તેઓ તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિમાંથી આવેલા જીવોમાંથી ઉત્પન્ન થાય છે. પ્રત્યેક શરીરી. અસંખ્યાત કહ્યા છે. આ પ્રમાણે બાદર તેજસ્કાયિકોનું નિરૂપણ કર્યું છે. [34] હે ભગવન આ વાયુકાયિકોના કેટલા ભેદ હોય છે? વાયુકાયિક જીવો બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મ વાયુકાયિક અને બાદર વાયુકાયિક અહિં સૂક્ષ્મ વાયુકાયિકોનું વર્ણન સૂક્ષ્મ તેજસ્કાયિકોના કથન પ્રમાણે જ છે. વિશેષ એ કે તેઓનું શરીર પતાકા ધ્વજાના આકાર જેવું હોય છે. આ જીવો એક ગતિવાળા હોય છે, બે ગતિમાંથી આવવા વાળા કહેલા છે. પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે. હે ભગવન્ બાદર વાયુકાયિક જીવોનુંતેના કેટલા ભેદો છે? બાદર વાયુકાયિક જીવો અનેક પ્રકારના કહેલા છે. પ્રાચીન વાયુ પ્રતીચીન વાયુ, વિગેરે બીજા પણ જે પ્રાચીન વાયુ વિગેરેના જેવા પણ પ્રાચીન વાયુથી બીજા પ્રકારના વાયુઓ છે તે બધાને બાદર વાયુ કાયિક પણાથી જે માનેલા છે. વાયુકાયિક સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્ત વાયુકાયિક અને અપર્યાપ્ત વાયુ કાયિક. હે ભગવનુ આ બાદર વાયુકાયિકોના કેટલા શરીરો હોય છે? ચાર શરીર હોય છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ. શરીરનું સંસ્થાન પતાકા-ધજાના જેવું હોય છે. ચાર સમુઘાતો હોય છે, વેદના મુદ્દાત 1, કષાય સમુદ્દઘાત 2, મારણાંતિક સમુદ્રઘાત 3, અને વૈક્રિય સમુદ્દઘાત આ વાયુકાયિક જીવોનો આહાર વ્યાઘાતના અભાવમાં છ એ દિશાઓ માંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોનો હોય છે. અને જ્યારે વ્યાઘાત થાય છે, તે વખતે એમનો આહાર કોઈ વાર ત્રણ દિશાઓથી અને કોઈ વાર ચાર દિશા ઓમાંથી અને કોઈ વાર પાંચ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોનો હોય છે. તેઓનો ઉત્પાદ-કેવળ તિર્યગતિમાં જ હોય છે સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષના હોય છે. શરીર, સંસ્થાન, સમુદૂધાત આહાર, ઉત્પાદ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy