SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૧ અકાયિકા જીવોના પણ સમજવા. આ સૂક્ષ્મ અપ્રકાયિકોનું સંસ્થાન- તિબુક બુંદ બુદ એટલે કે પાણીના પરપોટા જેવું છે. બાકીના દ્વાર સૂક્ષ્મપૃથ્વીકાયિકો પ્રમાણે સમજી લેવું. [18] હે ભગવનું બાદર નામ કમદયવાળા તે બાદર જીવો કેટલા પ્રકારના છે? ગૌતમ ! બાદ અકાયિક જીવો અનેક પ્રકારના કહેલા છે. ઓસ, હિમ, યાવતુ એ પ્રમાણેના બીજા પણ જેઓ છે, તે બધા બાદર અપ્રકાયિકા જીવો છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક આ સંબંધી સઘળું કથન બાદર પૃથ્વીકાયિકાન સંબંધમાં કર્યું છે, એ જ પ્રમાણે સમજવું. બાદર પૃથ્વિકાયિકો કરતાં આ બાદર અપૂકાયિકોમાં સંસ્થાન, વેશ્યા આહાર,ઉપપાત અને સ્થિતિ આ પાંચ દ્વારના કથનમાં વિશેષ પણું છે, તે જ કહેવામાં આવે છે. બાદર અપુકાયિકોના શરીરનું સંસ્થાન પાણીના બૂદ બુદ એટલે કે પરપોટા જેવું છે, કૃષ્ણ નીલ, કપોત, અને તેજસ આ ચાર લેશ્યાઓ હોય છે, આહાર નિયમથી છ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોનો હોય છે. તેમનો ઉત્પાદ, તીર્થંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ માંથી થાય છે. તેઓની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહંતની હોય છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ સાત હજાર વર્ષની હોય છે, આ કથન સિવાયનું બાકીનું બીજા સઘળું કથન બાદર પૃથ્વીકાયિકોના કથન પ્રમાણે જ છે. " [૧૯ીવનસ્પતિકાયિક જીવો કેટલા પ્રકારના હોય છે ? બે પ્રકારના કહેવામાં આવે છે. સૂક્ષ્મવનસ્પતિકાયિક અને બાદરવનસ્પતિ કાયિક, ] સૂમ વનસ્પતિકાયિક જીવોના કેટલા પ્રકારના છે. બે પ્રકારના કહેલા છે. પર્યાપ્તિ અને અપર્યાપ્ત આ સૂક્ષ્મ વનસ્પતિક જીવના સંબંધમાં શરીર વિગેરે દ્વારનું કથન સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવના સંબંધમાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું. વિશેષતા કે આ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોનું સંસ્થાન અનિત્થસ્થ હોય છે. - 21 હે ભગવનું બાદર વનસ્પતિકાયિકોના કેટલા ભેદો કહ્યા છે? બે પ્રકારના પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિક અને સાધારણશરીર બાદર વનસ્પતિકાયિક [22-23] પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકા જીવો કેટલા પ્રકારના કહેલા છે? બાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે. રૂક્ષ-ગુચ્છ-ગુલ્મ-લતા- વલી પનક તૃણ વલયહરિત - ઔષધિ જળ રહ અને કુહણ 24] વૃક્ષો બે પ્રકારના કહ્યા છે. એકત્યિક અને બહુ બીજક, હે ભગવનું એક સ્થિક વૃક્ષો કેટલા પ્રકારના હોય છે? એકસ્થિક વૃક્ષો અનેક પ્રકારના હોય છે. જેમકે લીંબડો, આંબો, જાંબુ ધાવતું પુત્રા, નાગવૃક્ષ. અને અશોક વૃક્ષ. બીજા પણ એવા પ્રકારના ફળવાળા વૃક્ષો પણ જે એકચિક પદથી ગ્રહણ કરાયા છે. આ લીમડા વિગેરે ઝાડોના મૂળ પણ અસંખ્યાત જીવોવાળા હોય છે. એ જ પ્રમાણે આ વૃક્ષોના કન્દ,સ્કંધ, ત્વચા શાખા પ્રવાળ આ બધા અસંખ્યાત જીવોવાળા હોય છે તેના ફળોમાં કેવલ એકજ ગોઠલી બી હોય છે. તથા તેના પુષ્પો અનેક જીવોવાળા હોય છે. આ પ્રમાણે લીમડાના વૃક્ષ વિગેરેને એકશ્ચિક કહ્યા છે. હે ભગવનું બહુબીજવાળા વૃક્ષો ક્યા ક્યા છે ? બહુબીજવાળા વૃક્ષો અનેક પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે અસ્થિક, હિંદુક, ઉમરડો, કોંઠા વિગેરે એજ પ્રમાણે આમલક, પનસ, દાડમ, અનાર વડનું ઝાડ કાકોદુમ્બરીય. તિલક, લકુચ અને લોધ આ બધા વૃક્ષો બહુબીજવાળા હોવાથી બહુબીજક કહેવાય છે. બીજા જે આ વૃક્ષોના જેવા વૃક્ષો હોય છે તે બધા જ બહુબીજ વૃક્ષોમાં ગણેલા છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy