SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ- 1-14 તિર્યોમાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! તે સૂક્ષ્મપૃથ્વીકાયિકાજીવો મરીને અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભોગભૂમિના તિર્યંચોને છોડીને પર્યાપ્ત અપ ર્યાપ્ય એક ઇન્દ્રિયવાળા તિર્યંચયનિકોથી લઈને પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચયોનિકામાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, તો અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને છોડીને અકર્મભૂમિના તથા અંતર દ્વીપના અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ભોગભૂમિના મનુષ્યોને છોડીને બીજા પર્યાપ્તક અપર્યાપક મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન્! આ જીવો કેટલી ગતિવાળા અને કેટલી આગતિવાળા હોય છે ? હે ગૌતમ આ જીવો બે ગતિવાળા હોય છે. તિર્યંચગતિ અને મનુષ્યગતિ, તેઓ તિર્યંચ અને મનુષ્ય ગતિ આ બે ગતિયોમાંથી જ આવે છે. હે ગૌતમ આ જીવો પ્રત્યેક શરીરવાળા હોય છે. અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણવાળા હોવાથી અસંખ્યાત કહેલા છે. આવા પ્રકારના આ સૂક્ષ્મપૃથ્વીકાયિકો છે. [15] હે ભગવન બાદર પૃથ્વીકાયિકોના કેટલા ભેદ હોય છે? હે ગૌતમ ! બે પ્રકારના હોય છે, શ્લફ્યુબાદરપૃથ્વીકાવિક અને ખરબાદર પૃથ્વીકાયિક [16] હે ભગવન્ શ્લષ્ણ બાદર પૃથ્વીકાયિકજીવો કેટલા પ્રકારના કહ્યા છે ? ગ્લક્ષ્મ બાદર પૃથ્વીકાયિક જીવો સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, કૃષ્ણ મૃત્તિકા વિગેરે પ્રજ્ઞાપનાસૂત્રમાં આ શ્લણ બાદર પૃથ્વીકાયિકોના ભેદો કહ્યા છે હે ભગવનું તે જીવોના કેટલા શરીરો કહેલા છે? તે ત્રણ પ્રકારના શરીર હોય છે. ઔદારિક તૈજસ અને કામણ શરીર તથા સૂક્ષ્મપૃથ્વી કાયિકની અવગાહના વિગેરે સંજ્ઞા દ્વારા સુધીના છ કારોનું વર્ણન જે રીતે કરેલ છે એજ પ્રમાણે બાદર પૃથ્વી કાયિકોનું સમજવું વિશેષ એ કે બાદરપૃથ્વીકાયિકજીવોને ચાર લેશ્યાઓ, એમના આહાર નિયમથી છ દિશાઓથી હોય છે. તિયંગ્યાનિકોમાંથી મરેલા જીવો, મનુષ્યયોનિમાંથી મરેલા જીવો, અને દેવાયો નિમાંથી Àવેલા જીવો બાદર પૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થઈ શકે છે. વ્યન્તર દેવથી લઈને સૌધર્મ અને ઈશાન દેવ સુધીના દેવજ ચ્યવીને બાદર પૃથ્વીકાયિકા પણાથી ઉત્પન્ન થઈ શકે છે. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને તેમની સ્થિતિ ઉત્કૃષ્ટ થી બાવીસ હજાર વર્ષની છે. હે ભગવન્ આ બાદરપૃથ્વીકાયિક જીવો શું મારણાન્તિક સમુદ્યાતથી મરે છે? અથવા મારણાન્તિક સમુઘાતથી કર્યા વિના મારે છે? હે ગૌતમ ! બંને રીતે. હે ભગવન આ બાદરપૃથ્વી કાયિકજીવો મરીને ક્યાં જાય છે? અને ક્યાં ઉત્પન્ન થાય છે હે ગૌતમ ! આ જીવો મરીને તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવનુ તે જીવ મરીને કેટલી ગતિયોમાં જવાવાળા હોય છે ? અને કેટલી ગતિયોમાંથી આવવાવાળા હોય છે ? હે ગૌતમ આ જીવ મરીને તિર્યંચ ગતિ અને મનુષ્ય ગતિમાં જાય છે. અને તિર્યંચમનુષ્ય તથા દેવગતિ થી આવે છે. હે શ્રમણ પ્રત્યેક શરીરવાળા જીવના પ્રદેશો અસંખ્યાત લોકાકાશ પ્રમાણે હોવાથી અસંખ્યાત કહ્યા છે. [૧૭]અપૂકાયિક જીવ બે પ્રકારના હોય છે. તે આ પ્રમાણે સૂક્ષ્મ અકાયિક અને બાદર અપ્રકાયિક સૂક્ષ્મ અપ્રકાયિક જીવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે સૂક્ષ્મ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત. હે ભગવનું સૂક્ષ્મ અપુકાયિક જીવોને કેટલા શરીરો કહેલા છે? ત્રણ શરીરો કહેલા છે. ઔદારિક તૈજસ અને કાર્મણ. સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોના અવગાહનાદિ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યો છે. એજ પ્રમાણેના અવગાહ નાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy