SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૮ 169 કહેલ છે કે પૃથ્વીકાય 1 અપ્લાય 2 તેજસ્કાય 3 વાયુકાયિક 4 વનસ્પતિકાયિક પ બે ઈદ્રિય 6, ઈદ્રિય 7, ચૌઈદ્રિય 8 અને પંચેન્દ્રિય 9 અહીયાં બધાની સ્થિતિનું વર્ણન કરી લેવું જોઈએ. પૃથ્વીકાયિક જીવોની કાયસ્થિતિ અસંખ્યાત કાલની છે. આ અસંખ્યાત કાળ અસંખ્યાત ઉત્સર્પિણી રૂપ થાય છે. અન્યલોકની અપેક્ષાએ અસંખ્યાત લોક રૂપ હોય છે. એ જ પ્રમાણે અપ્લાયિક, તેજ કાયિક, અને વાયુકાયિક જીવોની કાય સ્થિતિનો કાળ પૃથ્વી કાયિક-અનંત કાળ પ્રમાણ રૂપ જ વનસ્પતિકાયિક જીવોની કાયસ્થિતિનો કાળ અનંતકાળ રૂપ છે. બે ઈન્દ્રિય, તે ઈદ્રિય, તે ઈદ્રિય, ચૌ ઈદ્રિય, આ જીવોની કાય સ્થિતિનો કાળ સંખ્યાત કાળ રૂપ છે તથા પંચેન્દ્રિય જીવોની કાય સ્થિતિનો કાળ કંઈક વધારે એક હજાર સાગરોપમનો છે. આ સઘળા જીવો નો અંતરકાળ આ પ્રમાણે છે. પૃથ્વીકાયિક જીવ જઘન્યથી એક અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટથી અંતર અનંત કાળનું હોય છે. એજ પ્રમાણેનો અંતરકાળ અકાયિકતેજસ્કાયિક વાયુકાયિક દ્વીન્દ્રિય તે ઈદ્રિય, ચૌઈદ્રિય અને પંચેન્દ્રિય જીવોના સંબંધમાં પણ સમજવું વનસ્પતિકાયિકનો અંતરકાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળનો છે. પંચેન્દ્રિય જીવ સૌથી ઓછા છે. તેના કરતાં ચાર ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં ત્રણ ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. બેઈદ્રિયવાળા જીવોનું પ્રમાણ તેના કરતાં વિશેષાધિક છે. એકેન્દ્રિય તેજસ્કાયિકનું પ્રમાણ તેના કરતાં અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં અષ્કાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષાધિક છે. આ રીતનું સ્પષ્ટીકરણ નવ પ્રકારના જે સંસારી જીવ કહેલા છે, તેના સંબંધમાં છે. | પ્રતિપત્તિ ૮-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ ૯-દશવિઘ) [368] જે મર્મજ્ઞોએ સંસારી જીવો દસ પ્રકારના છે, એ પ્રમાણે કહ્યું છે, પ્રથમ સમયવર્તીએકેન્દ્રિય, અપ્રથમસમયવર્તીએ કેન્દ્રિય, પ્રથમસમયવર્તીબેઈદ્રિય, અને અપ્રથમસમયવર્તીબેઈદ્વિન્ય, યાવતુ અપ્રથમસમયવર્તી પંચેન્દ્રિય. હે ભગવન્! પ્રથમ સમયવતી એક ઈદ્રિયવાળા જીવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? પ્રથમ સમયવર્તી એક ઈદ્રિયવાળા જીવની સ્થિતિ જધન્યથી એક સમયની છે અને ઉત્કૃષ્ટથી પણ એક સમયની છે. અપ્રથમ સમયવર્તી એક ઈદ્રિયવાળા જીવની સ્થિતિ ધૂન્યથી તો એક ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક સમય કમ બાવીસ હજાર વર્ષની આજ પ્રમાણે પ્રથમ સમયવર્તી જેટલા એકેન્દ્રિયાદિક જીવો છે, એ બધાની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એકજ અંતર્મુહૂર્તની છે. પ્રથમ સમયવતીં એક ઈદ્રિય વિગેરે જીવોની સ્થિતિ જઘન્યથી એક સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી પોતપોતાની કહેવામાં આવેલ સ્થિતિ પ્રમાણે છે. પ્રથમ સમયવર્તી સઘળા એક ઈદ્રિયવાળા વિગેરે જીવોની કાય સ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટથી પણ એક સમયનો છે. તથા પ્રથમ સમયવર્તી એકેન્દ્રિયાદિક જીવોની કાયસ્થિતિનો કાળ જઘન્યથી તો એક સમય કમ ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી એક ઈદ્રિયવાળા જીવોનો કાય સ્થિતિનો કાળ વનસ્પતિ કાલ પ્રમાણ છે. બે ઈદ્રિય, તે ઈદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીવોનો કાય સ્થિતિનો કાળ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy