SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૫ 165 શરીરબાદરવનસ્પતિ કયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વી કાયિક અપર્યાપ્તક, તેના કરતાં બાદર અષ્કાયિક અપર્યાપ્તક, તેના કરતાં પણ બાદર કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ તેજસ્કા યિક અસંખ્યાતગણી વધારે તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ અષ્કા યિક તેના કરતાં અપર્યાપ્તક વાયુકાયિક એ બધા ક્રમશઃ પછિ પછિના વિશેષાધિક થતા ગયેલ છે. સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તકના કરતાં પર્યાપ્તક સૂક્ષ્મ તેજસ્કાયિક સંખ્યાત ગણા વધારે તેના કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક તેના કરતાં સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતા પતિક બાદર વનસ્પતિકાયિક જીવ અનંતગણા છે બાદર વનસ્પતિ કાયિક જીવ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદોના કરતાં અનંતગણા વધારે છે. સામાન્ય બાદર પર્યાપ્તક, પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિકોના. કરતાં વિશેષાધિક છે, સામાન્ય પર્યાપ્ત કોના કરતાં અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગણા વધારે તેના કરતાં બાદર અપર્યાપ્તક વિશેષાધિક છે. બાદર અપર્યાપ્ત કોના કરતાં સામાન્ય બાદર જીવ વિશેષાધિક સામાન્ય બાદર જીવોના કરતાં અપ યક સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. અપર્યાપ્તક સૂક્ષ્મ જીવોના કરતાં સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તક જીવ સંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મપર્યાપ્તક વનસ્પતિકાયિકોના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. પર્યાપ્તક જીવોના કરતાં સામાન્ય સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. હે ભગવન્! નિગોદ જીવ કેટલા પ્રકારના કહેલામાં આવેલ છે ? હે ગૌતમ ! નિગોદ બે પ્રકારના કહેવામાં આવેલ છે. જેમકે એક નિગોદ અને બીજા નિગોદ જીવોના આશ્રયસ્થાન રૂપ જે હોય તે નિગોદ કહેવાય છે. અને જેટલા તૈજસ અને કાશ્મણ ભિન્ન હોય છે તે નિગોદ જીવ છે. નિગોદ બે પ્રકારના કહેવામાં આવેલ છે. સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ સમસ્ત લોકમાં સૂક્ષ્મ નિગોદ તલમાં તેલની જેમ ભરેલા રહે છે. મૂળ કન્ટ વિગેરે રૂપ જે જીવ વિશેષ છે, તે બાદર નિગોદ છે. સૂક્ષ્મ નિગોદ બે પ્રકારના કહેવામાં આવેલ છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક એ જ પ્રમાણે બાદર નિગોદ પણ બે પ્રકારના કહેવામાં આવેલ છે. બાદર પર્યાપ્તક અને બાદર અપયપ્તિક. હે ભગવન્! દ્રવ્ય રૂપે નિગોદ-જીવાશ્રય વિશેષ શરીર રૂપ નિગોદ શું સંખ્યાત છે? અથવા અસંખ્યાત છે ? કે હે ગૌતમ ! નિગોદ સંખ્યાત નથી. અને અનંત પણ નથી. પરંતુ અસંખ્યાત છે. એજ પ્રમાણે પર્યાપ્તક નિગોદ પણ સંખ્યાત નથી. અનંત પણ નથી. પરંતુ અસંખ્યાત છે. એજ પ્રમાણે અપર્યાપ્તક નિગોદ પણ અસંખ્યાત છે. અનંત કે સંખ્યાત નથી. સૂક્ષ્મ નિગોદ જીવો સંખ્યાત નથી. તેમજ અનંત પણ નથી કિંતુ અસંખ્યાત છે. એજ પ્રમાણે બાદર નિગોદ જીવ અને તેના ભેદ રૂપ પર્યાપ્તક અને અપર્યાપ્તક ભેદો પણ અસંખ્યાત છે. 'નિગોદ પ્રદેશોની દષ્ટિથી સંખ્યા નથી તેમજ અસંખ્યાત પણ નથી. પણ અનંત છે. એજ પ્રમાણે સૂક્ષ્મ નિગોદ પણ અને તેના પર્યાપ્તક અને અપર્યાપ્તક ભેદો પણ પ્રદેશોની. દષ્ટિથી અનંતજ છે. સંખ્યાત કે અસંખ્યાત હોતા નથી. એ જ પ્રમાણે બાદર નિગોદ અને તેના પપ્તક અપર્યાપ્તક ભેદો પણ પ્રદેશ પણાથી અનંત જ છે. સંખ્યાત કે અસંખ્યાત નથી. એજ પ્રમાણે પ્રદેશપણાથી નવ પ્રકારના નિગોદ જીવો પણ અનંત જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy