SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 20 જીવાજીવાભિગમ - 14 હોય છે, અને અજ્ઞાની પણ હોય છે જે જ્ઞાની હોય છે તે નિયમથી ત્રણ જ્ઞાન વાળા હોય છે આભિનિબોધક જ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. જે અજ્ઞાની હોય છે તેમાં કોઈ બે અજ્ઞાનવાળા હોય છે અને કોઈ કોઈ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. જે નારકો બે પ્રકારના અજ્ઞાનવાળા હોય છે. તેઓ નિયમથી મતિ અજ્ઞાનવાળા અને શ્રુતજ્ઞાનવાળા હોય છે. જે ત્રણ અજ્ઞાનવાળા હોય છે તેઓ નિયમથી મતિ અજ્ઞાનવાળા કૃત અજ્ઞાનવાળા અને વિભંગ જ્ઞાનવાળા હોય છે. નારક જીવોને ત્રણ પ્રકારનો યોગ હોય છે કે-મનોયોગ, વચનયોગ અને કાયયોગ. નારક જીવોને સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ આ બે પ્રકારનો ઉપયોગ હોય છે. નારક જીવોનો આહાર છ દિશાઓમાંથી આવેલા પગલ દ્રવ્યોનો હોય છે. પ્રાયઃ કારણનો આશ્રય કરીને તેઓ વર્ણથી કાળાવર્ણવાળા પગલોનો આહાર કરે છે. નારક જીવોનો ઉપપાત તિર્યંચોમાંથી અને મનુષ્યોમાંથી હોય છે. પરંતુ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા, તિર્યંચ મનુષ્યોમાંથી થતો નથી. નારક જીવોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની હોય છે. આ જીવો મારણાત્તિક સમુઘાતથી પણ મરે છે અને સમુદ્રઘાત કર્યા વિના પણ મરે છે. પ્રજ્ઞાપના સૂત્રના છાવ્યુત્ક્રાંતિ પદમાં નારકોની ઉદ્વર્તના જે રીતે કહેલ છે, એજ પ્રમાણે તે અહિયાં પણ સમજી લેવી. તિર્યંચ અને મનુષ્યોમાં જ નારક જીવોની ઉત્પત્તી થાય છે તથા આ નારક જીવો તિર્યંચ અને મનુષ્યોમાંથી જ આવીને જન્મ ધારણ કરે છે. [41] હે ભગવનું પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા ભેદો છો ? હે ગૌતમ ! બેસંમૂર્છાિમપંચેન્દ્રિયતિયયયોનિક અને ગર્ભવ્યુત્ક્રાન્તિકાંચેન્દ્રિય તિર્યગ્લોનિક. [42] હે ભગવનું સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવ કેટલા પ્રકારના કહેલા છે? ત્રણ પ્રકારના કહ્યા છે. જલચર, થલચર અને ખેચર, [43] હે ભગવનું જલચર જીવોનાં ભેદો કેટલા કહેલા છે. જલચર જીવો પાંચ પ્રકારના કહ્યા છે. મત્સ્ય, કચ્છપ મગર ગ્રાહ અને હિંસુમારક હે ભગવાનું પાંચ પ્રકારના જલચરો પૈકી મત્સ્યોના કેટલા પ્રકારના ભેદો કહેલા છે? પ્રજ્ઞાપના સૂત્રમાં પહેલા પદમાં જે પ્રકારથી મત્સય. માછલા, કચ્છપા-કાચબા, મગર ગ્રાહ અને શિશુમારોના ભેદો કહ્યા છે, એજ પ્રમાણે તે પાંચ પ્રકારના જલચરોના ભેદો અહિયાં કહેવા જોઈએ. જલચરોના ત્રણ શરીરો કહેલા છે, ઔદારિક, તૈજસ, અને કાર્પણ શરીરોની. અવગાહ ના જઘન્યથી એક આગળના અસંખ્યાત ભાગ પ્રમાણની કહી છે અને ઉત્કૃષ્ટ થી એક હજાર યોજન પ્રમાણની કહી છે. તેઓ સેવાર્ત સંહનનવાળા હોય છે, તેઓના શરીર હુડક સંસ્થાનવાળા હોય છે તેઓને ચાર કષાયો હોય છે. ચાર સંજ્ઞાઓ હોય છે કૃષ્ણ, નીલ, કાપોત, તૈજસ, અને પા એ પાંચ પ્રકારની લેગ્યાઓ હોય છે. પાંચ ઈદ્રિયો હોય છે. વેદના, કષાય, અને મારાન્તિક આ ત્રણ સમુદ્ગાતો હોય છે, તેઓ અસંશી હોય છે. તેઓ બધા નપુંસક વેદવાણાજ હોય છે. પાંચ પાણિયો અને પાંચ અપયર્મિયો હોય છે. આ જીવ સમ્યગુદષ્ટિય વાળાપણ હોય છે અને મિથ્યાર્દષ્ટિવાળા પણ હોય છે. તેઓને બે દર્શનો હોય છે, બે જ્ઞાન હોય છે, બે અજ્ઞાન હોય છે, બે યોગો હોય છે, બે ઉપયોગવાળા છે. તેઓના આહાર છદિશાઓમાંથી આવેલા પુદ્ગલો દ્રવ્યોનો છે. તિર્યંચ અને મનુષ્યોમાંથી આવેલા જીવો આ જલચરોમાં ઉત્પન્ન થાય છે. જેઓ તિર્યંચોમાંથી આવે છે તેઓ અસંખ્યાતવયુષ્ક તિર્યંચો માંથી આવેલા જીવો અહિંયાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy