SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 16 જીવાજીવાભિગમ - 1-24 બહુબીજવાળા વૃક્ષોના મૂળ અસંખ્યાત જીવોથી વ્યાપ્ત હોય છે. વાવ તેના ફલો બહુ બીજવાળા હોય છે. આ વૃક્ષરૂપી વનસ્પતિકાય જીવોનું સંસ્થાન અનેક પ્રકારનું હોય છે. ક્યા વૃક્ષોના સ્કંધ માં એક જીવ હોય છે? તાલસરલ, નાળીએરી આ પ્રત્યેક વૃક્ષોમાં એક એક જીવ હોય છે અને તેના સ્કંધોમાં પણ એક એક જીવ હોય છે. જે શ્લેષ દ્રવ્ય પદાર્થથી મિશ્રિત થયેલ સર્ષવોનીગોળી એક રૂપ અને એક આકારવાળી હોય છે, એ જ પ્રમાણે પ્રત્યેક શરીરી જીવોના શરીરસંઘાત જૂદા જૂદા સ્વ, સ્વ, અવગાહના વાળા હોય છે. જેવી રીતે તલ પ્રધાન લોટવાળી અપૂપિકા-તલપાપડી, તે જેમ અનેક તલથી મળેલી હોય છે. તો પણ એકજ કહેવાય છતાં પણ તેમાંના તલ જુદા જુદા પોત પોતાની અવગાહનામાં રહેલા છે. એ જ પ્રમાણે પ્રત્યેક શરીરી જીવોના શરીરસંઘાત પણ કથંચિત એક રૂપ થઈને પણ પૃથક પૃથક પોતપોતાની અવગાહનામાં રહે છે. તેઓ અહિંથી મરીને તિર્યંચ અને મનુષ્ય અને ગતિમાં જ જાય છે તથા તિર્યંચ મનુષ્ય અને દેવએ ત્રણ ગતિમાંથી નીકળી ને અહિંયા ઉત્પન્ન થાય છે, આ પ્રત્યેક શરીરી અસંખ્યાતું હોય છે, [29] હે ભગવાન જે સાધારણ શરીર બાદર વનસ્પતિ જીવ છે. તેના કેટલા ભેદો છે? હે ગૌતમ! સાધારણ શરીર બાદરવનસ્પતિકાયિક જીવ અનેક પ્રકારના કહેલા છે, જેમકે- આલ, મૂળા, આદુ, હિરિલી, સિરિલી, સિસ્પિરિલિ. કિટિકા, ક્ષીરિક, ક્ષીરવિડા લિકા, ક્રિષ્ણકંદ, વજકંદ, સૂરણકંદ, ખલુટ, ક્રિમિરાશી, ભદ્રમોથા, હલદર, લૌહ, હિ થુવર, તિભ, અશ્વકર્ણા, સિહકર્ણ, સીકંઠી, મૂષઢી એજ પ્રમાણે બીજા પણ જે આના જેવા હોય તે પણ સાધા રણ વનસ્પતિકાયમાં ગ્રહણ કરી લેવા, તે સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. પર્યાપક અને બીજા અપર્યાપ્તક હે ભગવન! આ સાધારણ વનસ્પતિ કાયિકોને કેટલા શરીર હોય છે? ત્રણ પ્રકારના શરીરો કહેલા છે,ઔદારિક, તૈજસ અને કામણ બાદર પૃથ્વીકાયિકોના પ્રકરણમાં બાદરપૃથ્વીકાયિકોના શરીર વિગેરે દ્વારનું જે પ્રમાણે કથન કર્યું છે, એ જ પ્રમાણે તે સઘળા દ્વારોનું કથન આ બાદરવનસ્પતિકાયિકોના સંબંધમાં પણ સમજી લેવું વિશેષ એ કે બાદરવનસ્પતિ કાયિકોના શરીરના અવગા. હના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણની હોય છે. અને ઉત્કૃષ્ટ કંઈક વધારે એક હજાર યોજન હોય છે. બાદર વનસ્પતિકાયિકા જીવોના જે શરીરો છે, તે અનિત્યં સંસ્થાન વાળા છે. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દસ હજાર વર્ષની છે. જીવોની ઉત્પત્તી તીર્થંચ અને મનુષ્યોમાં થાય છે. તેમજ તિર્યંચ મનુષ્ય અને દેવ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રત્યેક શરીર અસંખ્યાત અને અપ્રત્યેક શરીર અનંત કહેલા છે, [30] હે ભગવનું ત્રસજીવો કેટલા પ્રકારના કહ્યા છે? ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. તેજસ્કાયિક, વાયુકાયિક અને ઔદારિક ત્રસ પ્રાણી. [31] હે ભગવન તેજસ્કાયિક જીવોના કેટલા ભેદો કહ્યા છે? તેના બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મ તેજસ્કાયિક અને બાદર તેજકાયિક [32] હે ભગવનું સૂક્ષ્મ તેજસ્કાયિકના કેટલાભેદ છે? જે પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વી કાયિકોનું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે આ સૂક્ષ્મ તેજસ્કાયિકજીવોનું પણ કથન સમજી લેવું કેવળ તેમના શરીર સૂચિકલાપ જેવા સંસ્થાન વાળા છે. તે કેવળ તિર્યંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy