SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 168 જીવાજીવાભિગમ- ગ-૩૬૬ કાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટથી પણ એકસમયનો છે. પ્રથમ સમય વતિ મનુષ્યની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમય કમ ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ રૂપ છે. પ્રથમ સમયવર્તી નૈરયિકનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્ત અધિકદ સ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ પ્રમાણનું છે. અપ્રથમ સમયવતી નૈરયિકનું અંતર કાળની અપેક્ષાથી જઘન્યથી એક સમય અધિક અંતમુહૂર્તનું છે. પ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવનું કાળની અપેક્ષાથી જઘન્ય અંતર એક સમય કમ બે ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાલ પ્રમાણનું છે. અપ્રથમસમયવર્તી તિર્થગ્લોનિક જીવનું અંતર જઘન્યથી. એક સમય અધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથકત્વ રૂપ છે. મનુષ્યનું અંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાલ પ્રમાણ છે. નૈરયિકોનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક 10 દસ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાલ પ્રમાણ છે. અપ્રથમ સમયવર્તી મનુષ્ય તેના કરતાં પ્રથમ સમયવર્તી નૈરયિક અસંખ્યાત. ગણા છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે દેવ છે. તે અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે તિર્યગ્લોનિક જીવ છે. તેઓ અસંખ્યાતગણા વધારે છે અપ્રથમ સમયવર્તી નૈરયિકોનું અને યાવતુ અપ્રથમ સમયવર્તી દેવોનું અલ્પ બહુત્વ એજ પ્રમાણે છે. સૌથી ઓછા અપ્રથમ સમયવર્તી મનુષ્ય છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી નૈરયિક અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં અપ્રથમસમયવર્તી દેવ અસંખ્યાતગણા વધારે છે તેના કરતાં અપ્રથમસમયવતી તિર્યગ્ગોનિક જીવ અનંતગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમ સમયના નૈરયિકો છે. અપ્રથમ સમયવર્તી જે નરયિક છે, તેઓ અસંખ્યાત ગણા વધારે છે. એ જ પ્રમાણે તિર્યગ્લોનિક, મનુષ્ય અને દેવોમાં પ્રથમ સમય વર્તી તિર્યગ્લોનિક, મનુષ્ય અને દેવ સૌથી અલ્પ છે. અને આ પ્રથમ સમયવર્તી તિર્યંગ્યો નિક, મનુષ્ય અને દેવ પોતામાના પ્રથમ સમયવર્તી તિરંગું, મનુષ્ય અને દેવોના કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે પ્રથમસમયવતી તિર્યગ્લોનિક જીવ છે, તેઓ અસંખ્યાગણા વધારે છે. એ જ પ્રમાણે, પ્રથમ સમયવર્તી મનુષ્ય સૌથી અલ્પ છે. અને અપ્રથમ સમયવત મનુષ્ય તેના કરતાં અસંખ્યાતગણી વધારે છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવર્તી દેવો સૌથી ઓછા છે. અને અપ્રથમ સમયવર્તી દવા તેના કરતાં અસંખ્યાત ગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમ સમયવર્તી મનુષ્યો છે, અપ્રથમ સમયવર્તી જે મનુષ્ય છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી નૈરયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તી નૈરયિક અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયવતી તિર્યંગ્યોનિક જીવ અનંતગણા વધારે છે. કેમકે આ પ્રમાણે આઠ પ્રકારના સંસારી જીવોના સંબંધમાં કહેવામાં આવેલ છે. પ્રતિષત્તિઃ૭-અષ્ટવિઘનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા ! (પ્રતિપત્તિ ૮-નવવિધ) [૩૬૭]જે આચાર્યોએ એવું કહે છે કે-સંસારી જીવ નવ પ્રકારના છે તેઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy