SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 11 પ્રતિપત્તિ-૫ કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્ત નો છે. હે ભગવનું સૂક્ષ્મ જીવનો અંતકાળ કેટલા કાળનો કહેવામાં આવેલ છે? હે ગૌતમ! જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર હોય છે. આ સંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સપિ ણીયો અને અસંખ્યાત અવસર્પિણીયો આવી જાય છે. સૂક્ષ્મપૃથ્વીકાયિક નું અંતર જઘન્યથી તો એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી અનન્તકાળનું અંતર છે. એ જ પ્રમાણેનું અંતર સૂક્ષ્મ અપ્લાયિકનું સૂક્ષ્મ તેજસ્કાયિકનું સૂક્ષ્મ વાયુકાયિકનું પણ સમજવું. સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર છે. આ અસંખ્યાત પૃથ્વીકાયિક કાલ પ્રમાણનું છે. એ જ પ્રમાણેનું અંતર સૂક્ષ્મ નિગોદનું પૃથ્વીકાયિક વિગેરેનું અંતર વનસ્પતિકાળ પ્રમાણ છે. સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ સૌથી ઓછો છે. તેના કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ વિશેષાધિક છે. સૂક્ષ્મ અપ્લાયિક અને સૂક્ષ્મ વાયુકાયિક સૂક્ષ્મ પૃથ્વી કાયિકોના કરતાં વિશેષાધિક છે. સૂક્ષ્મ અકાયિકોના કરતાં સૂક્ષ્મ વાયુકાયિકોનું પ્રમાણ વિશેષાધિક સૂક્ષ્મ નિગોદ તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવ તેના કરતાં અનંતગણો વધારે છે. તેના કરતા જે સામાન્ય સૂક્ષ્મ જીવ છે. તે વિશેષાધિક છે. અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાય વિગેરેનું અલ્પ બહુત્વ પણ આજ પ્રમાણે છે. સૂક્ષ્મ અવસ્થા વાળા પર્યાપ્તક અને સૂક્ષ્મ અવસ્થાવાળા અપર્યાપ્તકોમાં સૌથી ઓછા સૂક્ષ્મ અપ પ્તકો છે અને પર્યાપ્તક તેનાથી અસંખ્યાતગણા વધારે છે. સૌથી ઓછા અપર્યાપ્તક તેચ્છાયિક જીવો છે. અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક અખાયિ વિશેષાધિક અપયપ્તિક અપ્લાવિકોના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક વાયુકા યિકો વિશેષાધિક છે. સૂક્ષ્મ અપર્યાપ્તક વાયુકાયના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક તેજસ્કાયિક સંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ પર્યાપ્તકતેજકાયિકોના કરતાં પયપ્તિક સૂક્ષ્મ પૃથ્વી કાયિક, પર્યાપ્તક, સૂક્ષ્મ અપ્લાયિક પયપ્તિક સૂક્ષ્મ વાયુકાયિક એ બધા પરસ્પર વિશે પાધિક છે. પર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયિકોના કરતા સૂક્ષ્મ અપર્યાપ્તક નિગોદ અસંખ્યાત ગણા વધારે છે. સૂક્ષ્મ અપર્યાપ્તક નિગોદોના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક નિગોદ સંખ્યાત ગણા વધારે છે. સૂક્ષ્મ પર્યાપ્તક નિગોદોના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક વનસ્પતિકાયિક અનંતગણા વધારે છે. સૂક્ષ્મ અપર્યાપ્તક વનસ્પતિકાયિકોના કરતાં સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે. [356-360] બાદરાદિ નામકર્મવાળા જીવની સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની છે. વિશેષ પડ્યું છે તે આ પ્રમાણે છે. -બાદર અકાકિની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. બાદર તેજસ્કાયિકની સ્થિતિ ત્રણ રાત દિવસની છે. બાદર વાયુકાયિકની સ્થિતિ ત્રણ હજાર વર્ષની છે. સામાન્યથી બાદર વનસ્પતિકાયિકની સ્થિતિ દસહજાર વર્ષની છે. સામાન્ય પણાથી નિગોદ જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરો પમની છે. હવે બાદર 1, બાદર પૃથ્વીકાયિક 2, બાદર અપ્લાયિક 3, બાદર તેજસ્કાયિક 4, બાદર વાયુકાયિક 5, બાદર વનસ્પતિકાયિક 6, પ્રત્યેક વનસ્પતિ કાયિક 7, ત્રસકા યિક 8, નિગોદ 9, અને બાદર નિગોદ 10, આ બધા જયારે અપર્યાપ્તાવસ્થા વાળા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy